મહાવીર સ્વામી
From Wikipedia, the free encyclopedia
મહાવીર સ્વામી અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દરમિયાન થઈ ગયાં.[9] વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર હતાં. તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે.
Quick Facts મહાવીર સ્વામી, અન્ય નામો ...
મહાવીર સ્વામી | |
---|---|
૨૪મા જૈન તીર્થંકર | |
કમળ મુદ્રામાં બેઠેલા મહાવીર સ્વામીની મૂર્તિ, રાજસ્થાન, ભારત. | |
અન્ય નામો | વીર, અતિવીર, વર્ધમાન, સન્મતિનાયક, શ્રમણ, નિગ્રંથ[1][2][3][4] |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | પાર્શ્વનાથ |
પ્રતીક | સિંહ[5] |
ઉંમર | ૭૨ વર્ષ |
વૃક્ષ | શાલ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | c. 540 BCE (ઐતિહાસિક)[6][7] c. 599 BCE (પરંપરાગત)[6] |
દેહત્યાગ | c. 468 BCE (ઐતિહાસિક)[6][7] c. 527 BCE (પરંપરાગત)[6] |
માતા-પિતા |
|
સહોદર |
|
બંધ કરો