From Wikipedia, the free encyclopedia
સામાન્ય રીતે પર્સિયન ગલ્ફ વોર (ઓગસ્ટ 2, 1990 - ફેબ્રુઆરી 28, 1991)ને સાદી ભાષામાં ગલ્ફ વોર તરીકે ઓળખાય છે, જે યુ.એન. (U.N.) અધિકૃત ચોત્રીસ દેશોની સંયુક્ત સેના દ્વારા ઈરાક વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું.
| ||||||||||||||||||||||||||||||
ઢાંચો:Campaignbox Persian Gulf Wars | ||||||||||||||||||||||||||||||
ઢાંચો:Campaignbox Gulf War |
આ યુદ્ધને (ઈરાકના ભૂતપૂર્વ પ્રમુખ સદ્દામ હુસૈન દ્વારા) ધ મધર ઓફ ઓલ બેટલ્સ [12] તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ તરીકે જાણીતું છે, જે તેની જવાબી સૈન્ય કાર્યવાહી માટેનું નામ છે.[13] અથવા તેને પ્રથમ ગલ્ફ વોર અને ઇરાક યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.[14][15][16]
2, ઓગસ્ટ 1990ના રોજ ઈરાકી સેના દ્વારા કુવૈત પર આક્રમણ કરવામાં આવ્યું હતું, જેની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી. અને તાત્કાલિક યુએન (UN) સુરક્ષા પરિષદના સભ્ય દેશો દ્વારા ઈરાક પર આર્થિક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા.
યુ.એસ. (U.S.) પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશે સાઉદી અરબમાં અંદાજે 6 મહિના સુધી અમેરિકી સેના તૈનાત કરી અને અન્ય દેશોને તેમની સેના તેનાત કરવા વિનંતી કરી હતી. દુનિયાના લશ્કરી દેશો ગલ્ફ વોર માટેની સંયુક્ત સેનામાં જોડાયા. આ સંગઠનનની લશ્કરી સેનામાં યુનાઇટેડ સ્ટેટ્સના સૈનિકો બહુમતિ ધરાવતા હતા, સાથે સાઉદી અરેબિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને ઈજિપ્તના સૈનિકો પણ તેમાં સામેલ હતા. આ માટે થયેલા યુએસ (US)$60 બિલિયનના ખર્ચમાંથી અંદાજે યુએસ (US)$40 બિલિયનનો ખર્ચ સાઉદી અરેબિયા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યો.[17]
કુવૈતમાંથી ઇરાકી સેનાને હાંકી કાઢવા માટે પ્રથમ સંઘર્ષ 16 જાન્યુઆરી, 1991ના રોજ હવાઈ તોપમારા સાથે શરૂ થયો. આ સાથે 23 ફેબ્રુઆરીએ જમીની હુમલો કરવામાં આવ્યો. સંયુક્ત સેના માટે આ નિર્ણાયક જીત હતી કે જેણે કુવૈતને ઈરાકના કબ્જામાંથી મુક્ત કર્યું અને ઈરાકી સીમામાં આગળ વધવામાં મદદ કરી. સંયુક્ત સેનાએ અતિક્રમણનો અંત આણ્યો અને 1૦૦ કલાકનો યુદ્ધ વિરામ જાહેર કર્યો, ત્યારબાદ જમીની હુમલો શરૂ કરવામાં આવ્યો.
હવાઈ અને જમીની હુમલાને કારણે ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયાના સરહદીય વિસ્તારો બંધકની સ્થિતિમાં આવી ગયા હતા. જોકે સાઉદી અરેબિયામાં ઈરાકે સંયુક્ત સેના સામે મિસાઈલ દ્વારા વળતો હુમલો કર્યો.
શીત યુદ્ધના દરેક તબક્કે ઈરાક સોવિયત સંઘનું મિત્ર રાષ્ટ્ર રહ્યું હતું તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેની વચ્ચેના સંઘર્ષ પાછળ એક ઇતિહાસ હતો. યુ.એસ. ઈઝરાયેલ-પેલેસ્ટાઇન રાજકારણ મુદ્દે ઈરાનની સ્થિતિ અંગે ચિંતીત હતું અને ઇઝરાયેલ તેમજ ઈજિપ્ત વચ્ચે શાંતિનું વાતાવરણ સર્જાય તે તેને કદાપી પસંદ ન નહોતું.
યુનાઇટેડ સ્ટેટ્સને ઈરાક દ્વારા વિવિધ અરબ અને પેલેસ્ટાઇનના આતંકવાદી જૂથોને પ્રોત્સાહન આપવા સામે નારાજગી હતી, આવા જૂથોમાં અબુ નિદાલ કે જે વિકસશીલ યુ.એસ. (U.S.)માં પોતાની તાકાત વધારી રહ્યા હતા અને તે 29 ડિસેમ્બર, 1979ના રોજ આંતરરાષ્ટ્રીય આંતકવાદના પ્રોત્સાહકોની યાદીમાં સામેલ હતા. ઈરાનના અતિક્રમણ બાદ યુ.એસ. (U.S.)એ ઔપચારિક રીતે પોતાનું તટસ્થ વલણ રાખ્યું, જે ઈરાક-ઈરાન યુદ્ધમાં પરિણમ્યું. આમ છતાં તેણે છૂપી રીતે ઈરાકને સાથ આપ્યો. તેમ છતા માર્ચ 1982માં ઈરાને ઓપરેશન અનડિનાઇબલ વિક્ટરી નામે સફળ વળતો હુમલોકર્યો. અને આ સાથે યુનાઇટેડ સ્ટેટ્સએ ઈરાન દ્વારા તાબે થવાના દબાણમાંથી બચાવ કરવા ઈરાકને પોતાનું સમર્થન વધાર્યું.
એક સંધિમાં યુ.એસ. (U.S.)એ ઈરાક સાથે સંપૂર્ણ કુટનૈતિક સંબંધો જાહેર કર્યા, આ સાથે જ યુ.એસ. (U.S.)માં આતંકવાદ પ્રણેતા દેશોની યાદીમાંથી ઈરાકનું નામ દૂર કરવામાં આવ્યું. કહેવામાં આવે છે કે અમેરિકાની શાસનપદ્ધતિમાં આ સુધારાવાદી વલણ અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ નોએલ કોચના કારણે હતું જેમણે પાછળથી એવું નિવેદન કર્યું હતું કે, “આતંકવાદી પ્રવૃતિઓમાં (ઈરાકીઓના) સામેલ હોવા અંગે કોઈને પણ શંકા નથી.” સાચું કારણ એ હતું કે ઈરાન સામેના યુદ્ધમાં સફળ થવા માટે જ તેમને મદદ કરવામાં આવી હતી.[18]
યુદ્ધમાં ઈરાકને નવી સફળતા મળતાની સાથે ઈરાનના લોકોએ જુલાઈમાં શાંતિ માટેની એક રજૂઆતને ફગાવી દીઘી હતી.. આ તરફ 1982માં ઈરાકમાં હથિયારોના વેપાર એ નોંધપાત્ર સપાટીએ હતો. અવરોધો છતાં અમેરિકા-ઈરાકના સંબંઘો પ્રમાણમાં સારા ચાલી રહ્યા હતા. અબુ નિદાલે બગદાદમાં ઔપચારિક સમર્થન સાથે પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. 1983માં જ્યારે અમેરિકાની વિનંતીથી ઈરાકના પ્રમુખ સદ્દામ હુસૈને આ જૂથને સિરીયા હાંકી કાઢ્યું, ત્યારે રીએગન વહીવટીતંત્રએ સબંધો સારા થાય તે માટે દૂત તરીકે ડોનાલ્ડ રુમ્સફેલ્ડને પ્રમુખ સદ્દામ હુસૈનને મળવા મોકલ્યા હતા.
1988માં ઈરાન દ્વારા યુદ્ધ વિરામ સંધિ કરવામાં આવી., જોકે અત્યાર સુધી ઈરાક દેખીતી રીતે દેવાળીયું થઈ ચૂક્યુ હતું. તેનું મોટાભાગનું દેવું સાઉદી અરેબિયા અને કુવૈત પર હતું. ઈરાકે બંને દેશોને આ દેવું ભૂલી જવા દબાણ કર્યું, જોકે બંને દેશોએ તે નકારી દીધું. ઈરાકે કુવૈત પર પોતાના ઓપેક (OPEC) હિસ્સો વટાવી જવોનો આરોપ પણ મૂક્યો. અને તેલની કિમંતમાં ઘટાડોને દોરી ગયું. આ પછી પણ ઈરાકના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો.
તેલની કિંમતોમાં થયેલા ઘટાડાએ ઈરાકના અર્થતંત્રમાં ઉત્પાત સર્જી દીધો. ઈરાકની સરકારે આ પરિસ્થિતિને આર્થિક યુદ્ધ તરીકે દર્શાવી, આ માટે ઈરાકના સરહદીય વિસ્તાર રુમાલિયા તેલ ક્ષેત્રમાં કુવૈતના ગેરકાયદેસરના ખોદકામને જવાબદાર ઠેરવવામાં આવ્યું.[19]
ઈરાક-કુવૈત વિવાદમાં કુવૈત ઈરાકનો હિસ્સો હોવાનો ઈરાકનો દાવો પણ સામેલ હતો. 1932માં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવ્યા બાદ તુરત જ ઈરાકી સરકારે જાહેર કર્યું કે કુવૈત એ વાસ્તવિક રીતે તો ઈરાકનો જ એક ભાગ હતો. તે સદીઓથી, પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ બ્રિટિશ હકુમત દ્વારા કુવૈતની રચના ન થઈ ત્યાં સુધી, ઈરાકનો જ એક હિસ્સો હતો અને આથી કહેવાયું કે કુવૈત એ બ્રિટિશ સામ્રાજ્યવાદની શોધ હતી.[20] ઈરાકે દાવો કર્યો કે કુવૈત ઓત્તોમાન સલ્તનતના બસરાનો પ્રદેશ હતો. તેના પર અલ-સબાહ રાજવંશ પરિવારનું સાશન હતું. બ્રિટન વિદેશ વિભાગ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવવા તેમણે 1899માં રક્ષિત રાજ્ય સંધિ કરી હતી. બ્રિટને બે દેશો વચ્ચે એક સરહદ ખેંચી આપી અને ઈરાદાપૂર્વક ઈરાકના ખાડી પ્રદેશમાં વધી રહેલા વિસ્તારને અટકાવવાનો પ્રયાસ કર્યો, જેથી કરીને ભવિષ્યમાં ઈરાકની સરકાર પર્સિયન ખાડી વિસ્તારમાં બ્રિટનના પ્રભુત્વ પર કોઈ અસર સર્જી શકે તેવી પરિસ્થિતિમાં ન રહે. ઈરાકે આ સરહદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને 1963 સુધી કુવૈત સરકારને માન્યતા ન આપી.[21]
જુલાઇની શરૂઆતમાં ઈરાકે કુવૈતના વ્યવહાર અંગે ફરિયાદ કરી, જેવી કે તે તેમના પ્રમાણને માન્ય નથી રાખતું અને ખુલ્લી રીતે લશ્કરી પગલા લેવાની ધમકીઓ આપે છે. 23મી તારીખે સીઆઈએ (CIA)એ નોંધ્યું કે ઈરાકે 30,000 જવાનો ઈરાક-કુવૈત સરહદ તરફ ખસેડ્યા હતા અને પર્સિયન ખાડીમાં તૈનાત યુ.એસ. નૌકાસેના દળને અલર્ટ રહેવાનું જણાવવામાં આવ્યું. 25મીના રોજ સદ્દામ હુસૈને અમેરિકન દૂત એપ્રિલ ગ્લાસ્પેઇ સાથે બગદાદમાં મુલાકાત કરી હતી. તે મુલાકાત સંદર્ભેની ઈરાકી નકલ પ્રમાણે ગ્લાસ્પેઇએ ઈરાકી પ્રતિનિધિ મંડળને કહ્યું કે “અરબ-અરબ વિવાદ વિશે અમારો કોઈ અભિપ્રાય નથી.” 31મી ના રોજ, ઈરાક અને કુવૈત વચ્ચેની વાર્તા હિસાંત્મક રીતે ભાંગી પડી હતી.[22]
2 ઓગસ્ટ 1990ના રોજ ઈરાકે કુવૈતની રાજધાની ગણાતા કુવૈત શહેર પર બોમ્બમારા દ્વારા આક્રમણની શરૂઆત કરી. ઈરાકી સાબેર ઉત્સવને કારણે કુવૈતે પોતાનું લશ્કર અલર્ટ પર રાખ્યું ન હતું અને તેઓ ઊંઘતા ઝડપાયા. ઈરાકી જવાનો પહેલા ધીરે ધીરે કુવૈતની સરહદમાં દાખલ થયા અને મોટા જૂથોમાં એકત્ર થયા, જેમણે મધ્યરાત્રી દરમિયાન હુમલોઓ કરવાનું શરૂ કર્યું. ઈરાકી હુમલાના બે મોટા પાસાં હતા, જેમાં પ્રથમ હુમલામાં લશ્કર દક્ષિણમાં સીધે સીધુ કુવૈત શહેર તરફ ગયુ અને મુખ્ય હાઈવે બંધ કર્યો, અને અન્ય મદદરૂપ હુમલો પશ્ચિમ કુવૈતના વિસ્તારો પર કરવામાં આવ્યો, પરંતુ બાદમાં સેના પરત ફરી પૂર્વ સુધી પહોંચી, અને રાજધાની શહેરને દેશના દક્ષિણ વિસ્તારથી છૂટું પાડી દીધું. કુવૈતના સેના પ્રમુખ સાથે 35મી બખ્તર બ્રિગેડને ઈરાકી હુમલા વિરુદ્ધ તૈનાત કરવામાં આવી અને તેઓ પશ્ચિમ કુવૈત શહેરના અલ ઝારા (જુઓ ધ બેટલ ઓફ બ્રિજીસ) નજીક મજબૂત બચાવ કરવામાં સક્ષમ રહ્યા.[23] કુવૈત હવાઈસેનાના વિમાનોએ ઉતાવળે જઈ લશ્કર પર હુમલો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં કુવૈત શહેરનો અંદાજે 20 ટકા જેટલો ભાગ પચાવી લેવાયો હતો. ઈરાકી હેલિકોપ્ટર સાથેના હવાઈ સંઘર્ષમાં હવાઈસેનાએ કુવૈત આખા પર લડાઈ કરી, જેને પરિણામે ઈરાકી સેનાના મહત્વના ભાગને મોટાપાયે નુકસાન પહોચ્યું હતું. આ તરફ ઈરાકની જમીનની સેના વિરુદ્ધની લડાઈ વિશેની ખૂબ થોડી વાતો જ વહેતી થઈ હતી.[24] કુવૈત પરનો સૌથી મોટો ફટકો કમાન્ડો દ્વારા કરવામાં આવેલો હુમલો હતો જે દરમિયાન તેમણે હેલિકોપ્ટર અને બોટ વાટે શહેર પર હુમલો કર્યો, જ્યારે અન્ય ટુકડીઓએ હવાઇ અડ્ડાઓ અને બે એરબેસ પર કબ્જો જમાવ્યો હતો. ઈરાકના જવાનોએ દસમન પેલેસ, અમિર કુવૈતના શાહી વસવાટ, જાબેર અલ-અહેમદ અલ-સબાહ પર આકસ્મિક હુમલો કર્યો, જેનો અમિરી સુરક્ષા જવાનો દ્વારા એમ84 (M84) ટેન્ક દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
