![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Mysore_painting.jpg/640px-Mysore_painting.jpg&w=640&q=50)
નાગ્નજિતી
From Wikipedia, the free encyclopedia
નાગ્નજિતી (સંસ્કૃત : नाग्नजिती) અથવા સત્યા (સંસ્કૃત : सत्या) અથવા અને નપ્પિનાઇ (તમિળ: நப்பின்னை, lit. 'સુંદર વસ્ત્રાલંકાર ધારનારી'), [1] હિંદુ દેવતા કૃષ્ણની આઠ મુખ્ય પત્નીઓ - અષ્ટભાર્યમાં પાંચમી પત્ની [2] છે.
નાગ્નજિતી | |
---|---|
અષ્ટભાર્યાના સભ્ય | |
![]() નાગ્નજિતી અને કૃષ્ણની અષ્ટભાર્યા, મૈસૂર ચિત્ર. | |
અન્ય નામો | સત્યા, દ્વારકેશ્વરી, નપ્પીનાઈ |
જોડાણો | નીલાદેવીનો અવતાર, અષ્ટભાર્યા |
રહેઠાણ | દ્વારકા |
ગ્રંથો | વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, હરિવંશ, મહાભારત |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | કૃષ્ણ |
બાળકો | વીર, ચંદ્ર, અશ્વસેઅન, ચિત્રાગુ, વેગવાન, વૃષ, આમ, શંકુ, વસુ, અને કુંતી |
માતા-પિતા |
|
કુળ | સુર્યવંશ, યદુ વંશ (લગ્ન પછી) |
વૈષ્ણવ ગ્રંથોમાં, નાગ્નજિતીને લક્ષ્મીના ત્રીજા સ્વરૂપ - નીલાદેવીનો અવતાર માનવામાં આવે છે. [3] દ્વાપર યુગ દરમ્યાન, નીલાદેવીનો જન્મ પૃથ્વી પર કોશલના રાજા નાગ્નજિતની પુત્રી સત્યાના રૂપમાં થયો હતો. કૃષ્ણે નાગ્નજીત દ્વારા ગોઠવાયેલા સ્વયંવરમાં ભાગ લીધો અને નિર્ધારિત નિયમો મુજબ, તેમણે સાત વિકરાળ બળદોની આસપાસ રસ્સી બાંધીને તેમને નિયંત્રણમાં લીધા, અને સત્યાનું પત્ની તરીકે પાણિગ્રહણ કર્યું. [4]
દક્ષિણ ભારતમાં, જ્યારે સંત-કવિયત્રી અંડાલે તિરુપ્પવાઈ અને નાચિયાર તિરુમોલી લખી ત્યારે તેમણે રાજા નાગ્નજીતની "સુંદર વસ્ત્રોથી સજ્જ" પુત્રી નપ્પિનાઈનો ઉલ્લેખ કર્યો હતો. નાગ્નજીત યશોદા (કૃષ્ણની પાલક-માતા)નો ભાઈ હતો. એવું માનવામાં આવે છે કે નપ્પિનાઈ એ નાગ્નજિતીની તમિલ સમકક્ષ પાત્ર છે. આ વાતની એ દ્વારા પણ પુષ્ટિ થાય છે કે નેપ્પિનાઈને પણ વિષ્ણુની પત્ની, નીલાદેવીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. [5]