મૌર્ય સામ્રાજ્ય
પ્રાચીન ભારતનો એક રાજવંશ / From Wikipedia, the free encyclopedia
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને જાય છે.
Quick Facts મૌર્ય સામ્રાજ્ય, રાજધાની ...
મૌર્ય સામ્રાજ્ય | |
---|---|
રાજધાની | પાટલીપુત્ર (હાલ પટના, બિહાર) |
ધર્મ | બૌદ્ધ જૈન આજીવિકા હિંદુ |
સરકાર | ચાણક્યના અર્થતંત્રમાં વર્ણવ્યા પ્રમાણે પૂર્ણ રાજતંત્ર |
વિસ્તાર | |
• કુલ | 5,000,000 km2 (1,900,000 sq mi) (ભારતમાં પ્રથમ) |
ચલણ | પણ (ઉદા. કર્ષાપણ) |
બંધ કરો
આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના ગંગા નદીના મેદાનો (આજના બિહાર અને બંગાળ) થી શરૂ થયું હતું. તેની રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ.પૂ. ૩૨૨માં આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેણે સિકંદરના આક્રમણ બાદ નાના રાજ્યોના પારસ્પરિક મતભેદોનો ફાયદો ઉઠાવી ખૂબ જ ઓછા સમયમાં પશ્ચિમ તરફ સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો. ઈ.સ.પૂ. ૩૧૬ સુધીમાં મૌર્ય વંશે પૂરા ઉત્તર-પશ્ચિમી ભારત પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચક્રવર્તી રાજા અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્ય તેના શિખર પર હતું.