આ પ્રક્રિયામાં ઈરાકીઓએ કુવૈતના અમિરના સૌથી મોટા ભાઈ શેખ ફહાદ અલ-અહેમદ અલ-જાબેર અલ-સબાહને મોતને ઘાટ ઉતાર્યા હતા. બે દિવસની ઈરાદાપૂર્વકની લડાઈ બાદ મોટા ભાગની કુવૈતી સેના કા તો ઈરાકી રિપબ્લીકન ગાર્ડ દ્વારા હાંકી કાઢવામાં આવી હતી અથવા તો તેઓ પડોશના સાઉદી અરેબિયામાં નાસી ચૂક્યા હતા. ત્યારબાદ અમિર અને મહત્વના મંત્રીઓ બહાર નીકળવામાં સમર્થ રહ્યા અને સાઉદી અરેબિયામાં આશરો લેવા દક્ષિણ નજીકના હાઈવે પર આગળ આવ્યા. ઈરાકની જમીની સેનાએ કુવૈત શહેર પર પોતાનું નિયંત્રણ મેળવ્યું, ત્યારબાદ દક્ષિણ તરફ આગળ વધી સાઉદી અરેબિયાના સરહદીય વિસ્તારો નજીક ફરી ગોઠવાઈ ગઈ. ઈરાકની આ નિર્ણાયક જીત બાદ સદ્દામ હુસૈન તેમના પિતરાઈ અલી હાસન અલ-માજિદ(કેમિકલ અલી)ને કુવૈતના રાજ્યપાલ તરીકે નિમ્યા.[25]
23 ઓગસ્ટ 1990ના રોજ પ્રમુખ સદ્દામ હુસૈન પશ્ચિમિ બંધકો સાથે રજ્ય ટેલિવિઝન પર નજરે પડ્યા જેમાં તેમણે તેમને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ વીડીયોમાં તેઓ એક નાના બ્રિટિશ બાળક સ્ટુઅર્ટને પાછળથી થબડાવી રહ્યા હતા. ત્યારબાદ સદ્દામે તેમના દુભાષિયા સુદોઉન અલ-ઝબાયદીને પૂછ્યું કે સ્ટુઅર્ટને તેનું દૂધ મળ્યુ છે કે નહીં. સદ્દામ કહેતા ગયા કે "અમને આશા છે કે મહેમાન તરીકેની તમારી હાજરી લાંબા સમય માટે નહીં હોય. અહીં તેમજ અન્ય સ્થળોએ તમારી હાજરીનો મતલબ છે યુદ્ધની સજામાંથી તમારો બચાવ થયો છે."[26]
આક્રમણના ગણતરીના કલાકોમાં કુવૈત અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની બેઠક બોલાવાની માંગ થઈ. પરિષદ દ્વારા ઠરાવ ક્રમાંક 660 પસાર કરવામાં આવ્યો. ઠરાવમાં ઈરાકના આક્રમણને વખોડવામાં આવ્યું અને ઈરાકના સૈન્યને હટાવવાની માગ થઈ. 3 ઓગસ્ટના આરબ રાષ્ટ્રસમૂહ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. જેમાં એવું આહ્વાન કરવામાં આવ્યુ હતું કે, આરબ રાષ્ટ્રસમૂહના માધ્યમથી સંઘર્ષનો ઉકેલ કરવો. વધુમાં બહારની (રાષ્ટ્રો દ્વારા) દરમિયાનગીરી સામે પણ ચેતવણી આપવામાં આવી હતી.. 6 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ ક્રમાંક 661 અંતર્ગત ઈરાક પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા.
ટૂંક સમયમાં, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ દ્વારા ઠરાવ ક્રમાંક 665 પસાર થયો, જેમાં ઈરાક ઉપર આર્થિક નિયંત્રણો લાદવા માટે દરિયાઈ નાકાબંધીને મંજૂરી આપવામાં આવી. ઠરાવમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, ઠરાવ ક્રમાંક 661ના ચુસ્ત પાલન કરવા માટે, "જરૂર પ્રમાણે ચોક્કસ સંજોગોમાં સપ્રમાણમાં પગલાં ઉઠાવવાં...જહાજો તથા તેના નિર્ધારિત મુકામ અંગે ચકાસણી કરવા માટે આવતાં-જતાં દરિયાઈ વ્યવહારને અટકાવવો."[27]
12 ઓગસ્ટ, 1990 ના દિવસે સદ્દામ હુસૈનએ સમાધાન માટે પ્રસ્તાવ રજૂ કર્યો. જેમાં ગેરકાયદેસર રીતે અધિગૃહિત કરવામાં આવેલી આરબ ભૂમિ અને કુવૈતમાંથી ઈરાકી સેનાને ખસેડવાને સાંકળવાનો પ્રસ્તાવ હતો.[28] સિરિયા લેબનોનમાથી હટી જાય તથા વર્ષ 1967માં ઈઝરાયેલ દ્વારા મેળવવામાં આવેલી જમીનનો સમાવેશ થતો હતો.[29] 23 ઓગસ્ટ 1990 ના દિવસે અમેરિકા (U.S.) ના ઉચ્ચ અધિકારીઓએ ઈરાકનો વધુ એક પ્રસ્તાવ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રેન્ટ સ્ક્વોરોફ્ટને સુપ્રત કર્યો હતો. જેની પુષ્ટિ તેને પહોંચાડનારા જાસૂસ દ્વારા કરવામા આવી હતી. 29 ઓગસ્ટ, 1990ના દિવસે કૂન્ત રૉયસના લેખ દ્વારા પ્રસ્તાવ જનતા સમક્ષ આવ્યો હતો. જેને ન્યૂયોર્કના પરાવિસ્તારના અખબાર ન્યૂઝડે દ્વરા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.[30] આ પ્રક્રિયામાં સામેલ સૂત્રો અને દસ્તાવેજો પ્રમાણે, ઈરાકે કુવૈતમાંથી ખસી જવાની અને વિદેશીઓને છોડવાના બદલામાં પ્રતિબંધોને ઉઠાવી લેવાની, પર્સિયન ખાડીમાં પ્રવેશવાની ખાતરી અને રૂમાયલ્લાહ તેલભંડાર પર પૂર્ણ નિયંત્રણની માગ કરી હતી. રૂમાયલ્લાહ તેલભંડાર, "જે ઈરાકથી થોડો કુવૈતની સીમામાં આવેલો હતો." (રૉયસ), આ તેલભંડાર વિવાદાસ્પદ સરહદથી લગભગ બે માઈલ આગળ હતો.[31]
રૉયસ્ દ્વારા ટાંકવામાં આવેલા પ્રસ્તાવની અન્ય શરતો પ્રમાણે, ઈરાક અને યુ.એસ. (U.S.) એક તેલ કરાર પર વાટાઘાટો કરે, " જે બંને દેશોને સમાધાનકારક રાષ્ટ્રીય સુરક્ષા હિતોને અનુરૂપ," "અખાત વિસ્તારની સ્થિરતા માટે સંયુક્ત રીતે કામ કરવું," અને "ઈરાકની આર્થિક તથા નાણાંકીય સમસ્યાઓને દૂર કરવા માટે" સંયુક્ત રૂપરેખા ઘડવી.[32] પ્રસ્તાવમાં યુ.એસ. (U.S.) એ સાઉદી અરેબિયામાંથી ખસી જવું, કે અન્ય પૂર્વશરતોનો કોઈ ઉલ્લેખ ન હતો. બુશના વહિવટીતંત્રમાં મધ્યપૂર્વીય બાબતોના નિષ્ણાત અધિકારીએ આ પ્રસ્તાવને "ગંભીર" અને "વાટાઘાટ માટે યોગ્ય" ઠેરવ્યો હતો.[33] (જુઓ નોંધ ક્રમાંક 88) સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન[34][35][36]
વર્ષ 1990ના ડિસેમ્બર માસના અંત ભાગમા, ઈરાક દ્વારા વધુ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેની જાહેરાત અમેરિકા (U.S.) ના અધિકારીઓ દ્વારા 2 જાન્યુઆરી, 1991ના દિવસે કરવામાં આવી હતી. પ્રસ્તાવ મુજબ "અમેરિકા દ્વારા ખાતરી આપવામાં આવે કે કુવૈતમાંથી સેના હટાવી લીધા બાદ ઈરાક ઉપર હુમલો કરવામાં નહીં આવે, પેલેસ્ટાઈનની સમસ્યા પર કરાર કરવામાં આવે અને આ વિસ્તારમાં સામૂહિક વિનાશના હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવે."[37] અધિકારીઓએ આ પ્રસ્તાવને "રસપ્રદ," ઠેરવ્યો કારણકે તેમાં સીમાને લગતા મુદ્દા પડતા મૂકવામાં આવ્યા હતા અને "વાટાઘાટો દ્વારા સમાધાન લાવવામાં ઈરાકના સંકેત" સમાન હતું.[38] અમેરિકાના વહિવટી તંત્રના મધ્યપૂર્વીય બાબતોના નિષ્ણાતએ આ પ્રસ્તાવને "વાટાઘાટો પૂર્વેની ગંભીર સ્થિતિ" તરીકે વર્ણવ્યો હતો.[39]
જોકે, 3જી જાન્યુઆરી, 1991 ના, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, પી.એલ.ઓ. (P.L.O.)ના નેતા યાસર અરાફાતે સદ્દામ હુસૈન સાથે મસલતો કર્યા બાદ એવા અણસાર આપ્યા હતા કે, બંને માંથી કોઈએ "એવો આગ્રહ નથી કર્યો કે, કુવૈતમાંથી ઈરાકની સેના હટે, તે પહેલાં પેલેસ્ટાઈનની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે." અરાફાતના કહેવા પ્રમાણે, "12 ઓગસ્ટના, હુસૈનના નિવેદનમાં, ઈરાકની સેનાને પાછી ખેંચવા માટે ગાઝા પટ્ટી અને પશ્ચિમી તટમાંથી ઈઝરાયેલના ખસી જવાની વાટાઘાટ માટેની અગાઉની શરત ત્યજી દેવામાં આવી છે". આ માટે જરૂરી છે કે, "સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો દ્વારા મજબૂત કડીની ખાતરી આપવામાં આવે. તેઓ ખાડીની સમસ્યાને ઉકેલશે, મધ્ય પૂર્વમાં અને ખાસ કરીને પેલેસ્ટાઈનની સમસ્યા".[40]
ન્યૂયોર્ક ટાઈમ્સના થૉમસ ફ્રિડમેનના મતે, "વાટાઘાટો માટેનો માર્ગ ખોલવા માટેના ઈરાકના પ્રસ્તાવને તત્કાલ નકારવાની પ્રક્રિયા "ધીમે-ધીમે" થઈ કારણ કે, ઈરાક દ્વારા (કુવૈતમાંથી) સેના હટાવવા માટેની શરતોની વાટાઘાટોમાં સામેલ થવું જોઈએ કે નહીં તે અંગે અમેરિકા દુવિધામાં હતું. કારણ કે, તણાવને દૂર કરવા માટે તથા કુવૈતમાંથી સેના પાછી ખેંચી લેવાના બદલામાં, ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને થોડો લાભ આપવાથી અમેરિકાના આરબ સહયોગી રાષ્ટ્રો સંભવતઃ દબાણ અનુભવે. કુવૈતમાંથી અતિક્રમણ પાછું ખેંચવામાં આવ્યું અને સંઘર્ષનો તણાવ ઓછો થયો.[41]
તા. 14 જાન્યુઆરી, 1991 ના ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, સંયુક્ત રાષ્ટ્રો (U.N) ની સુરક્ષા પરિષદ કુવૈતમાંથી "ઝડપી અને જંગી ધોરણે સેના હટાવવાના" પક્ષમાં છે. ઈરાકના નિવેદનના અનુસંધાને જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા આરબ જગતમાં પ્રવર્તમાન અન્ય સમસ્યાઓના સમાધાન માટે પરિષદના સભ્યો દ્વારા "સક્રિય પ્રદાન" આપવામાં આવશે, ખાસ કરીને આરબ-ઈઝરાયેલ સંઘર્ષ અને ખાસ કરીને પેલેસ્ટાઈનની સમસ્યાના ઉકેલ માટે યોગ્ય સમયે આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવશે, જેથી "જગતના આ વિસ્તારની સુરક્ષા, સ્થિરતા અને વિકાસની" ખાતરી થઈ શકે. ફ્રાન્સના આ પ્રસ્તાવનું બેલ્જીયમ (જે એ સમયે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય હતું.) અને જર્મની, સ્પેન, ઈટાલી, અલ્જેરિયા, મોરક્કો, ટ્યુનેશિયા તથા અન્ય બિન-જોડાણવાદી દેશો દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું યુ.એસ. (U.S.) અને બ્રિટન દ્વારા (આ સાથે સોવિયેત સંઘ દ્વારા, અપ્રસ્તુત રીતે) તેને નકારવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર (U.N.) ખાતે અમેરિકાના પ્રતિનિધિ થૉમસ પિકરિંગએ એવું કહ્યું હતું કે, ફ્રાન્સનો પ્રસ્તાવ અસ્વિકાર્ય હતો. કારણકે, તે ઈરાકના આક્રમણના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રો (U.N.) નીસુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવેલા ઠરાવોની સિમાને પાર કરતો હતો.[42][43][44]
સાઉદી અરેબિયા માટે ઈરાક મોટા ખતરા સમાન હતું, જે પશ્ચિમી દેશોની મુખ્ય ચિંતામાંની એક હતી. કુવૈત પર વિજયના પગલે, ઈરાકી સેના સહેલાઈથી સાઉદી અરેબિયાના તેલભંડારો પર હુમલો કરી શકે તેમ હતી. કુવૈત અને ઈરાકના તેલભંડારો ઉપરાંત સાઉદી અરેબિયાના તેલભંડારો પર કાબૂ થઈ જાય તો હુસૈનના હાથમાં વિશ્વના મોટાભાગના તેલભંડારનો કાબુ આવી જાય. સાઉદી અરેબિયા માટે ઈરાકને અનેક તકરારો હતી. ઈરાન સાથેના યુદ્ધ સમયે સાઉદી અરેબિયાએ ઈરાકને 26 અબજ ડૉલર આપ્યાં હતા. સાઉદી દ્વારા ઈરાકને ટેકો આપવામાં આવ્યો હતો, કારણકે, સાઉદીને ભીતિ હતી કે, તેનો લઘુમતિ શિયા સમુદાય, શિયા ઈરાનની ઈસ્લામિક ક્રાંતિની અસર હેઠળ આવી શકે છે. (સાઉદીના મોટાભાગના તેલભંડારો શિયા સમુદાયની બહુમતિવાળા વિસ્તારોમાં આવેલા છે.) યુદ્ધ પછી, સદ્દામને લાગ્યું હતું કે, તેણે લોન ચૂક્તે કરવાની જરૂર નથી, કારણ કે, ઈરાનને અટકાવીને તેણે સાઉદીની મદદ કરી હતી.
