![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/Taranga_Temple_2017.jpg/640px-Taranga_Temple_2017.jpg&w=640&q=50)
તારંગા
From Wikipedia, the free encyclopedia
તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.[1]
Quick Facts તારંગા જૈન તીર્થ, ધર્મ ...
તારંગા જૈન તીર્થ | |
---|---|
![]() તારંગામાં આવેલું અજિતનાથ દેરાસર | |
ધર્મ | |
જોડાણ | જૈન |
દેવી-દેવતા | અજિતનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સ્થાન | |
સ્થાન | સતલાસણા, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°57′59″N 72°45′17″E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | કુમારપાળ |
સ્થાપના તારીખ | ૧૧૨૧ |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૧૪ શ્વેતાંબર અને ૫ દિગંબર |
ઊંચાઈ | 45 m (148 ft) (અંદાજિત) |
બંધ કરો
અમદાવાદ શહેરથી ૧૪૦ કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.