From Wikipedia, the free encyclopedia
ચેલૈયાની જગ્યા અથવા સાગળશા શેઠની જગ્યા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા બિલખા ગામમાં આવેલી છે.[1]
ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઇ રહેલા મહારથી દાનેશ્વરી કર્ણને જ્યારે તેની અંતિમ ઇચ્છા પુછે છે, ત્યારે કર્ણ પોતાનો અંતિમ સંસ્કાર કુંવારી જ્ગ્યાએ થાય તથા આજીવન સુવર્ણનું દાન કર્યુ છે, પરંતુ અન્નદાન કર્યુ નથી તો અન્નદાન કરવા માટે એક અવસર મળે એવુ વરદાન માંગે છે, ત્યારે શ્રીકૃષ્ણ વરદાન આપે છે કે ગુર્જર ભુમીમાં ગિરનારની ગોદમાં બિલખા ગામે શેઠ સગાળશાહ તરીકે અવતાર ધારણ કરી અને અન્નદાન ની ઇચ્છા પુરી કરો. આ રીતે બિલખા ગામે અવતાર ધારણ કરી અને એક ભુખ્યાને જમાડ્યા પછી જમવાનુ વ્રત રાખે છે.
સાગળશા એ એક પ્રમાણિક વાણિયો હતો. એક વખત શિવજીએ અઘોરી સાધુનો અવતાર લઈ તેના સદ્ગુણોની કસોટી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વાણિયા પાસે તેના એક માત્ર પુત્ર ચેલૈયાનું માથું ખાંડી તેને ગારામાં બોળીને ખાવા માટે આપવાની માંગણી કરી. સાગળશાએ સાધુની માંગણીનો સ્વીકાર કર્યો અને તેમનો પુત્ર પણ આ માટે તૈયાર થઈ ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. શેઠની આ સદગુણ જોઈને ચેલૈયાનું જીવન પાછું આપ્યું અને વરદાન માંગવા કહ્યું.[1][2]
અહીં બાજુમાં જ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ આવેલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.