કુવૈત પરના આક્રમણ પછી, હુસૈને સાઉદી હકૂમત પર શાબ્દિક પ્રહારો શરૂ કરી દીધા હતા. એવી દલીલ કરી હતી કે, અમેરિકા (U.S.)નું સમર્થન પ્રાપ્ત સાઉદી રાષ્ટ્ર, મક્કા અને મદિના જેવા પવિત્ર શહેરોનું નિરર્થક અને ગેરકાયદેસરનું માલિક બની ગયું છે. સદ્દામની ભાષામાં, તાજેતરમાં અફઘાનિસ્તાનમાં લડનારા ઈસ્લામી જૂથો અને ઈરાનની છાંટ હતી. જે લાંબા સમયથી સાઉદી પર શાબ્દિક પ્રહારો કરતું હતું.[45]
કાર્ટર સિદ્ધાંત પર આધારિત નીતિ પર કામ કરતા, અને સાઉદી અરેબિયા ઉપર ઈરાકી સેના આક્રમણ કરી શકે છે, તેવી ભીતિથી, અમેરિકાના (U.S.) રાષ્ટ્રપતિ જ્યોર્જ.એચ. ડબલ્યુ બુશે તાત્કાલિક જાહેરાત કરી હતી કે, અમેરિકા (U.S.) ઈરાક દ્વારા સાઉદી અરેબિયા પર આક્રમણ કરવામાં ન આવે તે હેતુથી "પૂર્ણપણે સંરક્ષાત્મક" અભિયાન હાથ ધરશે. જેને ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ એવું ગુપ્ત નામ આપવામાં આવ્યું હતું. તા. 7 ઓગસ્ટ 1990ના ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ શરૂ થયું. યુ.એસ. (U.S.) દ્વારા સાઉદી અરેબિયા ખાતે સેના મોકલવામાં આવી. આ પહેલા સાઉદી અરેબિયાના રાજા ફહાદએ પણ યુ.એસ. (U.S.)ની લશ્કરી સહાયની માગ કરી હતી.[46] તા. 8 ઓગસ્ટના દિવસે, "પૂર્ણપણે સંરક્ષણાત્મક" સિદ્ધાંતનો તાત્કાલિક ત્યાગ કરવામાં આવ્યો, ઈરાકે કુવૈતને ઈરાકના 19મા પ્રાંત તરીકે ઘોષિત કર્યો અને સદ્દામ હુસૈને તેના પિત્રાઈ અલી હસન અલગ-મજીતને ત્યાંનો લશ્કરી-શાસક જાહેર કર્યો.[47]
અમેરિકાના નૌકાદળ દ્વારા બે નૌકાકાફલા, વિમાનવાહક જહાજો યુએસએસ(USS) ડ્વાઇટ ડી. આઇઝેનહોવર , યુએસએસ ઈન્ડિપેન્ડન્સ અને તેમની રક્ષા માટે અન્ય જહાજોને, આ વિસ્તાર તરફ રવાના કરવામાં આવ્યા. તેઓ 8 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ ગયા હતા. વર્જિનિયાના લેંગ્લી વાયુદળ મથક પરથી, યુ.એસ. (U.S.)ના વાયુદળની પહેલી લડાઈ પાંખના 48, એફ-15(F-15)વિમાનો, સાઉદી અરેબિયા ખાતે ઉતર્યા. આ વિમાનોએ તાત્કાલિક અસરથી સાઉદી-કુવૈત-ઈરાકના સરહદી વિસ્તારો પર સતત હવાઈ નિરીક્ષણ શરૂ કરી દીધું. જેથી આ વિસ્તારમાં ઈરાકના લશ્કરની આગેકૂચને અટકાવી શકાય. યુ.એસ. (U.S) દ્વારા યુએસએસ (USS) મિઝોરી અને યુએસએસ (USS) વિસ્કોનસર જેવા યુદ્ધ જહાજોને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા. આ રીતે લશ્કરની સંખ્યા વધતી ગઈ, જે એક સમયે 5,43,000 સૈનિકો સુધી પહોંચી ગઈ. જે વર્ષ 2003માં ઈરાક પર કરવામાં આવેલા આક્રમણ કરતાં બમણી સંખ્યા હતી. મોટાભાગનો સામાન હવાઈ માર્ગે અથવા તો ઝડપી જહાજો દ્વારા આ વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.
સદ્દામ હુસૈનના ઇરાક દ્વારા કુવૈત પર આક્રમણના સંદર્ભમાં એક શ્રેણીના સંયુક્ત રાષ્ટ્રો (UN)ના સુરક્ષા પરિષદના ઠરાવો અને આરબ રાષ્ટ્રસમૂહના સંખ્યાબંધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. 29 નવેમ્બર 1990ના દિવસે પસાર કરવામાં આવેલો ઠરાવ ક્રમાંક 678 મહત્વપૂર્ણ હતો. જેમાં તા. 15 જાન્યુઆરી 1991 સુધીમાં ઈરાકને સેના હટાવી લેવાની મહેતલ આપવામાં આવી હતી. જો ઈરાક દ્વારા તેનું પાલન કરવામાં ન આવે તો , "ઠરાવ ક્રમાંક 660ના પાલન માટે જરૂરી તમામ વિકલ્પો" અપનાવવાની સત્તા આપવામાં આવી હતી. જેમાં સૈન્ય વિકલ્પનો પણ સમાવેશ થાય છે.[48]
અમેરિકાએ, ઈરકાના હુમલાનો વિરોધ કરવા માટે સંયુક્ત સેના દળોને એકઠાં કર્યા. જેમાં 34 રાષ્ટ્રના સૈન્યનો સમાવેશ થતો હતો: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેહરિન, બાંગ્લાદેશ, બેલ્જિયમ,કેનેડા, ડેનમાર્ક, ઈજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, ઈટાલી, કુવૈત, મોરક્કો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નાઈજર, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, પોર્ટુગલ, કતાર, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સિએરા લિઓન, સિંગાપુર, સ્પેન, સિરિયા, યુનાઈટેડ આરબ અમિરાત, યુનાઇટેડ કિંગ્ડમ અને ખુદ યુનાઇટેડ સ્ટેટ્સ.[49]
જાપાન અને જર્મનીએ સૈન્ય મોકલ્યું ન હતું,આમ છતાં, જાપાન એ કુલ $10 બિલિયનની અને જર્મનીએ કુલ $6.6 બિલિયનની સહાયતા કરી હતી. ઈરાકમાં રહેલા 9,56,600 સંયુક્ત સેનાના જવાનોમાંથી 73% સૈનિકો યુ.એસ.(U.S.)ના હતા.
સંયુક્ત સેનામાં જોડાવા માટે અનેક રાષ્ટ્રો રાજી ન હતા. કેટલાંક [રાષ્ટ્રો] માનતા હતા કે, આ યુદ્ધ આરબ લોકોની આંતરિક બાબત છે અથવા તો તેનાથી મધ્ય-પૂર્વમાં યુ.એસ. (U.S.)ની દખલ વધશે. જોકે, અંતે, ઈરાકની અન્ય રાષ્ટ્રો તરફની યુદ્ધરૂઢતા, આર્થિક સહાય કે દેવા માફી જેવા પ્રસ્તાવો, અને સહાય રોકવાની ચિમકી દ્વારા અનેક રાષ્ટ્રોને મનાવી લેવામાં આવ્યા હતા.[50]
આ સંઘર્ષમાં સામેલ થવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સાર્વજનિકપણે અનેક કારણો આપવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોટું કારણ ઈરાક દ્વારા કુવૈતની અખંડિતાનો ભંગ મુખ્ય હતું. વધુમાં, અમેરિકા મિત્ર રાષ્ટ્ર સાઉદી અરેબિયા માટે સક્રિય બન્યું, આ વિસ્તારમાં તેના પ્રભુત્વ અને તેલ પૂરું પાડતું મહત્વનું રાષ્ટ્ર હતું, જેથી તેનું ભૌગોલિક રાજનૈતિક મહત્વ વધી ગયું હતું. ઈરાકના આક્રમણના ટૂંક સમયમાં, રક્ષા સચિવ ડિક ચેન્નીએ સાઉદી અરેબિયાની પ્રથમ મુલાકાત લીધી હતી. આગળ જતા તેમણે સાઉદી અરેબિયાની અનેક મુલાકાતો લીધી. આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના રાજા ફહાદે યુએસ (US)ની લશ્કરી સહાયની માગ કરી. તા. 11 સપ્ટેમ્બર 1990ના યુ.એસ. (U.S.) ની કોંગ્રેસના વિશેષ સંયુક્ત સત્રમાં યુ.એસ. (U.S.)ના રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશે આ ટિપ્પણી સાથે કારણોની ચર્ચા પૂરી કરી હતી: "ત્રણ દિવસમાં, 1,20,000 ઈરાકી સૈનિકો 850 ટેન્કો સાથે કુવૈત પર ધસી ગયા અને સાઉદી અરેબિયાને ડરાવવાના હેતુસર દક્ષિણમાં ધસી ગયા .ત્યારે મેં આ આક્રમણને અટકાવવાનો નિર્ણય લીધો ."[51]
આ માહિતીની સત્યતા માટે, પેન્ટાગોન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાકના દળો સરહદ પર એકઠાં થઈ રહ્યાં હોવાની સેટેલાઈટ તસવીરો છે, જોકે, પાછળથી તે નક્લી હોવાનું બહાર આવ્યું હતું એ સમયે વ્યવસાયિક ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો સેન્ટ પિટ્સબર્ગ ટાઈમ્સ ના પત્રકારે હાંસલ કરી હતી. જેમાં માત્ર રણ સિવાય કશું દેખાતું ન હતું.[52]
અન્ય કેટલાક તર્કો દ્વારા વિદેશીઓની દખલને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના શાસનવાળા ઈરાકમાં માનવાધિકારના ભંગનો પણ સમાવેશ થાય છે. ઈરાક પાસે જૈવિક અને રાસાયણિક હથિયાર હોવાનુ જગજાહેર હતું. જેનો ઉપયોગ સદ્દામે ઈરાક-ઈરાન યુદ્ધ સમયે ઇરાનની સેનાની વિરૂદ્ધ અને અલ-અન્ફાલ સંઘર્ષ દરમિયાન ખુદ પોતાના દેશની કૂર્દ વસતી વિરૂદ્ધ તેનો ઉપયોગ કર્યો હતો. એવું પણ માનવામાં આવતું હતુંકે, ઈરાક અણુશસ્ત્રો વિકસાવવાનો કાર્યક્રમ ધરાવે છે.
કુવૈત પરી ચડાઈ દરમિયાન ઈરાકી સેના દ્વારા માનવાધિકાર ભંગના અનેક કિસ્સા નોંધાયેલા છે. આમ છતાં, અમેરિકામાં જાણીતા બનેલા કેટલાક કિસ્સાઓ એક જનસંપર્ક સંસ્થા દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યા હતા. જેને કુવૈતની સરકાર દ્વારા રોકવામાં આવી હતી. જેથી કરીને, લશ્કરી સહાય માટે યુ.એસ. (U.S.)માં લોકમત ઊભો કરી શકાય. કુવૈત પર ઈરાકના આક્રમણના ટૂંક સમયમાં, યુ.એસ. (U.S.)માં સિટિઝન્સ ફોર અ ફ્રી કુવૈત નામના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ સંસ્થાએ $11 મિલિયનના ખર્ચે જનસંપર્ક કરતી પેઢી હિલ એન્ડ ક્નોલ્ટનને રોકી હતી. જેનું ચૂકવણું કુવૈતની સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.[53]
યુ.એસ. (U.S.)ના અભિપ્રાય ઉપર અસર ઊભી કરવા માટે અપનાવવામાં આવેલા અન્ય કેટલાક રસ્તાઓમાં(આ વિસ્તારમાં તૈનાત યુ.એસ. (U.S.)ના સૈનિકોમાં ઈરાકના અત્યાચારની પુસ્તિકાઓનું વિતરણ, 'ફ્રી કુવૈત' ટીશર્ટ, કોલેજોમાં વ્યાખ્યાન, અને ટેલિવિઝન કેન્દ્રોને ડઝનબંધ વીડિયો ન્યૂઝ પૂરા પાડવા), જનસંપર્ક સંસ્થા દ્વારા યુ.એસ. (U.S.)ની મહાસભાના કેટલાક સભ્યો સમક્ષ એક મહિલાને રજૂ કરવામાં આવી. મહિલાના કહેવા પ્રમાણે, તે કુવૈત સિટી હોસ્ટિપલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેણે ઈરાકના સૈનિકો દ્વારા કેવી રીતે શિશુઓને ઈન્ક્યુબેટર્સમાંથી બહાર કાઢીને મરવા માટે જમીન પર છોડી દેવામાં આવ્યા હતા તેનો ચિતાર આપ્યો.
