નીલાદેવી
From Wikipedia, the free encyclopedia
નીલાદેવી (સંસ્કૃત: नीलदेवी),[2] અથવા નપ્પીન્નાઈ, એ એક હિંદુ દેવી, તથા શ્રીદેવી અને ભૂમિ દેવી ની જેમ વિષ્ણુજીના એક અન્ય જીવનસાથી છે.[3][4] દક્ષિણભારતમાં, ખાસ કરીને તમિળ સંસ્કૃતિમાં નીલાદેવીને વિષ્ણુની જીવનસાથી માનવામાં આવે છે.[5][6] શ્રી વૈષ્ણવ પરંપરામાં, વિષ્ણુની ચારે જીવન સંગિનીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે.[7]
Quick Facts નીલાદેવી, અન્ય નામો ...
નીલાદેવી | |
---|---|
સુખ આપનાર દેવી[1] | |
તિરુક્કડીગાઈમાં નીલા દેવીનું મંદિર (વિષ્ણુની ડાબી બાજુએ) | |
અન્ય નામો | નપ્પીનાઈ |
ધર્મ | શ્રી વૈષ્ણવ ધર્મ |
જોડાણો | દેવી, લક્ષ્મીનો અવતાર, રાધા, નાગનાજીતી |
રહેઠાણ | વૈકુંઠ |
જીવનસાથી | વિષ્ણુ |
બંધ કરો
કૃષ્ણ તરીકે વિષ્ણુના અવતારમાં, નીલાદેવીને કાં તો દ્વારકામાં કૃષ્ણની પત્ની નાગ્નજિતી તરીકે ગણવામાં આવે છે અથવા કેટલાક સ્રોતોમાં તેને કૃષ્ણની ગોપી સખી રાધા જેવું દક્ષિણી સમકક્ષ પાત્ર ગણવામાં આવે છે.[5][8]