બ્રહ્મ વૈવર્ત પુરાણ
૧૮ મહાપુરાણોમાંનું એક પુરાણ / From Wikipedia, the free encyclopedia
બહ્મ વૈવર્ત પુરાણ, (સંસ્કૃત: व्रह्मबैवर्तपुराणम्) એ હિંદુ ધર્મના ૧૮ મુખ્ય પુરાણોમાંનું એક પુરાણ છે. તે ચાર ભાગમાં વિભાજીત છે. પ્રથમ ભાગ બ્રહ્માંડ અને જીવનના સર્જનનું વર્ણન કરે છે. બીજો ભાગ હિંદુ દેવી-દેવતાઓનો ઇતિહાસ અને વર્ણનનો સમાવેશ કરે છે. ત્રીજો ભાગ મોટાભાગે ગણેશજીના જીવન અને કાર્યો પર આધારિત છે અને છેલ્લો ભાગ કૃષ્ણના જીવન અને કાર્યો પર આધારિત છે. પદ્મ પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણને રાજસ પુરાણ તરીકે વર્ગીકૃત કરે છે.[1]