આ કથાએ, ઈરાક સાથે યુદ્ધ માટે કોંગ્રેસ અને જનતાનો મત ઊભો કર્યો. છ સાંસદોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ઈરાક સામેની લશ્કરી કાર્યવાહીને સમર્થન આપવા માટે જુબાની પુરતી છે. ચર્ચા દરમિયાન સાત સાંસદોએ આ જુબાનીને ટાંકી હતી. 52 વિ. 47 મતથી સેનેટ દ્વારા લશ્કરી કાર્યવાહીને સમર્થન આપવામાં આવ્યું. જોકે, યુદ્ધના એક વર્ષ પછી, આ જુબાની ઉપજાવી કાઢવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જુબાની આપનારી મહિલા કુવૈતના રાજ પરિવારની સભ્ય હોવાનું બહાર આવ્યું હતું. વાસ્તવમાં તે, યુ.એસ. (U.S.) ખાતે કુવૈતના રાજદૂતની પુત્રી હતી.[54] કુવૈત પર ઈરાકના હુમલા દરમિયાન તે કુવૈતમાં રહેતી પણ ન હતી
ઈન્ક્યુબેટર જુબાની સહિતની હિલ એન્ડ ક્નોલ્ટન જનસંપર્ક અભિયાનની વિગતો, જ્હોન આર. મેકાર્થરની સેકન્ડ ફ્રન્ટ: સેન્સરશિપ એન્ડ પ્રૉપગેન્ડા ઈન ધ ગલ્ફ વોર (બર્કલી, સીએ: યુનિવર્સિટી ઑફ સીએ પ્રેસ, 1992)માં પ્રકાશિત કરવામાં આવી હતી. મેકાર્થર દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સ ના સંપાદકીય લેખની સામેની બાજુએ લખવામાં આવેલા લેખ દ્વારા લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું. એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા, મૂળતઃ ખોટી જુબાની પછી ઈન્ક્યુબેટર્સમાંથી બહાર કાઢીને મોતને ઘાટ ઉતારાયેલા બાળકો અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલા આંકડા મૂળતઃ ખોટી જુબાની કરતાં અનેક ગણાં વધારે હતા. જોકે, તેના સમર્થમાં કોઈ પૂરાવા ન મળતાં, સંસ્થા દ્વારા તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશએ પણ ટેલિવિઝન પર ઈન્ક્યુબેટરના આક્ષેપોનો પુનઃચ્ચાર કર્યો હતો
બીજી તરફ, કુવૈત પરના કબ્જા દરમિયાન ઈરાકી સેના દ્વારા અનેક ગુના આચરવામાં આવ્યા હતા. જે વ્યવસ્થિત રીતે નોંધાયેલા છે. જેમા કોઈપણ ખટલાં વગર ત્રણ ભાઈઓની હત્યાનો પણ સમાવેશ થાય છે. જાહેર રસ્તા પર તેમની લાશોનો ઢગલો કરીને તેને સડવા માટે છોડી દેવામાં આવી હતી. [55] ઈરાકી સેના દ્વારા કુવૈતવાસીઓના ખાનગી ઘરોમાં લૂંટ ચલાવવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં એક ઘરને વારંવાર ક્ષતિ પહોંચી હતી.[56] આ ઘરના રહેવાસીએ પાછળથી ટિપ્પણી કરી હતી કે, "આ સમગ્ર પ્રકરણ હિંસા માટે હિંસા, વિનાશ માટે વિનાશ છે. જાણે, અતિવાસ્તવવાદી ચિત્રકાર સાલ્વાદોર ડાલીનું ચિત્ર ન હોય." [57]
17 જાન્યુઆરી 1991ના સઘન હવાઈ આક્રમણ દ્વારા પર્સિયન ગલ્ફ વૉરનો આરંભ થયો. સંયુક્ત સેનાએ 100,000 કરતા વધારે હુમલા કર્યા અને 88,500 ટન બોમ્બ ફેંક્યા,[58] જેના કારણે મોટાપાયા પર નાગરિક અને લશ્કરી માળખાનો નાશ થયો હતો.[59] અમેરિકાના વાયુદળના યુએસએએફ (USAF) લેફ્ટનન્ટ જનરલ ચક હૉર્નરએ હવાઈ આક્રમણનું નેતૃત્વ કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્ની યુ.એસ. (U.S.) સંયુક્ત કમાનના જનરલ સ્ક્વાર્ઝકોફ અમેરિકામાં હતા, એ અરસામાં તેઓ થોડા સમય માટે અમેરિકા (U.S.)ની સંયુક્ત કમાનના કમાન્ડર-ઈન-ચીફ-ફોરવર્ડ તરીકે કામગીરી બજાવી હતી.
ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ ના ગુપ્ત નામ હેઠળ સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું, ઠરાવ ક્રમાંક 678માં નિર્ધારિત કરવામાં આવેલી મહેતલના એક દિવસ પછી, સંગઠીત રાષ્ટ્રોની સેનાએ સઘન હવાઈ આક્રમણ હાથ ધર્યું. ઈરાકના વાયુદળ અને વિમાન-વિરોધી હથિયારોને તોડી પાડવાની સંયુક્ત સેનાની પ્રાથમિકતા હતી. મોટાભાગના હવાઈ આક્રમણો સાઉદી અરેબિયા અને પર્સિયન ખાડી તથા રાતા સમુદ્રમાં તૈનાત સંયુક્ત સેનાના છ વિમાનવાહક જહાજ સમૂહો સીવીબીજી (CVBG))માંથી કરવામાં આવ્યા હતા.
સંયુક્ત સેનાનું બીજું નિશાન નિયંત્રણ મથકો અને સંદેશાવ્યવહારની સવલતો હતી. ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન સદ્દામ હુસૈને ખૂબજ બારિકાઈથી ઈરાકની સૈનાને ગોઠવી હતી, અને નીચેના તબક્કામાં પહેલને પરાવૃત્ત કરી દીધી હતી. સંયુક્ત સેનાની વ્યૂહરચના ઘડનારાઓને આશા હતી કે, આદેશ અને નિયંત્રણના અભાવે ઈરાકી સેના પ્રતિકાર નહીં કરી શકે.
હવાઈ આક્રમણના ત્રીજા અને સૌથી મોટા તબક્કામાં ઈરાક અને કુવૈતમાં સૈન્યને નિશાન બનાવવામાં આવ્યું હતું: જેમાં, સ્કડ મિસાઈલ લોન્ચર, શસ્ત્ર સંશોધન મથકો અને નૌકાદળ પ્રમુખ હતા. સંયુક્ત સેનાની એક તૃત્તિયાંશ તાકતને સ્કડ ઉપર હુમલો કરવા માટે લગાડવામાં આવી હતી. કેટલીક સ્કડ મિસાઈલો ટ્રક પર લાદવામાં આવેલી હતી, આથી તેને શોધવી મુશ્કેલ હતી. યુ.એસ. (U.S.) અને બ્રિટનની કેટલીક વિશેષ ટૂક્ડીઓને ગુપ્ત રીતે પશ્ચિમ ઈરાકમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તેઓ સ્કડ મિસાઈલની શોધમાં અને તેનો નાશ કરવામાં મદદ કરી શકે.
જોકે, આશ્ચર્યજનક રીતે, મેનપેડ(MANPAD)સહિતની ઈરાકની વિમાનવિરોધી રક્ષાપ્રણાલી સંયુક્ત સેનાના વિમાનો વિરૂદ્ધ બિનઅસરકારક રહી હતી. 100,000 કરતા વધુ હવાઈ હુમલાઓમાં માત્ર 75 વિમાનો જ જમીનદોસ્ત થયા હતા, જેમાંથી માત્ર 44 જ ઈરાક દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઈરાક દ્વારા જમીન પરથી કરવામાં આવેલા ગોળીબારથી બચવા જતાં બે વિમાનો એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.[60][61] આવા એક નુકસાનની પુષ્ટિ એર-એર વિક્ટરીમાં કરવામાં આવી છે.[62]
ઈરાકની સરકારે ઘોષણા કરી હતી કે, જો તેમની ઉપર હુમલો કરવામાં આવશે તો તેઓ ઈઝરાયેલ ઉપર આક્રમણ કરશે. યુદ્ધની શરૂઆત પહેલા, ઈરાકના અંગ્રેજી-બોલતા વિદેશપ્રધાન અને નાયબ વડાપ્રધાન એવાં, તારિક અઝિઝને, જીનિવા ખાતેની યુ.એસ.(U.S)-ઈરાક શાંતિવાર્તા નિષ્ફળ રહેતાં, સ્વિત્ઝરલેન્ડના એક પત્રકાર દ્વારા પુછવામાં આવ્યું હતું કે, "વિદેશપ્રધાન સાહેબ, જો યુદ્ધ શરૂ થાય....તો તમે ઈઝરાયેલ પર હુમલો કરશો?" તેમનો (તારિક અઝિઝનો) જવાબ હતો, "હા,ચોક્કસ, હા ".[63][64]
શરૂઆતી આક્રમણો પછી, ઈરાકના સરકારી રેડિયો દ્વારા એક સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. જેનો અવાજ સદ્દામ હુસૈનનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં સદ્દામ હુસૈને ઘોષણા કરી હતીકે, "તમામ યુદ્ધોની માતા એવા મહાન યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. મહાન યુદ્ધના અંતિમ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. વિજયની કિરણો નજીક આવી રહી છે. બીજા દિવસે, ઈરાક દ્વારા ફેરફાર કરાયેલી આઠ સ્કડ મિસાઈલ્સ ઈઝરાયેલ પર છોડવામાં આવી. યુદ્ધના છ અઠવાડિયા દરમિયાન મિસાઈલ હુમલાઓનો સીલસીલો યથાવત રહ્યો.
ઈરાકને આશા હતી કે, હુમલાના પગલે ઈઝરાયેલ પણ આ યુદ્ધમાં સામેલ થશે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, જો આમ થશે તો અનેક આરબ રાષ્ટ્રો સંગઠનમાંથી ખસી જશે, કારણ કે, તેઓ ઈઝરાયેલની પડખે રહીને યુદ્ધ લડવા માટે તૈયાર નહીં થાય.[સંદર્ભ આપો]યુનાઇટેડ સ્ટેટ્સની વિનંતીના પગલે, ઈઝરાયેલ આ યુદ્ધમાં જોડાયું નહીં.. આથી, તમામ આરબ રાષ્ટ્રો સંગઠનમાં જોડાઈ રહ્યાં. દાહરાન મિસાઈલ હુમલા દરમિયાન સ્કડ મિસાઈલની તાકતનો પરચો મળ્યો હતો, જેમાં યુ.એસ. (U.S)ના 28 સૈનિકોના મોત થયા હતા.
જોકે, ઈઝરાયેલને નિશાન બનાવીને છોડવામાં આવેલી સ્કડ મિસાઈલો પ્રમાણમાં બિન-અસરકારક રહી હતી. ખૂબ જ દૂરથી મિસાઈલ્સ છોડવાના કારણે, તેની ચોક્કસતા અને વહનક્ષમતામાં નાટ્યાત્મક રીતે ઘટાડો આવ્યો હતો. તેમ છતાં, ઈઝરાયેલ પર ત્રાટકેલી 39 મિસાઈલ્સના કારણે મોટાપાયા પર સંપત્તિનું નુકસાન થયું અને બે લોકોના મોત થયા. રસાયણિક તત્વો ધરાવતી મિસાઈલ માનવવસ્તી પર પડે તેવા સંજોગો માટે ઈઝરાયેલની સરકાર દ્વારા નાગરિકોને ગેસ માસ્ક આપવામાં આવ્યા હતા. સ્કડ મિસાઈલ ત્રાટકી રહી છે, તેવી ભયસૂચક ચેતવણી મળતા, ઈઝરાયેલના નાગરિકો ગેસ માસ્ક પહેરીને પોતાનો બચાવ કરતાં હતા.
મિસાઈલ હુમલાને હવામાં જ તોડી પાડવા માટે અમેરિકા દ્વારા ઈઝરાયેલમાં બે પેટ્રિઅટ મિસાઈલ બટાલિયન તૈનાત કરવામાં આવી, અને નેધરલેન્ડએ એક પેટ્રિએટ સ્ક્વૉર્ડન મોકલવામાં આવી હતી. ઈરાકના રણપ્રદેશમાં "સ્કડની શોધખોળ-શિકાર" માટે મિત્ર રાષ્ટ્રોની વાયુસેના દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી હતી. રણપ્રદેશમાં છૂપાયેલા ટ્રક સાઉદી અરેબિયા કે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કરે તે પહેલા તેને શોધી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.
તા. 22 જાન્યુઆરી 1991 ના દિવસે ત્રણ સ્કડ મિસાઈલ અને પેટ્રિએટ મિસાઈલ વચ્ચે બરાબર ટક્કર ન થતાં, તે ઈઝરાયેલના રામત ગન વિસ્તારમાં ખાબકી હતી. જેના કારણે, 96 લોકોને ઈજા પહોંચી હતી અને કદાચ ત્રણ વૃદ્ધોના મોતનું કારણ બની હતી, જેમના મોત હૃદયરોગના હુમલાથી થયા હતા.
