![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/89/Navratri_Navaratri_festival_preparations_and_performance_arts_collage.jpg/640px-Navratri_Navaratri_festival_preparations_and_performance_arts_collage.jpg&w=640&q=50)
દશેરા
પ્રાચીન હિંદુ તહેવાર / From Wikipedia, the free encyclopedia
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
Quick Facts દશેરા, બીજું નામ ...
દશેરા | |
---|---|
![]() દશેરા દુર્ગા અથવા રામના વિજયનું પ્રતીક છે.[1] | |
બીજું નામ | વિજ્યા દશમી, દસરા |
પ્રકાર | ધાર્મિક, સાંસ્કૃતિક |
મહત્વ | અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ |
ઉજવણીઓ | રામલીલા અથવા દુર્ગા પૂજાનો અંત |
ધાર્મિક ઉજવણીઓ | પંડાલો, નાટકો, લોકમેળા, રાવણના પૂતળાંનું દહન, દુર્ગા મૂર્તિનું વિસર્જન |
તારીખ | આસો (સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર) |
બંધ કરો
દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.