શેતાન
From Wikipedia, the free encyclopedia
શેતાન (ગ્રીક: διάβολος અથવા ડિઆવોલોસ = 'નિંદા કરનાર' અથવા 'આક્ષેપ કરનાર')ને કેટલાક ધર્મ અને સંસ્કૃતિમાં શક્તિશાળી માનવામાં આવે છે, શેતાનનો અવતાર અલૌકિક અસ્તિત્વ તરીકેનો હોય છે અને તે ભગવાન અને માનવજાતિનો દુશ્મન છે. શેતાનને સામાન્ય રીતે પાખંડીઓ, નાસ્તિક અને અન્ય અશ્રદ્ધાળુઓ સાથે જોડવામાં આવે છે. અબ્રાહમ મૂળના ધર્મોએ શેતાનને, વિવિધ રીતે માનવોને પાપ કરવા અથવા શેતાની કૃત્ય કરવા પ્રેરતા બળવાખોર સ્વર્ગચ્યુત દેવ અથવા રાક્ષસ તરીકે ઓળખાવ્યો છે. અન્યો શેતાનને શ્રદ્ધાની કટોકટી, વ્યક્તિવાદ, ઇચ્છા સ્વાતંત્ર્ય, ડહાપણ અને બોધના પ્રતિનિધિત્વના રૂપક તરીકે ગણે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ખ્રિસ્તી મુખ્ય પ્રવાહમાં, ભગવાન અને શેતાનને સામાન્ય રીતે મનુષ્યોની આત્માઓ માટે લડતાં બતાવવામાં આવ્યા છે, જેમાં શેતાન લોકોને ભગવાનથી દૂર નરકમાં લઇ જવા માટે લાલચો આપતો હોય છે. શેતાન રાક્ષસ (ડીમન) તરીકે ઓળખાતા દુષ્ટ દેવોના ટોળા પર હકૂમત ચલાવે છે.[1]
યહૂદી બાઇબલ (અથવા ઓલ્ડ ટેસ્ટામેન્ટ) આ શત્રુ(હા-શેતાન)ને માનવજાત સામે દુષ્કૃત્યો માટે ઉશ્કેરતા દેવ તરીકે વર્ણવે છે.[2][3] ઘણા અન્ય ધર્મોમાં પણ શેતાન જેવા જ ઠગ અથવા પાપ કરવા માટે લલચાવનારા સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. શેતાન વિશેના આધુનિક ખ્યાલોમાં એક ખ્યાલ એવો છે કે શેતાન માનવોની ખુદની હલકી મનોવૃત્તિ અથવા પાપ પ્રકૃત્તિનું પ્રતિક છે.
લોકો સામાજિક અને રાજનૈતિક સંઘર્ષોમાં શેતાનનો ખ્યાલ એવું કારણ આપીને મૂકતા હોય છે કે તેમના વિરોધીઓ શેતાનથી પ્રભાવિત છે અથવા જાણીજોઇને શેતાની કૃત્યોનું સમર્થન કરી રહ્યા છે. બીજા લોકો શા માટે ખોટી અને નાસ્તિક શ્રદ્ધાઓ ધરાવે છે તે દર્શાવવા માટે પણ શેતાનનો ઉપયોગ થાય છે.