અગાઉના 40 વર્ષથી ઈઝરાયેલની નીતિ પ્રતિકારની જ રહી હતી. પરંતુ સ્કડ મિસાઈલ્સના આક્રમણ પછી, ઈઝરાયેલના વડાપ્રધાન યેત્ઝાક શામિરેએ આત્મસંયમ રાખ્યો. સંઘર્ષમાંથી બહાર રહેવાની અમેરિકાની વિનંતીના પગલે તેઓ (શામિર) વળતો હુમલો ન કરવા માટે સહમત થયાં.[65] યુ.એસ. (U.S.)ની સરકારને ચિંતા હતી કે, ઈઝરાયેલના કોઈપણ પગલાંના કારણે તેને મિત્રરાષ્ટ્રો ગુમાવવા પડશે અને તેનાથી સંઘર્ષમાં વધારો થશે. ઈઝરાયેલના વાયુદળ (IAF) એ હવાઈ હુમલા માટે જોર્ડન અને સિરિયા જેવા દુશ્મન રાષ્ટ્રોની હવાઈ સિમા પરથી પસાર થવું પડે. જેના કારણે, તેઓ ઈરાકની તરફેણમાં યુદ્ધમાં ઉતરે અથવા તો ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ઉશ્કેરાઈ શકે તેવી વકી હતી.
આ sectionમાં વધુ સંદર્ભોની જરૂર છે. (March 2008) |
તા. 29 જાન્યુઆરીના રોજ ઈરાકની ટેન્કો અને તોપોએ પ્રમાણમાં ઓછાં સરંક્ષિત એવા સાઉદી અરેબિયાના ખાફ્જી ઉપર હુમલો કર્યો અને તેને કબ્જે કરી લીધું. બે દિવસ પછી, સાઉદી અરેબિયાના નેશનલ ગાર્ડ અને અમેરિકાની નૌકાસેનાના જવાનો એ કતારના દળોની મદદથી ઈરાકી સેનાને હાંકી કાઢી અને આમ આ યુદ્ધનો અંત આવ્યો. મિત્ર રાષ્ટ્રોની સેનાએ મોટાપાયા પર હવાઈ સમર્થન આપ્યું અને ભારે પ્રમાણમાં તોપગોળા છોડવામાં આવ્યા.
બંને તરફ ભારે ખુંવારી થઈ હતી, આમ છતાં, મિત્ર રાષ્ટ્રોની સેનાની સરખામણીમાં ઈરાકના દળો વધુ પ્રમાણમાં માર્યા ગયા હતા અથવા તો જીવતા ઝડપાઈ ગયા હતા. મિત્ર રાષ્ટ્રોના ભૂલભરેલા ગોળીબારના બે બનાવોમાં અગ્યાર અમેરિકન સૈનિકોના મોત થયા હતા. આ યુદ્ધ દરમિયાન ઈરાકની એસએએમ(SAM) મિસાઈલએ અમેરિકાનું એસી-130 (AC-130 ) પ્રકારનું વિમાન તોડી પાડ્યું હતું. જેના કારણે અમેરિક (U.S.)ના વાયુદળના 14 જવાનોના મોત થયા હતા. જ્યારે આ યુદ્ધ દરમિયાન અમેરિકાના બે સૈનિકોને જીવતા પકડી પાડવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા અને કતારના દળોના કુલ 18 જવાનોના મોત થયા હતા. ખાફ્જી યુદ્ધ દરમિયાન ઈરાકી સેનાના 60-300 જવાનોના મોત થયા હતા અને 400 સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા.
કુવૈત પર ઈરાકના આક્રમણ પછી, વ્યૂહાત્મક રીતે ખાફ્જી અગત્યનું શહેર બની ગયું હતું. ઈરાક દ્વારા ખાફ્જીને કબ્જે કરવા માટે મોટાપાયા પર બખ્તર ટૂકડીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. શરૂઆતમાં ઓછાં સંરક્ષિત એવા ખાફ્જીને કબ્જે કરીને, ખાફ્જીના માર્ગે પ્રમાણમાં ઓછાં સંરક્ષિત એવા પૂર્વીય સાઉદી અરેબિયામાં આગળ ન વધવાને કેટલાક વિદ્વાનો રણનીતિની દ્રષ્ટિએ ભયંકર ભૂલ માને છે. આ રીતે, મધ્યપૂર્વના મોટાં તેલ ભંડાર પર ઈરાકનો કબ્જો સ્થપાઈ જાત, ઉપરાંત યુ.એસ. (U.S.)ની અગ્રીમ રક્ષા પંક્તિને ઈરાક વધુ સારી રીતે પડકારી શક્યું હોત.
પ્રૌદ્યોગિકીના કારણે, હવાઈ મોરચા પર સંયુક્ત સેનાનો હાથ ઊંચો રહ્યો હતો. પરંતુ બંને સેનાઓ વચ્ચે જમીન-આસમાનનું અંતર હતું. મુખ્ય જમીની આક્રમણ હાથ ધરવામાં આવ્યું તે પહેલાં, સંયુક્ત સેનાની હવાઈ સેનાએ આકાશ પર પ્રભુત્વ હાંસલ કરી લીધું હતું. આથી, હવાઈ સંરક્ષણ હેઠળ કાર્યવાહી કરવાનો સંયુક્ત સેનાને બહોળો લાભ થયો હતો.
કુવૈતની મુક્તિની એક રાત પહેલા અમેરિકા દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા અને નૌકાદળમાંથી ગોળીબાર કરવામાં આવ્યો. ઈરાકીઓને લલચાવી ફસાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. જેથી ઈરાકીઓને એમ લાગ કે જમીન માર્ગે મધ્ય કુવૈત પર મોટો હુમલો કરવામાં આવશે. તા. 23 ફેબ્રુઆરી 1991ના, પહેલી મરિન ડિવિઝન, બીજી મરિન ડિવિઝન અને પહેલી લાઈટ આર્મ્ડ ઈન્ફાન્ટ્રીએ કુવૈતમાં પ્રવેશ કર્યો અને કુવૈત શહેર તરફ કૂચ કરી. શરૂઆતના ગણતરીના કલાકોમાં જ તેમણે સારી રીતે બનાવવામાં આવેલી, પરંતુ નબળી રીતે રક્ષિત ઈરાકની સંરક્ષા પંક્તિને તોડી નાખી. નૌકાદળના સૈનિકો ઈરાક દ્વારા પાથરવામાં આવેલી તારની જાળીઓ અને સૂરંગોને પાર કરી ગયા. ત્યારબાદ તેમણે ઈરાકી ટેન્કોને નિશાન બનાવી, જેમણે બહુ થોડા સમયમાં આત્મસમર્પણ કરી દીધું. કુવૈતી સેનાએ તુરત જ શહેર પર આક્રમણ કર્યું. જ્યાં ઈરાકી સેના એ હળવો પ્રતિકાર કર્યો. કુવૈતે એક સિપાહી અને એક વિમાન ગુમાવ્યા અને ઝડપથી શહેરને મુક્ત કરાવી લીધું. કુવૈતમાં તૈનાત મોટાભાગના ઈરાકી સૈનિકોએ પ્રિતકાર કરવાના બદલે આત્મસમર્પણ કરવું પસંદ કર્યું.
ઈરાકમાં જમીન યુદ્ધના શરૂઆતના તબક્કાને ઓપરેશન ડિઝર્ટ સાબરે એવું સત્તાવાર નામ આપવામાં આવ્યું હતું.[66]
જાન્યુઆરીના અંત ભાગમાં, જમીન યુદ્ધના શરૂઆતના તબક્કમાં ઈરાકમાં ઉતરનારી જમીન ટૂકડીઓમાં, બ્રિટનની સ્પેશ્યલ એર સર્વિસની બી સ્ક્વૉર્ડનની ત્રણ રોન ટૂકડીઓનો સમાવેશ થતો હતો. જેને બ્રાવો વન ઝીરો, બ્રાવો ટુ ઝીરો, અને બ્રાવો થ્રી ઝીરો એવા ગુપ્ત નામ આપવામાં આવ્યા હતા. આઠ સૈનિકોની ટૂકડીની મુખ્ય કામગીરી ઈરાકની સીમામાં પ્રવેશીને, હવાઈ નિરીક્ષણથી છુપા રહેલા, સ્કડ મોબાઈલ મિસાઈલ લોન્ચરો અને તેમની હિલચાલ અંગે માહિતી એકઠી કરવાની હતી. દિવસ દરમિયાન આ મોબાઈલ લોન્ચરને પૂલ અને છદ્માવરણથી ઢાંકી દેવામાં આવતા હતા. અન્ય હેતુમાં, આ લોન્ચરોનો નાશ કરવો, પાઇપલાઇનમાં પાથરવામાં આવેલા ફાઇબર ઓપ્ટિક નેટવર્કનો નાશ કરવનાનો હતો. આ નેટવર્ક દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરનારા ટીઈએલ (TEL)ઓપરેટરોને નિર્દેશ આપવામાં આવતા હતા.
તા. 9 ફેબ્રુઆરી 1991ના રોજ યુ.એસ. (U.S.)ની સેનાની બીજી બ્રિગેડ અને પહેલી કૅવલ્રિ ડિવિઝનના જવાનોએ ઈરાકમાં ગુપ્ત રીતે પ્રવેશીને શત્રુઓ અંગેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ તા. 20 ફેબ્રુઆરીના વન ઈન ફોર્સ દ્વારા આવું જ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને ઈરાકની એક રેજીમેન્ટનો નાશ કર્યો હતો.[સંદર્ભ આપો]તા. 22 ફેબ્રુઆરી 1991ના સોવિયેત દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ સંધિ પર ઈરાક સહમત થઈ ગયું. કરારની શરતો પ્રમાણે, છ અઠવાડિયામાં ઈરાક યુદ્ધપૂર્વેની સ્થિતી મુજબ તેની સેનાને પાછી ખેંચી લેશે, ત્યારબાદ પૂર્ણ યુદ્ધ-વિરામનું પાલન કરશે. યુદ્ધવિરામ અને સેના પાછી ખેંચવાની પ્રક્રિયા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
સંગઠીત રાષ્ટ્રો દ્વારા આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો, આમ છતાં તેમણે કહ્યું કે, પાછી ફરી રહેલી ઈરાકી સેના પર હુમલો કરવામાં નહીં આવે[સંદર્ભ આપો], સેનાને પાછી ખેંચવાની શરૂઆત કરવા માટે ઈરાકને 24 કલાકની મહેતલ આપવામાં આવી. તા. 23 ફેબ્રુઆરીના યુદ્ધના અંતે 500 ઈરાકી સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા. તા. 24 ફેબ્રુઆરીના બ્રિટન અને અમેરિકાના બખ્તરદળ ઈરાક-કુવૈત સીમાને પાર કરીને મોટાપાયા પર ઈરાકી સીમામાં પ્રવેશ્યાં, અને સેંકડો લોકોને કેદી બનાવ્યા. ઈરાકે બહુ હળવો પ્રતિકાર કર્યો અને અમેરિકાના ચાર સૈનિકો માર્યા ગયા.[67]
તુરત જ, તા. 24 ફેબ્રુઆરીના સવારે બીજી આર્મર્ડ કૅવલ્રિ રેજીમેન્ટની ત્રીજી સ્ક્વૉર્ડનના (3/2 ACR)ના નેતૃત્વમાં યુ.એસ. (U.S)ની 7 (VII) કોર્પ્સે પૂર્ણ તાકત સાથે કુવૈતની પશ્ચિમ સીમા પરથી ઈરાક પર આક્રમણ કર્યું. જેના કારણે ઈરાકના દળો આશ્ચર્યચકિત થઈ ગયા. સમાંતરે અમેરિકા (U.S)ની અઢારમી (XVIII) એરબોર્ન કોર્પ્સે દક્ષિણ ઈરાકના મોટાભાગે અરક્ષિત એવા રણપ્રદેશ પર "લેફ્ટ-હૂક" આક્રમણો કર્યા, જેનું નેતૃત્વ ત્રીજી આર્મર્ડ કૅવલ્રિ રેજીમેન્ટ (થર્ડ એસીઆર(ACR)) અને 24મી ઇન્ફન્ટ્રિ ડિવિઝન(મેકનાઈઝ્ડ) એ કર્યું. ડાબી બાજુ પરથી આ કૂચને ફ્રાન્સની છઠ્ઠી લાઇટ આર્મર્ડ ડિવિઝન ડ્યુગેટે સંરક્ષણ પૂરું પાડ્યું.
