મંત્ર
From Wikipedia, the free encyclopedia
મંત્ર એવો ધ્વનિ, ઉચ્ચારણ, શબ્દ અથવા શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણ ની (સવિશેષત: આધ્યાત્મિક રૂપાંતર) ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે.[1] મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર (દેવનાગરી લિપીમાં मन्त्र) નો ઉદ્ગમ ભારતની વૈદિક પરંપરામાં થયો અને સમયાંતરે હિંદુ પરંપરા અને બૌદ્ધવાદ, શીખવાદ અને જૈનવાદની અંદર રૂઢિગત પ્રણાલીઓના આવશ્યક અંગરૂપે સ્થાન લીધું. મંત્રોનો ઉપયોગ હવે સમગ્ર વિવિધ આધ્યાત્મિક પ્રચલનો વ્યાપક ફેલાવો થયો છે જે પહેલાંની પૂર્વિય દેશોની પરંપરાઓ અને ધર્મોની પ્રેક્ટિસો આધારિત હોય અથવા તેની શાખા હોય.
વેદોના સંદર્ભમાં મંત્ર એ શબ્દમાં સમગ્ર ભાગનો સંદર્ભ છે જેમાં ઋગ, યજુર, અથવા સામ સામેલ છે - જે ગદ્ય બ્રાહ્મણ ટિપ્પણીથી વિરુધ્ધનો છંદોબધ્ધ ભાગ છે. કર્મકાંડી વૈદિક પરંપરાઓમાંથી યોગ, વેદાંત, તંત્ર અને ભકિતના ગૂઢ અને સમતાવાદી હિંદુ સંપ્રદાયોમાં થયેલા સંક્રમણ સાથે મંત્રજ્ઞાનના ઉચ્ચપ્રકારના ધર્મનિષ્ઠ અભિગમથી સામાન્ય રીતે અમુક સમાન લક્ષણો સાથે કર્મના સ્વરૂપમાં માનવ ઈચ્છા અથવા માનવઆંકાક્ષાના રૂપાંતર તરીકે મંત્રના આધ્યાત્મિક અર્થઘટનનો માર્ગ મોકળો થયો.
ઉપનિષદોના હિંદુ ધર્મગ્રંથોના રચયિતાઓ માટે ૐ - જે સ્વયં મંત્ર છે તે બ્રાહ્મણ, ઈશની દિવ્ય પ્રતિમા તેમ જ સમગ્ર સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. કુકેઈના મતાનુસાર તમામ ધ્વનિ ધર્મકાય બુધ્ધનો નાદ છે - એટલે કે હિંદુ ઉપનિષધક અને યોગિક વિચારધારામાં હોય છે તેજ રીતે, આ ધ્વનિઓ અંતિમ અને પરમ સત્યની ઘોષણા છે, ધ્વનિના અર્થમાં, જે મંત્રોનો કંઠય ધ્વનિ, મંત્રના ઉચ્ચારણ કરતી વ્યકિતના બોગ્રહણથી સ્વતંત્ર રહીને નિહિત અર્થ ધરાવતો હોય છે. કયા મંત્રનો પ્રતિકાત્મક અર્થ કેવો છે અથવા તેનું કાર્યાન્વયન કઈ રીતે થાય છે તેની સમજ તે વિવિધ પરંપરાઓમાં ભિન્ન હોય અને તે એની પર પણ આધાર રાખે છે કે કયા સંદર્ભમાં તે મંત્ર લખાયેલો છે અથવા ઉચ્ચારાયેલો છે. અમુક પ્રસંગે દરેક નાદ - જેમાંના ઘણા બધા કોઈ નિશ્ચિત વિચાર-શ્રેણી માટે વિશિષ્ટ હોય છે તેવા નાદ સાથે સંકળાયેલા પ્રતિકવાદના સ્તરો અનેકવિધ હોય છે. ઉદાહરણ તરીકે ૐ નું ઉચ્ચારણ જુઓ જે હિંદુ અને બૌધ્ધ પરંપરાઓમાં કેન્દ્રસ્થાને છે.
હિંદુ તંત્રએ, અક્ષરો અને ધ્વનિને દિવ્યતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા ત્યારે લેખન પ્રત્યેનો અભિગમ ઉદ્ભવ્યો જ્યારે બૌદ્ધવાદ ચીન સુધી પ્રસર્યો. તે સમયે ચીનમાં સંસ્કૃત જેવી એકસૂત્રી ધર્મભાષાનો અભાવ હોવા છતાં ચીને ઉચ્ચારણમાં સ્થિતિસ્થાપક પરંતુ અર્થમાં વધુ સચોટ હોય તેવા પંકિત અક્ષરો ધરાવતી લેખિત ભાષાથી સાંસ્કૃતિક એકતા સિધ્ધ કરી. ચાઈનીઝ લોકો લિખિત ભાષાને ભારતીય બૌધ્ધ ધાર્મિક સંસ્થાઓ કરતા પણ વધુ આદર આપતા હતા, અને મંત્રલેખનની પ્રવૃત્તિ સ્વયમેવ એક આધ્યાત્મિક પ્રણાલી બની ગઈ. બ્રાહ્મણો જયારે મંત્રના શુધ્ધ ઉચ્ચારણના કઠોર આગ્રહી હતા ત્યારે ચાઈનીઝ અને ખરેખર તો ફાર-ઇસ્ટર્ન બૌદ્ધવાદીઓ આ માટે ખરેખર ઓછી ચિંતા ધરાવતા હતા અને તેની લેખનશુધ્ધિ સાથે વધુ ચીવટ ધરાવવા માટે આગ્રહી હતા. આધ્યાત્મિક પ્રણાલીના ભાગરૂપે મંત્રલેખન અને પાઠની પ્રતો બનાવવાની પ્રથા જાપાનમાં અત્યંત વિશુધ્ધ હતી અને ઘણા બધા બૌધ્ધસૂત્રોનું સંસ્કૃત જેમાં લખાયેલ છે તે સિધ્ધમ્ હસ્તપ્રતોનું લખાણ હવે ખરેખર માત્ર જાપાનમાં જ જોવા મળે છે. તેમ છતાં, હિંદુ પ્રણાલીઓમાં કોઈપણ હસ્તપ્રતોમાં સંસ્કૃત સાથે મંત્રોની પુનરાવૃત્તિ ભારતમાં ઘણા બધા સંપ્રદાયોમાં વિખ્યાત છે. ખન્ના (2003: p. 21) મંત્રો અને યંત્રોનો વિચારસ્વરૂપો સાથે સાંકળે છે:
મંત્રો - યંત્રો પર ઉત્કીર્ણ કરેલા સંસ્કૃત ઉચ્ચારણ, દિવ્યતા અથવા વૈશ્વિક શકિતઓનું પ્રતિનિધિત્વ કરતા વિચાર સ્વરૂપો છે જે ધ્વનિ-કંપનના માધ્યમથી પોતાના પ્રભાવનું કાર્યાન્વયન કરે છે.[2]