![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Dr._Savita_Ambedkar.jpg/640px-Dr._Savita_Ambedkar.jpg&w=640&q=50)
સવિતા આંબેડકર
ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની / From Wikipedia, the free encyclopedia
સવિતા ભીમરાવ આંબેડકર (૨૭ જાન્યુઆરી ૧૯૦૯ – ૨૯ મે ૨૦૦૩) એ ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને ભારતીય બંધારણના પિતા બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની હતાં. આંબેડકરવાદીઓ અને બૌદ્ધો તેમને માઇ અથવા માઇસાહેબ તરીકે ઓળખાવે છે.[1][2]
Quick Facts સવિતા આંબેડકર, જન્મની વિગત ...
સવિતા આંબેડકર | |
---|---|
![]() સવિતા ભીમરાવ આંબેડકર | |
જન્મની વિગત | શારદા કૃષ્ણરાવ કબીર (1909-01-27)27 January 1909 |
મૃત્યુ | 29 May 2003(2003-05-29) (ઉંમર 94) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | માઈ (માતા), માઈસાહેબ આંબેડકર |
શિક્ષણ | એમબીબીએસ |
શિક્ષણ સંસ્થા | ગ્રાન્ટ મેડિકલ કોલેજ, મુંબઈ, મહારાષ્ટ્ર |
વ્યવસાય | સમાજસેવિકા, ચિકિત્સક |
પ્રખ્યાત કાર્ય | સામાજિક કાર્ય |
ચળવળ | દલિત બૌદ્ધિક ચળવળ |
જીવનસાથી | બાબાસાહેબ આંબેડકર (m. 1948 - d. 1956) |
બંધ કરો
બી. આર. આંબેડકરની વિવિધ ચળવળોમાં, ભારતીય બંધારણ અને હિન્દુ સંહિતા વિધેયકો તેમજ અન્ય પુસ્તકોના લેખન અને બૌદ્ધ સામૂહિક ધર્માંતરણ દરમિયાન તેમણે બાબાસાહેબની મદદ કરી હતી. બાબાસાહેબ આંબેડકરે તેમના પુસ્તક ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મની પ્રસ્તાવનામાં પોતાનું જીવન આઠ-દસ વર્ષ સુધી લંબાવવાનો શ્રેય સવિતાબાઈને આપ્યો હતો.[3][4][5]