દ્રૌપદી
From Wikipedia, the free encyclopedia
દ્રૌપદી (સંસ્કૃત: कृष्णा, द्रौपदी) પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને ક્રૃષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્રો હતા: પ્રતિવિંધ્ય (ધર્મ પુત્ર), સુતસોમા (ભીમ પુત્ર), શ્રુતકર્મા (ધનંજય પુત્ર), શતાનિક (નકુલ પુત્ર) અને શ્રુતસેન(સહદેવ પુત્ર).