અદિતિ
વેદોમાં દેવોની માતા / From Wikipedia, the free encyclopedia
અદિતિ ( સંસ્કૃત : अदिति = "અમર્યાદિત" અથવા "અનહદ" [lower-alpha 1] ) એ હિંદુ ધર્મના એક વૈદિક દેવી છે. તે અનંતનું વ્યક્તિત્વીકરણ છે. તે આકાશ, ચેતના, ભૂતકાળ, ભવિષ્ય અને ફળદ્રુપતાની દેવી છે.[1] તે આકાશી દેવતાઓ, આદિત્યની માતા છે આ સાથે વિષ્ણુ અને અગ્નિ સહિત ઘણા દેવોની માતા તરીકે પણ ઓળખાય છે. હાલમાં સ્વરૂપ ધરાવતી દરેક વસ્તુઓ અને અસ્તિત્વોની અવકાશી માતા, બધી વસ્તુઓની સંશ્લેષક, તરીકે પણ તે ઓળખાય છે. તેઓ અવકાશ (અકાશ) અને રહસ્યવાદી મંત્રો કે વાણી(વાક્) સાથે પણ સંકળાયેલી છે. તેણીને બ્રહ્માના નારી સ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે અને તે વેદાંતમાં પ્રાધાન્ય પદાર્થ (મૂલપ્રકૃત) સાથે સંકળાયેલ છે. ઋગ્વેદમાં તેનો લગભગ ૮૦ વખત ઉલ્લેખ છે.
અદિતિ | |
---|---|
દેવોની માતા | |
![]() અદિતિ | |
જોડાણો | આદિ શક્તિ |
શસ્ત્રો | તલવાર, ત્રિશૂલ |
વાહન | ગરુડરાજ (ફિનિક્સ) |
ગ્રંથો | ઋગ્વેદ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | કશ્યપ |
બાળકો | આદિત્ય વરુણ |
"દક્ષ અદિતિથી ઉદ્ભવી અને દક્ષથી અદિતિ" એ શ્લોક તત્વજ્ઞાનીઓ દ્વારા "એકજ દૈવી તત્ત્વના શાશ્વત ચક્રીય પુનર્જન્મ"[2] અને દૈવી વિદ્વતાના સંદર્ભ તરીકે જોવામાં આવે છે.[3]