![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/Kolkata_botanical_garden_pathway.jpg/640px-Kolkata_botanical_garden_pathway.jpg&w=640&q=50)
આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન
From Wikipedia, the free encyclopedia
આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન એ એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના પશિમ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્ય શહેર કોલકાતા નજીક હાવરામાં શિબપુર ખાતે આવેલું છે[1]. આ ઉદ્યાન ઈ. સ. ૧૭૮૭ના વર્ષમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. પહેલાં રોયલ બોટોનીકલ ગાર્ડન[2] અને પછીથી કલકત્તા બોટોનીકલ ગાર્ડન તરીકે ઓળખાતા આ ઉદ્યાનને ભારતીય વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝના સન્માનમાં હાલના આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/Kolkata_botanical_garden_pathway.jpg/640px-Kolkata_botanical_garden_pathway.jpg)
આ ઉદ્યાનમાં ભારતીય ઉપખંડમાં થતી વનસ્પતિઓ ઉગાડી તેના પર સંશોધનો કરવામાં આવે છે. ૧૦૯ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં ૧૨૦૦૦ જેટલી વનસ્પતિઓ ઉગાડવામાં આવેલ છે, જે પૈકી અમૂક વનસ્પતિઓ દુર્લભ ગણાય છે. અહીંનું ખાસ આકર્ષણ વિશાળ કદ ધરાવતું વડનું ઝાડ છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ઓર્ચિડ (orchid), વાંસ અને તાડ આ ઉદ્યાનમાં ઉગાડવામાં આવેલ છે.