કૃષ્ણ
હિંદુ ધર્મમાં વિષ્ણુનો અવતાર / From Wikipedia, the free encyclopedia
કૃષ્ણ કે શ્રીકૃષ્ણ (સંસ્કૃત: कृष्ण) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી કૃષ્ણને જગદ્ગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. હિંદુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદ્દી સલાહકાર, ઉપદેશક, વગેરે રૂપે આલેખાયેલા છે, તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.[3] ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદાજુદા સંપ્રદાયોમાં જુદીજુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.[4]
Quick Facts કૃષ્ણ, રહેઠાણ ...
કૃષ્ણ | |
---|---|
મથુરાથી ગોકુળ જતા બાળકૃષ્ણ, પિતા વસુદેવના માથા પરની છાબડીમાં | |
રહેઠાણ | |
મંત્ર | ૐ નમો ભગવતે વાસુદેવાય |
શસ્ત્ર |
|
પ્રતીક | મોરપિચ્છ |
વાહન | ગરુડ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | ભાલકા તીર્થ, સૌરાષ્ટ્ર (હવે, વેરાવળ, ગુજરાતમાં)[1] |
જીવનસાથી | [2] |
બાળકો | પ્રદ્યુમ્ન, સાંબ |
કુળ | યદુવંશ |
બંધ કરો