![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/%25E0%25A4%25B6%25E0%25A5%258D%25E0%25A4%25B0%25E0%25A5%2580_%25E0%25A4%25A8%25E0%25A4%25BE%25E0%25A4%2597%25E0%25A5%2587%25E0%25A4%25B6%25E0%25A5%258D%25E0%25A4%25B5%25E0%25A4%25B0_%25E0%25A4%259C%25E0%25A5%258D%25E0%25A4%25AF%25E0%25A5%258B%25E0%25A4%25A4%25E0%25A4%25BF%25E0%25A4%25B0%25E0%25A5%258D%25E0%25A4%25B2%25E0%25A4%25BF%25E0%25A4%2582%25E0%25A4%2597_%25E0%25A4%25AE%25E0%25A4%2582%25E0%25A4%25A6%25E0%25A4%25BF%25E0%25A4%25B0.jpg/640px-%25E0%25A4%25B6%25E0%25A5%258D%25E0%25A4%25B0%25E0%25A5%2580_%25E0%25A4%25A8%25E0%25A4%25BE%25E0%25A4%2597%25E0%25A5%2587%25E0%25A4%25B6%25E0%25A5%258D%25E0%25A4%25B5%25E0%25A4%25B0_%25E0%25A4%259C%25E0%25A5%258D%25E0%25A4%25AF%25E0%25A5%258B%25E0%25A4%25A4%25E0%25A4%25BF%25E0%25A4%25B0%25E0%25A5%258D%25E0%25A4%25B2%25E0%25A4%25BF%25E0%25A4%2582%25E0%25A4%2597_%25E0%25A4%25AE%25E0%25A4%2582%25E0%25A4%25A6%25E0%25A4%25BF%25E0%25A4%25B0.jpg&w=640&q=50)
નાગેશ્વર
બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક / From Wikipedia, the free encyclopedia
નાગેશ્વર કે નાગનાથ એ શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે. આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે. ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો ૧૯૮૦ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે[1]. આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે.
Quick Facts નાગેશ્વર જ્યોતિર્લિંગ, ધર્મ ...
નાગેશ્વર જ્યોતિર્લિંગ | |
---|---|
![]() નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | હિંગોલી જિલ્લો |
દેવી-દેવતા | શિવ |
તહેવારો | મહા શિવરાત્રિ |
સ્થાન | |
સ્થાન | ઔંધ નાગનાથ |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19.537087°N 77.041508°E / 19.537087; 77.041508 |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | હેમાદપંથી |
નિર્માણકાર | સ્વયંભુ |
બંધ કરો
![Aundha Nagnath](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/15/Temple_Architect_backside.jpg/640px-Temple_Architect_backside.jpg)
નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને દારુકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
- નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (નાગનાથ), મહારાષ્ટ્ર
- નાગેશ્વર મંદિર, ગુજરાત
- જગતેશ્વર મંદિર, ઉત્તરાખંડ