કુલદીપ સિંઘ ચાંદપુરી
ભારતીય સેનાના અધિકારી / From Wikipedia, the free encyclopedia
બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM (૨૨ નવેમ્બર ૧૯૪૦ – ૧૭ નવેમ્બર ૨૦૧૮) ભારતીય ભૂમિસેનાના એક પુરસ્કૃત અધિકારી હતા.[2] તેઓ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં લોંગેવાલાની લડાઈમાં તેમના પરાક્રમી નેતૃત્વ માટે પ્રખ્યાત છે. જે માટે તેમને ભારત સરકાર તરફથી બીજો સર્વોચ્ચ ભારતીય લશ્કરી પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૭ની હિન્દી ફિલ્મ બોર્ડર આ યુદ્ધ પર આધારિત હતી, જેમાં તેમની ભૂમિકા સની દેઓલે ભજવી હતી.[3][4] તેઓ ૨૦૦૬ થી ૨૦૧૧ દરમિયાન ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહ્યા હતા.
Quick Facts બ્રિગેડિયરકુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM, જન્મ ...
બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM | |
---|---|
જન્મ | (1940-11-22)22 November 1940 મોન્ટગોમરી, પંજાબ, બ્રિટિશ ભારત (હવે પાકિસ્તાનમાં) |
મૃત્યુ | 17 November 2018(2018-11-17) (ઉંમર 77)[1] મોહાલી, પંજાબ, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય સૈન્ય |
સેવાના વર્ષો | ૧૯૬૨-૧૯૯૬ |
હોદ્દો | બ્રિગેડિયર |
દળ | ૨૩મી પંજાબ રેજિમેન્ટ |
યુદ્ધો | ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ લોંગેવાલાની લડાઈ |
પુરસ્કારો | મહાવીર ચક્ર વિશિષ્ઠ સેવા પુરસ્કાર |
બંધ કરો