લોંગેવાલાની લડાઈ
From Wikipedia, the free encyclopedia
લોંગેવાલાની લડાઈ એ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધની પ્રથમ મોટી લડાઈ હતી. તે પૂર્વ મોરચા પર રાજસ્થાન, ભારતના થરના રણપ્રદેશમાં સ્થિત ભારતીય ચોકી લોંગેવાલા ખાતે આક્રમણકારી પાકિસ્તાની સેના અને રક્ષણ કરી રહેલ ભારતીય ભૂમિસેના વચ્ચે લડવામાં આવી હતી.
લોંગેવાલાની લડાઈ | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
![]() |
![]() | ||||||
સેનાનાયક | |||||||
![]()
|
![]()
| ||||||
શક્તિ/ક્ષમતા | |||||||
૧૨૦ સૈનિકો ૪ હન્ટર વિમાન |
૨,૦૦૦ સૈનિકો | ||||||
મૃત્યુ અને હાની | |||||||
૨ સૈનિકો મૃત્યુ પામ્યા ૧ તોપનો નાશ[2] |
૨૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા[2] ૩૬ રણગાડીઓનો નાશ[2][1] |
મેજર કુલદીપ સિંઘ ચાંદપુરીના નેતૃત્વ હેઠળ રહેલ ભારતની પંજાબ રેજિમેન્ટની ૨૩મી પલટણની 'એ' કંપની પાસે પાકિસ્તાની યાંત્રિક પાયદળના હુમલા સામે લડવા અથવા પીછેહઠ કરવા વિકલ્પ હતો.[3] ચાંદપુરીએ પ્રથમ વિકલ્પ પસંદ કર્યો અને એ પ્રકારે યોજના બનાવી અને તેમની તમામ અસ્કયામતો સચોટ સ્થળ પર નિયુક્ત કરી, મજબુત રક્ષણાત્મક નિયુક્તિ ગોઠવી અને દુશ્મન સૈન્ય અધિકારીઓની ભૂલોનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો. ચોકીના રક્ષણમાં ભારતીય વાયુસેનાનો પણ કિમતી લાભ તેમને મળ્યો.
પાકિસ્તાની સૈન્યનું નેતૃત્વ કરી રહેલ અધિકારીઓએ અનેક ક્ષતિભર્યા નિર્ણયો લીધા, જેમાં લોંગેવાલા વિસ્તારમાં ભારતના બોમ્બમારો કરી શકતા વિમાનોની હાજરી વિશે વ્યૂહાત્મક માહિતીનો અભાવ, કાર્યવાહી દરમિયાન રસ્તાના યોગ્ય પૂર્વેક્ષણ વિના આગેકૂચ કરવી અને ઇજનેરી પૂર્વેક્ષણ વિના આમનેસામનેનો વ્યૂહાત્મક હુમલો સામેલ હતા. આ પરિબળોને કારણે પાકિસ્તાની બ્રિગેડ હવાઇ હુમલા સામે લાચાર બની, વાહનો માટે અયોગ્ય ભૂપ્રદેશના કારણે તેમનું ફસાઇ જવું, વાહનો માટે એક જ સાંકડા માર્ગનો ઉપયોગ, લડાઇ દરમિયાન ઇંધણના બાહ્ય સંગ્રહને કારણે દુશ્મન ગોળીબારથી વધારાનો ખતરો, અજાણ્યા પ્રદેશમાં રાત્રિ દરમિયાન હુમલો કરવો અને કટોકટીના કલાકોમાં પાયદળને આગળ વધવામાં અડચણો આવવી અને તેના કારણે ગેરસમજ ઉભી થવી જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ.