દુર્યોધન
From Wikipedia, the free encyclopedia
દુર્યોધન (સંસ્કૃત: दुर्योधनः) હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો સૌથી મોટો પુત્ર તથા દુઃશાસનનો મોટો ભાઈ હતો. હિંદુ પૌરાણિક કથા મહાભારતમાં દુર્યોધન એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર હતો. તે પાંડવોનો સૌથી પ્રખર વિરોધી હતો. તે કળીનો અવતાર હતો જે નળના શરીરમાં ઘૂસી ગયો હતો અને તેને પોતાના રાજપાટ દ્યૂતમાં લગાવવા વિવશ કર્યો હતો.