![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/62/Radharani_4.jpg/640px-Radharani_4.jpg&w=640&q=50)
રાધા
પ્રેમની દેવી, કૃષ્ણની મુખ્ય સંગિની / From Wikipedia, the free encyclopedia
રાધા ( સંસ્કૃત: राधा), જેને રાધિકા, રાધારાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે. તેમનો જન્મ રાવળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાણામાં રહેવા ગયા. તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવ માન્યતા અને અને પદ્મ પુરાણના કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. ગૌડિય વૈષ્ણવો મુજબ તે કૃષ્ણની શાશ્વત જીવનસાથી છે.[1][2] તે ભક્તિ દેવીનો અવતાર છે. અને રાધાષ્ટમીના દિવસે તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
રાધા | |
---|---|
સુંદરતા અને પ્રેમની દેવી | |
![]() રાધા | |
જોડાણો | માધવપ્રિયા, કૃષ્ણપ્રિયા, |
રહેઠાણ | ગોલોક, વૃંદાવન |
પ્રતીક | સુવર્ણ કમળ |
ગ્રંથો | શ્રીમદ્ ભાગવતમ્, બ્રહ્મવૈવર્ત પુરાણ, ગીત ગોવિંદ, ગર્ગ સંહિતા |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | બરસાના |
જીવનસાથી | રાયણ |
માતા-પિતા |
|
તેણીને વૃંદાવનશ્વરી ( વૃંદાવન ધામની રાણી) પણ કહેવામાં આવે છે. તે ગોપીઓની રાણી અને વૃંદાવન-બરસાણાની રાણી તરીકે પણ ઓળખાય છે. તેમણે ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ આપ્યું. રસિક સંતોએ તેમનો ઉલ્લેખ દેવી, યોગમાયા અને હ્લાદિની શક્તિ (દૈવી પ્રેમની શક્તિ) ના મૂળ સ્વરૂપ તરીકે કર્યો છે, જે ભગવાન કૃષ્ણની મુખ્ય શક્તિ છે. તેમને અને તેમના સાથી કૃષ્ણને સામૂહિક રીતે રાધા કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, સ્ત્રી અને પૌરૂષના સંયુક્ત સ્વરૂપે તે ભગવાનના સ્વરૂપને દર્શાવે છે. ભગવાન કૃષ્ણ તેની સાથે લીલાઓ કરે છે.
ભારતના કેટલાક પ્રદેશોમાં ખાસ કરીને ગૌડિય વૈષ્ણવો, પશ્ચિમ બંગાળના વૈષ્ણવો, બાંગ્લાદેશ મણિપુર અને ઓડિશાના વૈષ્ણવો દ્વારા રાધાની પૂજા કરવામાં આવે છે. અન્ય સ્થળે, તે નિમ્બરક સંપ્રદાય અને ચૈતન્ય મહાપ્રભુ સાથે જોડાયેલા સંપ્રદાયોમાં પણ તે આદરણીય છે. [3][4] જ્યારે રામાનુજ, પાશુપત જેવા સંપ્રદાયો રાધાના અસ્તિત્વ ને નકારે છે.
કેટલાક લોકો દ્વારા રાધાને માનવ આત્માના રૂપક તરીકે માનવામાં આવે છે, તેમનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેની ઝંખનાને આધ્યાત્મિક રીતે આત્મિક વિકાસ અને પરમાત્મા સાથેના જોડાણ માટેની માનવ શોધના પ્રતિકાત્મકકરૂપે માનવામાં આવે છે.[5] તેણીએ અસંખ્ય સાહિત્યિક કૃતિઓને પ્રેરણા આપી છે,[3] અને કૃષ્ણ સાથેની તેમની રાસલીલાએ ઘણી નૃત્યકલામાં પ્રેરણા આપી છે.[6]