બહુ ટૂંક સમયમાં ફ્રાન્સના દળોએ ઈરાકની 45મી ઇનફન્ટ્રી ડિવિઝનને તાબે કરી લીધી, જેમાં બહુ થોડી ખુંવારી થઈ અને મોટી સંખ્યામાં યુદ્ધકેદીઓને બાનમાં લીધા. આ દળે, સંયુક્ત સેનાના દળો પર, ઈરાકના વળતા હુમલાને અટકાવી શકે તેવા સ્થળો પર પ્રભુત્વ હાંસલ કરી લીધું. બ્રિટનની પહેલી આર્મર્ડ ડિવિઝને આ હિલચાલને જમણી બાજુએથી સંરક્ષણ આપ્યું હતું. એકવખત મિત્ર રાષ્ટ્રોની સેના ઈરાકમાં ખૂબ ઊંડે સુધી પ્રવેશી ગઈ. ત્યારબાદ તેમણે પૂર્વતરફ કૂચ કરી. ત્યારબાદ તેમણે રિપબ્લિકન ગાર્ડ નામના ચૂનંદા દળોને ઘેરીને હુમલો હાથ ધર્યો. જેથી તેઓ નાસી ન શકે. આ લડાઈ અંતિમ કલાકોમાં હતી. ઈરાકની પચાસ બખ્તરિયા ગાડીનો નાશ થયો, જ્યારે સંયુક્ત સેનાના પક્ષે બહુ ઓછી ખુંવારી થઈ. જોકે, તા. 25 ફેબ્રુઆરી 1991ના, ઈરાકે સાઉદી અરેબિયાના દહરાનમાં સંયુક્ત સેનાની લશ્કરી છાવણી ઉપર સ્કડ મિસાઈલથી હુમલો કર્યો. જેમાં અમેરિકી સેનાના 28 સૈનિકોના મોત થયા.[68]
યુ.એસ. (U.S.) ના સેનાધ્યક્ષોની અપેક્ષા કરતા વધુ સહેલાઈથી સંયુક્ત સેનાની કૂચ આગળ વધી રહી હતી. તા. 26 ફેબ્રુઆરીના, ઈરાકી સેનાએ કુવૈતમાંથી પીછેહઠ શરૂ કરી, જોકે, આ પહેલા તેમણે કુવૈતના તેલ ભંડારોને આગ ચાંપી દીધી. (737 તેલ કુવાઓને આગ ચાંપવામાં આવી હતી.) ઈરાકી સેનાનો મોટો કાફલો ઈરાક-કુવૈત હાઈવે (ધોરીમાર્ગ) પરથી પરત ફરી રહ્યો હતો. હાઈવે પરથી કાફલા ઉપર સંયુક્ત સેનાના હવાઈદળોએ ભારે બોમ્બમારો કર્યો, જે આગળ જતા હાઈવે ઓફ ડેથ (મૃત્યુનો ધોરીમાર્ગ) તરીકે વિખ્યાત થયો. સેંકડોની સંખ્યામાં ઈરાકના સૈનિકો માર્યા ગયા. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સની સેનાએ પીછેહઠ કરી રહેલી ઈરાકી સેનાનો સરહદ અને ઈરાકની અંદર સુધી પીછો કર્યો અને હુમલા ચાલુ રાખ્યા. ઈરાકની સરહદોમાંથી બહાર નિકળતા પહેલા તેઓ બગદાદથી 150 માઈલ (240 કિલોમીટર) નજીક સુધી પહોંચી ગયા હતા.
જમીન યુદ્ધના એકસો કલાકમાં, તા. 28 ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ બુશે યુદ્ધવિરામની ઘોષણા કરી અને તેમણે કુવૈતને મુક્ત કરાવી લેવામાં આવ્યું હોવાની પણ જાહેરાત કરી.
આ sectionમાં વધુ સંદર્ભોની જરૂર છે. (March 2008) |
એ સમયે, પશ્ચિમના માધ્યમો દ્વારા એવું કહેવાઈ રહ્યું હતું કે, ઈરાકના સૈનિકોની સંખ્યા અંદાજે 5,45,000 થી 6,00,000 ની વચ્ચે હતી, જોકે, આજે મોટાભાગના નિષ્ણાતો માને છેકે, એ સમયની ઈરાકી સેનાનું સંખ્યાત્મક અને ગુણાત્મક દ્રષ્ટિએ અતિશયોક્તિભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કારણ કે, તેમાં હંગામી અને સહયાક તત્વો(સૈનિકો)નો સમાવેશ થતો હતો. ઈરાકના ઘણા સૈનિકો યુવાન, અલ્પ સાધનોથી સજ્જ, ઓછી તાલિમ પામેલાં અને ફરજીયાતપણે ભરતી કરાયેલા જવાનો હતા.
સંયુક્ત સેનાએ 5,40,000 સૈનિકોને યુદ્ધમેદાન પર મોકલ્યાં હતા. વધુમાં, તૂર્ક-ઈરાન સરહદ પર 1,00,000 તૂર્ક સિપાહીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેના કારણે, ઈરાકને તેની બધી સરહદો પર સૈનિકોને તૈનાત કરવાની ફરજ પડી, આથી ઈરાકી સેના વહેંચાઈ ગઈ. માત્ર પ્રૌદ્યોગિકીની દ્રષ્ટિએ જ નહીં પરંતુ, સંખ્યાત્મક દ્રષ્ટીએ પણ યુ.એસ. (U.S.) ચડિયાતું હોય તેવા પ્રયાસોને સફળતા મળી.
ઈરાક-ઈરાન યુદ્ધ સમયે ઈરાકને વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હતું. વિશ્વના મોટાભાગના પ્રમુખ શસ્ત્ર સોદાગરોએ ઈરાકી સેનાને સજ્જ બનાવી હતી. જેના પરિણામે, ભિન્નતા (હથિયારોની) ધરાવતી સેનામાં એકરૂપતાનો અભાવ હતો. વધુમાં ઈરાકી સેનામાં તાલિમ અને પ્રેરણાનો અભાવ હતો. ઈરાકનું બખ્તરદળ, 1950 અને 1960 ના દાયકાથી પૂરાણી ચાઈનિઝ ટાઈપ 59 અને ટાઈપ 69 પ્રકારની, અને સોવિયેતમાં (રશિયા) બનેલી ટી-55 (T-55) પ્રકારની ટેન્કોનો ઉપયોગ કરતું હતું. અને અશદ બબીલ ટેન્કો (જેને પોલેન્ડની ટી-72 (T-72) ટેન્કોના ઢાંચા સહિત, વિવિધ દેશોની સામગ્રીને દેશમાં જોડીને બનાવવામાં આવી હતી.) આ સાધનો (બખ્તરગાડીઓ)માં થર્મલ સાઇટ્સ અને લેસર રેન્જફાઈન્ડર્સ જેવા અત્યાધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા ન હતા, આધુનિક યુદ્ધમાં તેની અસરકારકતા મર્યાદિત હતી.
સંયુક્ત સેનાના ટેન્કો દ્વારા છોડવામાં આવતા ગોળા અને થર્મલ સાઈટ્સથી બચવાનો અસરકારક ઉપાય શોધવામાં ઈરાકીઓ નિષ્ફળ રહ્યાં. આ સાધનોની મદદથી સંયુક્ત સેનાની ટેન્કો, ઈરાકી ટેન્કોની મારક ક્ષમતાના ત્રણગણાં અંતરથી ઈરાકી ટેન્કોને નિશાન બનાવી શકતી હતી. ઈરાકના બખ્તરદળના ખલાસીઓ કવચને ભેદવા માટે પૂરાણા અને સસ્તાં સ્ટીલના સાધનો(ગોળા)નો ઉપયોગ કરતાં હતા. જે યુ.એસ. (U.S) અને બ્રિટનની બખ્તરગાડીના આધુનિક ચોબ્ભામ બખતરને ભેદવામાં બિનઅસરકાર સાબિત થયા. કુવૈત શહેરમાં લડતી વખતે શહેરી યુદ્ધકળાનો લાભ લેવામાં પણ ઈરાકીઓ નિષ્ફળ રહ્યાં. જેના કારણે આક્રમણ કરનાર દળો(સંગઠીત સેના)ને ભારે નુકસાન થઈ શક્યું હોત. શહેરી યુદ્ધમાં લડાઈનું અતર ઘટી જાય છે. જે સુસજ્જ દળોના કેટલાક પ્રૌદ્યોગિકી લાભોને બિનઅસરકારક બનાવી દે છે.
ઈરાકે સોવિયેત લશ્કરી રણનીતિનો અમલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કૌશલ્યના અભાવે ઈરાકના લશ્કરી અધિકારીઓ તેને અસરકારક રીતે લાગૂ કરવામાં નિષ્ફળ રહ્યાં. સંયુક્ત સેના દ્વારા સંચાર કેન્દ્રો અને બંકરો ઉપર કરવામાં આવેલા આગોતરા હુમલાના કારણે ઈરાકીઓ અસરકારક રીતે પ્રતિકાર કરવામાં નિષ્ફળ રહ્યાં
સંયુક્ત સેના દ્વારા કબ્જે લેવાયેલા ઈરાકી વિસ્તારમાં શાંતિ માટે બેઠક મળી. જેમાં યુદ્ધવિરામ માટે ચર્ચા થઈ, જેની ઉપર બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા. આ બેઠકમાં, હંગામી સરહદની ઈરાકની બાજુએ હેલિકોપ્ટર ઉડ્ડાણ ભરવાની ઈરાકને મંજૂરી આપવામાં આવી હતી, નાગરિક માળખાને થયેલા નુકસાનના કારણે, તથાકથિત સરકારના સ્થાનાંતરણ માટે હેલિકોપ્ટર ઉડ્ડાણને મંજૂરી આપવામાં આવી હતી. દક્ષિણમાં શિયાં સમૂદાયના બળવાને ડામી દેવા માટે આ હેલિકોપ્ટરો અને ઈરાકી સેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તા. 2 ફેબ્રુઆરી 1991ના સાઉદી અરેબિયામાં સીઆઈ (CIA)ના રેડિયો કેન્દ્ર પરથી "ધ વોઈસ ઓફ ફ્રી ઈરાક"નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બળવાખોરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વોઈસ ઓફ અમેરિકાની અરબી સેવા દ્વારા આ બળવાને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ બળવો વ્યાપક છે અને ટૂંક સમયમાં તેઓ સદ્દામની સત્તામાંથી આઝાદ થઇ જશે.[69]
આ તરફ ઉત્તરમાં કુર્દ નેતાઓએ અમેરિકાના નિવેદનો ઉપર ભરોસો કરીને લડાઈ શરૂ કરી દીધી, જેમાં અમેરિકાએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ બળવાને અંતઃકરણ પૂર્વક પૂરેપૂરો ટેકો આપશે. તેમને આશા હતી કે આ રીતે સત્તાપલ્ટા માટે બળવો થશે. પરંતુ, જ્યારે અમેરિકા તરફથી કોઈ મદદ ન મળી, ત્યારે ઈરાકના લશ્કરી અધિકારીઓ સદ્દામને વફાદાર રહ્યાં અને તેમણે ક્રૂરતાપૂર્વક કૂર્દ બળવાને ડામી દીધો. લાખોની સંખ્યામાં કૂર્દ લોકો, તૂર્કી અને ઈરાનના કૂર્દ બહુમતિવાળા પહાડી વિસ્તારોમાં નાસી છુટ્યાં. પરિણામે, ઈરાકના ઉત્તર અને દક્ષિણ ભાગમાં 'નો-ફ્લાઈ ઝોન' ઊભા કરવામાં આવ્યા. કુવૈતમાં, અમિર પુનઃસત્તારૂઢ થયા. ઈરાક સાથે ભળેલા હોય તેવા સંદેહાસ્પદ લોકોને ડામી દેવામાં આવ્યા. આગળ જતાં, લગભગ ચાર લાખ લોકોને દેશ નિકાલ આપવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન વાસીઓનો પણ સમાવેશ થતો હતો, કારણ કે, પીએલઓ (PLO) દ્વારા સદ્દામ હુસૈનને સમર્થન આપવામાં આવ્યું હતું. વર્ષ 2004માં પીએલઓ (PLO)એ સદ્દામ હુસૈનના સમર્થન બદલ ઔપચારિક માફી માગી હતી.
બગદાદને કબ્જે કરીને સદ્દામ હુસૈનની સરકારને સત્તા ઉપરથી ફેંકી ન દેવા બદલ, બુશ વહિવટીતંત્રની થોડી ટીકા પણ થઈ હતી. 1998માં બુશ અને બ્રેન્ટ સ્કોક્રોફ્ટ દ્વારા સંયુક્ત રીતે લખાયેલા પુસ્તક, અ વર્લ્ડ ટ્રાન્સફોર્મ્ડ માં તેમણે એવી દલીલ રજૂ કરી છે કે, આમ કરવાથી (સદ્દામને સત્તા ઉપરથી ઉતારી નાખવાથી) સંગઠનમાં ભંગાણ પડવાની શક્યતા રહેલી હતી જેના કારણે, બિન-જરૂરી રીતે રાજકીય અને માનવીય કિંમત ચૂકવી પડી હોત.
વર્ષ 1992માં, યુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના રક્ષા સચિવ, ડિક ચેન્નીએ પણ આ તર્ક રજૂ કર્યો હતો:
I would guess if we had gone in there, we would still have forces in Baghdad today. We'd be running the country. We would not have been able to get everybody out and bring everybody home.
And the final point that I think needs to be made is this question of casualties. I don't think you could have done all of that without significant additional U.S. casualties, and while everybody was tremendously impressed with the low cost of the (1991) conflict, for the 146 Americans who were killed in action and for their families, it wasn't a cheap war.
And the question in my mind is, how many additional American casualties is Saddam (Hussein) worth? And the answer is, not that damned many. So, I think we got it right, both when we decided to expel him from Kuwait, but also when the President made the decision that we'd achieved our objectives and we were not going to go get bogged down in the problems of trying to take over and govern Iraq.[70]
મોટાપાયા પોતાની જ લશ્કરી તાકાતને સામેલ કરવાના બદલે, યુનાઇટેડ સ્ટેટ્સને આશા હતી કે, આંતરિક બળવામાં સદ્દામનો તખ્તાપલટ થઈ જશે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ઈરાકના બળવાખોરોને સંગઠિત કરવા પોતાની અસક્યામતોનો ઉપયોગ કર્યો, પરંતુ ઈરાકી સરકારે આ પ્રયાસોને નકારી કાઢ્યા હતા.
તા. 10 માર્ચ 1991ના રોજ અમેરિકી સેનાએ પર્સિયન ગલ્ફમાંથી પાછું ફરવાનું શરૂ કરી દીધું.
સંગઠીત રાષ્ટ્રોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેહરિન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, કેનેડા, ચેકોસ્લોવાકિયા, ડેનમાર્ક, ઈજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, હોન્ડુરાસ, હંગેરી, ઈટાલી, કુવૈત, મલેશિયા, મોરક્કો, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, નાઈજર, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, કતાર, રોમાનિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, દક્ષિણ કોરિયા, સ્પેન, સિરિયા, તૂર્કી, યુનાઈટેડ આરબ અમિરાત (સંયુક્ત આરબ અમિરાત), બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થતો હતો.[71]
જર્મની અને જાપાન દ્વારા આર્થિક સહકાર અને લશ્કરી ઉપકરણો આપવામાં આવ્યા હતા, તેમણે કોઈ સીધી લશ્કરી સહાય મોકલી ન હતી. જે આગળ જતાં ચેકબુક રાજનીતિ તરીકે ઓળખાઈ. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈઝરાયેલને તટસ્થ રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી, આથી પોતાની સીમામાં ઈરાકના મિસાઈલ હુમલા છતાં ઈઝરાયેલ સક્રિય રીતે યુદ્ધમાં સામેલ થયું ન હતું. ભારતે અરબી અખાતમાં રહેલી તેની ઇંધણ ભરવાની વ્યવસ્થાના ઉપયોગ સ્વરૂપે લશ્કરી સહાય આપી હતી[સંદર્ભ આપો], પરંતુ યુદ્ધમેદાનમાં લશ્કરી દળ મોકલ્યું ન હતું.
