ગળધરા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
ખોડિયાર માતાજીના ધામ તરીકે પ્રસિધ્ધ ગળધરા ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મુખ્ય મથક ધારીથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે આવેલું છે. આ ગામમાં શેત્રુંજી નદીના કાંઠે ખુબ જ પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે[1]. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર બંધ તરીકે ઓળખાય છે. આ બંધનું પાણી આજુબાજુના ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ગળધરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°19′34″N 71°01′38″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | ધારી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી |
બંધ કરો