યુદ્ધમાં લડાયક મોરચા દરમિયાન અન્ય યુરોપીય રાષ્ટ્રની સરખામણીમાં યુનાઇટેડ કિંગ્ડમે સૌથી વધુ સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા. પર્સિયન ગલ્ફના સૈન્ય અભિયાનોને ઓપરેશન ગ્રેન્બી એવું ગુપ્ત નામ આપવામાં આવ્યું હતું. બ્રિટનની લશ્કરી રેજિમેન્ટોને (મોટાભાગે બ્રિટનની પહેલી આર્મર્ડ ડિવિઝન સાથે), રૉયલ એરફોર્સ સ્ક્વૉર્ડનો અને રૉયલ નેવીના જહાજોને ગલ્ફ વોર માટે મોકલવામાં આવ્યા હતા. રૉયલ એરફોર્સ દ્વારા વિવિધ પ્રકારના લડાકૂ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સાઉદી અરેબિયાના વિવિધ હવાઈ મથકો પરથી સંચાલિત થતા હતા (ઉડ્ડાણ ભરતા હતા.) 2,500 જેટલી બખ્તરગાડી અને 43,000 જવાનોને[71] દરિયાઈ માર્ગે યુદ્ધ માટે મોકલવામાં આવ્યા હતા.
ઈરાની અખાતમાં તૈનાત કરવામાં આવેલા રૉયલ નેવીના જહાજોમાં મુખ્યત્વે બ્રોડ્સવર્લ્ડ- પ્રકારની લડાયક નૌકાઓ અને શિફિલ્ડ -પ્રકારની યુદ્ધનૌકાઓનો મોટી સંખ્યામાં સમાવેશ થતો હતો. અન્ય આરએન(RN)અને આરએફએ(RFA) જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. હળવા વિમાનવાહક જહાજ એચએમએસ(HMS)આર્ક રૉયલ ને ખાડી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યું ન હતું, પરંતુ, તેને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું.
યુરોપમાંથી મોટી સંખ્યામાં સેના મોકલનારા રાષ્ટ્રોમાં ફ્રાન્સ બીજા ક્રમે હતું. ફ્રાન્સે યુદ્ધ દરમિયાન 18,000 સૈનિકો મોકલ્યા હતા.[71] ફ્રાન્સની સેનામાં મુખ્યત્વે છઠ્ઠી લાઇટ આર્મર્ડ ડિવિઝનનો સમાવેશ થતો હતો. જેણે યુ.એસ.ની 18મા(U.S. XVIII) એરબોર્ન કોર્પસની ડાબી બાજુએ રહીને યુદ્ધ લડ્યું હતું. આ દળમાં ફ્રેન્ચ ફોરેન લિજિયનના સૈનિકોનો પણ સમાવેશ થતો હતો. શરૂઆતમાં, ફ્રાન્સએ તેના સીધા રાષ્ટ્રીય આદેશ અને નિયંત્રણ હેઠળ કામગીરી બજાવી હતી. આ માટે અમેરિકા, સાઉદી અરેબિયા અને સેન્ટકોમ(CENTCOM)સાથે સઘન સંકલન સાધવામાં આવતું હતું. જાન્યુઆરીમાં, આ ડિવિઝનને યુ.એસ.ની 18મી (U.S. XVIII) એરબોર્ન કોર્પ્સના વ્યુહાત્મક નિયંત્રણમાં મૂકવામાં આવી. ફ્રાન્સ દ્વારા સંખ્યાબંધ લડાકૂ વિમાન અને નૌકા ટૂકડીઓ મોકલવામાં આવી હતી. ફ્રાન્સ દ્વારા તેમના પ્રદાનને ઓપરેશન ડૅજ્યુએટ નામ આપવામાં આવ્યું હતું.
કુવૈત ઉપરના ઈરાકના આક્રમણને તુરંત જ વખોડનારા રાષ્ટ્રોમાં કેનેડાનો સમાવેશ થતો હતો અને તુરત જ યુ.એસ. (U.S)ના નેતૃત્વવાળા સંગઠનમાં જોડવા માટે તૈયાર થઈ ગયું હતું. ઓગસ્ટ 1990માં કેનેડાના વડાપ્રધાન બ્રાયન મુલરોનીએ કેનેડાના દળોને લડાયક યુદ્ધ નૌકાઓ તૈનાત કરવાઢાંચો:HMCS અને ઢાંચો:HMCSદરિયાઈ વ્યવહાર પર નિયંત્રણ રાખનારા દળો સાથે સામેલ થવા માટે આદેશ કર્યો. પ્રસિયન ખાડીમાં સંયુક્ત સેનાનાં પરિવહન દળોને એકઠાં કરવા માટે એક જહાજઢાંચો:HMCS પણ મોકલવામાં આવ્યું હતું. યુદ્ધ વિરામ પછી કેનેડાના ચોથા જહાજએઢાંચો:HMCS કુવૈતની મુલાકાત લીધી હતી.
ઈરાક સામે સૈન્યપ્રયોગ માટે સંયુક્તરાષ્ટ્ર (UN)ની મંજૂરી પછી, કેનેડાના દળોએ સીએફ-18 (CF-18) હોર્નેટ સ્ક્વૉર્ડન સહાયક દળો અને યુદ્ધ મોરચાં પર ઘાયલ થયેલાઓની સારવાર અર્થે ફિલ્ડ હોસ્પિટલ (યુદ્ધમેદાન પર હંગામી રીતે ઊભું કરાયેલું દવાખાનું) મોકલી હતી. જ્યારે હવાઈ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે, સંયુક્ત સેના સાથે સંકલનમાં રહીને સીએફ-18(CF-18) વિમાનોને હવાઈ સંરક્ષણ આપવાની તથા નિર્ધારિત લક્ષ્યાંકોને ઉડાવી દેવાની કામગીરી સોંપવામાં આવી હતી. કોરિયાના યુદ્ધપછી પ્રથમ વખત, કેનેડાનું લશ્કર આક્રમક યુદ્ધ અભિયાનોમાં સામેલ થયું હતું.
ઓસ્ટ્રેલિયા દ્વારા નેવલ ટાસ્ક ગ્રુપ મોકલવામાં આવ્યું હતું, જે ઓપરેશન દમાસ્ક હેઠળ પર્સિયન ખાડી અને ઓમાનની ખાડીમાં તૈનાત બહુરાષ્ટ્રીય-નૌકા કાફલાનો હિસ્સો હતું. ઉપરાંત, આરોગ્ય ટૂકડીઓને યુ.એસ. (U.S.)ની હોસ્પિટલ શીપ પર (વિશેષ જહાજ) તૈનાત કરવામા આવી હતી. જે ઈજાગ્રસ્તોને આરોગ્ય સેવા પૂરી પાડતું હતું. યુદ્ધ અભિયાન પૂર્ણ થયા બાદ કુવૈતના બંદરોના જળવિસ્તારમાં પાથરવામાં આવેલી સૂરંગોને હટાવવાનું કામ ઓસ્ટ્રેલિયાનાનૌકાદળની ડૂબકીમાર ટૂકડીએ કર્યું હતું
વર્ષ 1991ના પર્સિયન ગલ્ફ વોર દરમિયાન લશ્કરી દળો મોકલનાર આંતરરાષ્ટ્રીય સંગઠનમાં ઓસ્ટ્રેલિયા પણ સભ્ય હતું. ઓસ્ટ્રેલિયાની સેનાએ સંઘર્ષ જોયો ન હતો પરંતુ કુવૈત પર આક્રમણ કરવાના પગલે ઈરાક ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક નિયંત્રણોને લાગૂ કરવામાં ઓસ્ટ્રેલિયાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ સાથે ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમમાં વધુ એક નાની સહાય કરી હતી. પરિણામે પર્સિયન ગલ્ફ વોરના અંતે ઓસ્ટ્રેલિયાએ ઉત્તર ઈરાકમાં રાહત કામગીરીના ભાગ રૂપે ઓપરેશન હેબીટેટ અંતર્ગત એક મેડિકલ યુનિટ(એકમ)ની સ્થાપના કરી.
યુદ્ધના શરૂઆતના તબક્કામાં લડાકૂ વિમાન અને ક્રૂઝ મિસાઈલ્સ દ્વારા ઈરાક પર હવાઈ હુમલાના કારણે, મોટાપાયા પર નાગરિકોના મોત ઉપર વિવાદ ઊભો થયો હતો. યુદ્ધના શરૂઆતના 24 કલાકમાં જ ઈરાક ઉપર 1,000 કરતા વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં બગદાદના વિવિધ સ્થળોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. સદ્દામ હુસૈનનું સત્તાસ્થાન હોવાના કારણે તથા ઈરાકના દળોનું આદેશ અને નિયંત્રણ અહીંથી થતું હોવાના કારણે ઈરાક ઉપર ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. આથી, મોટાપાયા પર નાગરિકોના મોત થયાં.
ભૂમિ યુદ્ધ પહેલા કરવામાં આવેલા બૉમ્બમારા દરમિયાન અનેક હવાઈ હુમલાઓના કારણે, નાગરિકોના(ઈરાકના) મોત થયા હતા. આ પ્રકારના એક નોંધનીય બનાવમાં, સ્ટિલ્થ વિમાનોએ અમિરિયામાં એક બંકરને નિશાન બનાવ્યું હતું, જેમાં 200-400 નાગરિકોના મોત થયા હતા, તેઓ એ સમયે ત્યાં(બંકરમાં) આશરો લઈ રહ્યાં હતા. ઘટના સ્થળે, અત્યંત ખરાબ રીતે દાઝેલાં લોકોના દ્રશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેથી બંકરના ઉપયોગ અંગે વિવાદ ઊભો થયો હતો, કેટલાક એવું કહી રહ્યાં હતા કે, તે નાગરિકોના આશરા માટે તૈયાર કરવામાં આવેલું બંકર હતું, જ્યારે અન્ય કેટલાકના કહેવા પ્રમાણે, તે ઈરાકના લશ્કરી અભિયાનો માટેનું કેન્દ્ર હતું, અને નાગરિકોને ત્યાં માનવ કવચના હેતુસર રાખવામાં આવ્યા હતા.
બેથ ઑસ્બ્રોન દાપોન્તે દ્વારા કરવામાં આવેલી તપાસના અંદાજ પ્રમાણે લગભગ 3,500 નાગરિકો બૉમ્બમારામાં, અને અંદાજે 1,00,000 નાગરિકો યુદ્ધની અન્ય અસરોના કારણે માર્યા ગયા હતા.[72][73][74]
યુદ્ધના કારણે માર્યા ગયેલા ઈરાકના સૈનિકોનો ચોક્કસ આંકડો મળી નથી શક્યો. પરંતુ એવું માનવામાં આવે છે કે, મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા. કેટલાકના(યુદ્ધ નિષ્ણાતો) અંદાજ પ્રમાણે, ઈરાકના 20,000 થી 35,000 જવાનો માર્યા ગયા હતા.[72] યુ.એસ. (U.S.)ના વાયુદળના આદેશથી તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે હવાઈ હુમલામાં 10,૦૦૦ થી 12,000 મોત થયા હતા. જ્યારે ભૂમિ યુદ્ધમાં 10,000 સૈનિકોના મોત થયા હતા.[75] ઈરાકના યુદ્ધકેદીઓના અહેવાલો પર આ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ઇસ્લામી રાષ્ટ્રોનું સમર્થન હાંસલ કરવાના હેતસુર સદ્દામ હુસૈનની સરકાર દ્વારા મોટાપાયા પર નાગરિકોની મોતના આંકડા આપવામાં આવ્યા હતા.[સંદર્ભ આપો]ઈરાકની સરકારના દાવા પ્રમાણે હવાઈ હુમલામાં 2,300 નાગરિકોના મોત થયા હતા.[સંદર્ભ આપો]વૈકલ્પિક સંરક્ષણ પરના એક અભ્યાસના તારણ પ્રમાણે આ યુદ્ધમાં ઈરાકના 3,664 નાગરિકો અને 20,૦૦૦ થી 26,000 સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે 75,000 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.[76]
ડીઓડી (ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ-DoD)ના અહેવાલ પ્રમાણે, યુદ્ધમાં યુ.એસ. (U.S.)ના દળોના 148 સૈનિકોનો મોત થયા હતા (જેમાં 35 મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયા હતા.), જેમાં એમઆઈએ(MIA) એક પાઈલોટનો પણ સમાવેશ થતો હતો. (ઓગસ્ટ 2009માં તેનું શબ મળી આવ્યું હતું અને તેની ઓળખવીધિ થઈ હતી). જ્યારે યુદ્ધેત્તર અકસ્માતોમાં અમેરિકાના 145 સૈનિકોના મોત થયા હતા.[77] બ્રિટન (UK)ના 47 જવાનોના મોત થયા હતા.(જેમાં મિત્રરાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયેલા 9 જવાનોનો પણ સમાવેશ થાય છે.) ફ્રાન્સના બે અને કુવૈતને બાકાત કરતા આરબ રાષ્ટ્રોના 37 જવાનોના મોત થયા હતા.(જેમાં સાઉદી અરેબિયાના 18, ઈજિપ્તના 10, સંયુક્ત આરબ અમિરાત (UAE )ના છે અને સિરિયાના ત્રણ સૈનિકોનો સમાવશ થાય છે.)[77] બંધક બનાવાયાના 10 વર્ષ પછી પણ કુવૈતના અંદાજે 605થી વધુ સૈનિકો લાપતા છે.[78]
યુદ્ધ દરમિયાન તા. 25 ફેબ્રુઆરી 1991ના રોજ સંયુક્ત સેનાને સૌથી વધુ નુકસાન થયું હતું. ઈરાકની અલ-હુસૈન મિસાઈલ સાઉદી અરેબિયાના દહરાનમાં અમેરિકાના સૈનિકોની છાવણી પર ત્રાટકી હતી. જેમાં પેન્સિલ્વેનિયાથી આવેલા યુ.એસ. (U.S.)ની સેનાના અનામત રાખવામાં આવેલા 28 જવાનોના મોત થયા હતા. યુદ્ધ દરમિયાન ઈરાકના ગોળીબારમાં સંયુક્ત સેનાના કુલ 190 જવાનોના મોત થયા હતા. સંગઠીત સેનાનો કુલ મરણાંક 358 હતો. જેમાં અમેરિકાના 113 જવાનોનો સમાવેશ થતો હતો. જ્યારે મિત્રરાષ્ટ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 44 જવાના મોત થયા હતા અને 57 ઘાયલ થયા હતા. જ્યારે 145 સૈનિકો અકસ્માતે દારૂગોળો ફાટકવાથી કે અન્ય યુદ્ધેત્તર અકસ્માતોમાં માર્યા ગયા હતા.[સંદર્ભ આપો]
યુદ્ધમાં સંયુક્ત સેનાના 776 સૈનિકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે, જેમાં અમેરિકાના 458 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.[79]
જોકે, વર્ષ 2000ની સ્થિતી પ્રમાણે, ગુલ્ફવોરમાં ભાગ લેનારા 183,000 સૈનિકોને યુ.એસ. (U.S.) ના વેટરર્નસ(ઘડાયેલા યોદ્ધા) દ્વારા કાયમી અશક્ત જાહેર કરવામાં આવ્યા છે. જે યુદ્ધમાં ભાગ લેનારા અમેરિકન (U.S.) સૈનિકોની કુલ સંખ્યાના એક ચતૂર્થાંશ કરતા વધુ છે.[80][81] ગલ્ફ વોરમાં 700,000થી વધુ મહિલા-પુરૂષ સૈનિકોએ ભાગ લીધો હતો. કુલ સૈનિકોના 30% કરતા વધુ સૈનિકો અનેક ગંભીર સમસ્યાઓથી પીડિત છે, જેને પૂર્ણ રીતે સમજી નથી શકાઈ.[82]
ઈરાકના હુમલામાં સંયુક્ત સેનાના 190 સૈનિકોના મોત થયા હતા, જ્યારે અન્ય 379ના મોત મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં કે અન્ય અકસ્માતોમાં થયા હતા. અંદાજ કરતા આ નુકસાન બહુ ઓછું હતું. અમેરિકી સૈનિકોના મોતના આંકડામાં ત્રણ મહિલા સૈનિકોનો પણ સમાવેશ થતો હતો.
સંયુક્ત સેનાના સૈનિકોના મોતની સંખ્યાની દેશ મુજબ યાદી આ મુજબ છે.
ઈરાકની સાથે અથડામણમાં માર્યા ગયેલા સંયુક્ત સેનાના સૈનિકોની સંખ્યા પ્રમણમાં ઓછી હતી, અન્ય મિત્ર રાષ્ટ્રો સૈનિકોના હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા નોંધપાત્ર હતી. યુદ્ધમાં અમેરિકાના 148 સૈનિકો માર્યા ગયા હતા. જેમાંથી 35 સૈનિકો મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયા હતા, ટકાવારીની દ્રષ્ટિએ આ સંખ્યા 24 ટકા જેટલી ગણી શકાય. વધુમાં, મિત્ર રાષ્ટ્રોનો દારૂગોળો ફાટવાથી 11 સૈનિકોના મોત થયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના વાયુદળ ના એ-10(A-10) થંડરબોલ્ટ II એ બ્રિટનની બે બખ્તરગાડીને (IFV) નિશાન બનાવ્યા હતા, જેમાં બ્રિટનના 9 સૈનિકો માર્યા ગયા હતા.
યુદ્ધના સાત અઠવાડિયા દરમિયાન ઈરાક દ્વારા ઈઝરાયેલ પર 42 સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી.[88] આ હુમલાઓમાં ઈઝરાયેલના બે નાગરિકોના મોત થયા જ્યારે લગભગ 230 ઘાયલ થયા. જેમાં 10 નાગરિકોને ગંભીર અને એક નાગરિકને અતિ ગંભીર ઈજા પહોંચી હતી[10] જ્યારે અન્ય કેટલાકને મિસાઇલ હુમલાના પગલે હૃદયરોગના હુમલા આવ્યા હતા, જે જીવલેણ સાબિત થયા હતા. આ હુમલાઓના પગલે ઈઝરાયેલ જવાબી સૈન્ય કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગયું હતું. પરંતુ યુ.એસ. (U.S.)ની સરકારના કહેવાથી હુમલા ન કરવા માટે સહમત થયું હતું. અમેરિકાને ભીતિ હતી કે, જો ઈઝરાયેલ યુદ્ધમાં સામેલ થશે તો અન્ય આરબ રાષ્ટ્રો સંગઠનમાંથી ખસી જશે અથવા ઈરાકના પક્ષમાં જોડાઈ જશે. ઈઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે એમઆઈએમ-104 (MIM-104)પેટ્રિઅટ મિસાઈલના બે દળો આપવામાં આવ્યા હતા.[89]
સ્કડ મિસાઇલનો પ્રતિકાર કરવા માટે ધ રૉયલ નેધરલેન્ડ એરફોર્સ દ્વારા તૂર્કી અને ઈઝરાયેલમાં પેટ્રિઅટ મિસાઇલો તૈનાત કરવામાં આવી હતી. યુદ્ધ પછી નેધરલેન્ડના સંરક્ષણ વિભાગે એવું નિવેદન કર્યું હતું કે, પેટ્રિઅટ મિસાઇલનો ઉપયોગ મોટાભાગે નિરર્થક રહ્યો હતો, આમ છતાં તેની મનૌવૈજ્ઞાનિક કિંમત(અસર) ઊંચી છે.[90] ઈઝરાયેલના શહેરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મજબૂત બાંધકામ વ્યવસ્થાના કારણે અને માત્ર રાત્રીના જ સ્કડ મિસાઇલોના હુમલાના કારણે, સ્કડ મિસાઇલ હુમલામાં મરનાર અને ઘાયલ થનારાઓની સંખ્યા મર્યાદિત રહી હતી.[10]
ઈઝરાયેલ ઉપરાંત સાઉદી અરેબિયા ઉપર 44 સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી. જ્યારે બેહરિન તથા કતાર પર એક-એક સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી. આ મિસાઇલો નાગરિક તથા લશ્કરી મથકોને નિશાન બનાવી છોડવામાં આવી હતી. આ હુમલાઓમાં સાઉદી અરેબિયાના એક નાગરિકનું મોત અને અન્ય 66ને ઈજા પહોંચી હતી. જ્યારે બહેરિન અને કતારમાં કોઈને પણ થઈ ન હતી.
તા. 25 ફેબ્રુઆરી 1991ના દિવસે, સાઉદી અરેબિયાના દેહરાન ખાતે તૈનાત અમેરિકી (U.S.) સૈનિકોના નિવસાસ્થાન પર સ્કડ મિસાઈલ ત્રાટકી હતી. જેમાં 28 સૈનિકોના મોત થયા હતા અને 100 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. આ સૈનિકો મુળતઃ પેન્સિલવેનિયાના ગ્રીન્સબર્ગની 14મી ક્વાર્ટરમાસ્ટર ડિટેચમેન્ટના સૈનિકો હતા.[11]
ગલ્ફ વોરમાં ભાગ લેવાને કારણે, સંયુક્ત સેનાના પાછા ફરેલા સંખ્યાબંધ સૈનિકો માંદા પડ્યા હોવાનું નોંધાયું હતું. આ ઘટનાને ગલ્ફ વોર સિન્ડ્રોમ અથવા ગલ્ફવોર ઈલનેસ તરીકે ઓળખવામાં આવે છે. આ માંદગી અને જન્મજાત ખામીઓ અનેક અટકળો અને મતભેદો પ્રવર્તે છે. આ પાછળના સંભવિત પરિબળોમાં યુરેનિયમ સાથે સંસર્ગમાં આવવાથી, રાસાયણિક હથિયારો, યુદ્ધમાં તૈનાત સૈનિકોને એન્થ્રેક્સની રસી આપવી અને/અથવા ચેપી રોગો પ્રમુખ કારણ હતા. યુ.એસ.એ.એફ. (USAF)ના ભૂતપૂર્વ અધિકારી મેજર માઈકલ ડોનેલી એ ખાડીયુદ્ધમાં ભાગ લીધો હતો. તેમણે આ લક્ષણોને લોકો સમક્ષ લાવવામાં કરવામાં મદદ કરી અને આ મુદ્દે અસરગ્રસ્ત સૈનિકોના અધિકારો માટે હિમાયત કરી.
ગલ્ફ વોરમાં, ટેંકની ગતિ શક્તિ વધારવા અને 20-30 મી.મીના તોપગોળામાં ડેપલેટેડ યુરેનિયમ ડી.યુ.(DU )નો ઉપયોગ થયો હતો. ડી.યુ (DU) પાયરોફોરિક (હવાની હાજરીમાં જ્વલનશીલ) જેનોટોક્સિક (જનીનતંત્રમાં કેન્સરનું કરાણભૂત) અને ટેરાટોજેનિક (ગર્ભધારણને અસરકર્તા) ભારે ધાતુ છે. અનેક લોકો દ્વારા આ ધાતુના ઉપયોગને કારણે, ગલ્ફ વોરમાં ભાગ લેનારા સૈનિકો અને આસપાસના નાગરિકોમાં આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થયા હોવાના ઉદાહરણ ટાંકવામાં આવ્યા. તેમ છતાં, જોખમ અંગે મિશ્ર વૈજ્ઞાનિક અભિપ્રાયો ભિન્ન હતા.[91][92][93]
તા. 26 અને 27 ફેબ્રુઆરી, 1991ની રાતે, ઈરાકી સેનાના કેટલાક પરાજીત સૈનિકો કુવૈતના અલ જહરાના મુખ્ય ધોરી માર્ગ પરથી કુવૈત છોડી રહ્યાં હતા. અંદાજે 1,400 વાહનોનો કાફલો કુવૈતથી ઈરાક પરત ફરી રહ્યો હતો. પેટ્રોલિંગ કરી રહેલા(રોન મારી રહેલા) ઈ-8 (E-8) જોઈન્ટ સ્ટાર્સ (STARS) વિમાનોએ પરત ફરી રહેલી સેના અંગે સાઉદી અરેબિયાના રિયાધ ખાતેના ડીડીએમ- 8 (DDM-8) હવાઈ અભિયાન નિયંત્રણ કેન્દ્રને આ અંગે માહિતી આપી હતી.[94] પાછળથી આ વાહનો અને પરત ફરી રહેલા સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે 60 કી..મી. લાંબા ધોરી માર્ગ – મોતના ધોરીમાર્ગ પર કાટમાળ ફેલાઈ ગયો હતો.
યુદ્ધ દરમિયાન ઈરાકી સૈનિકોની મોટી સંખ્યામાં મોત થવાની વધુ એક ઘટના ઘટી હતી. જેના કારણે ઈરાકના સૈનિકોના મોટી સંખ્યામાં મોતનો મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાને “બુલડોઝર હુમલો” તરીકે ઓળખવામાં આવે છે. ઈરાકની પહેલી ઈન્ફ્રન્ટ્રી ડિવિઝન (મૅકનાઈઝડ)ની બે બ્રિગેડ "સદ્દામ હુસૈન લાઈન"ના હિસ્સારૂપ મોટી અને સંકુલ ખાઈમાં હતી. ત્યારે તેને ઘેરી લેવામાં આવી હતી. થોડી મસલતોના અંતે સૂરંગોને બહાર કાઢવા માટે ટન્કોમાં લગાવવામાં આવતા સાધનો અને યુદ્ધમાં વાપરવામાં આવતા જેમીન ખોદવાના સાધનો (અર્થ મુવર્સ) ની મદદથી ઈરાકના સૈનિકોને જીવતા દાટી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક સમાચારપત્રે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં યુ.એસ. (U.S.)ના સૈન્ય અધિકારીઓને ટાંકીને એવો અંદાજ આપવામાં આવ્યો હતો કે, વર્ષ 1991ના ફેબ્રુઆરી માસની તા. 24-25ના જીવતા દટાઈ જવાના ભયથી, હજારો ઈરાકી સૈનિકોએ આત્મસમપૅણ કર્યુ હતુ. ન્યુઝ ડેમાં પેટ્રીક ડે સ્લોયાના અહેવાલ પ્રમાણે, “ લડાયક બ્રાડલે વાહનો અને બખ્તરગાડીઓએ ઉપર હુમલો કર્યો હતો. માર્યા ગયેલા ઈરાકી સૈનિકોને ટેન્કો પર લગાડવામાં આવેલા સૂરંગ દૂર કરવાના સાધનોની મદદથી દાટી દેવામાં આવતા હતા. "દળના નેતા, [કર્નલ. એન્થની] મોરેનોના આદેશથી, તુરત જ જ હું આ કામમાં જોડાયો હતો...." ત્યાં મેં જોયું કે મોટી સંખ્યામાં(ઈરાકી) સૈનિકો દટાયેલા હતા અને તેમના શસ્ત્રો અને સાધનો વેરવીખેર પડેલા હતા….” [95] આમ છતાં, યુદ્ધ પછી ઈરાકી સરકારે દાવો કર્યો હતો કે, તેમને માત્ર 44 શરીરો મળ્યા હતા.[96] તેમના પુસ્તક, ધ વૉર્સ અગેન્સ સદામ માં જહોન સિમ્પસોને આક્ષેપો કર્યા હતા કે, અમેરિકી (U.S.) સેનાએ આ ઘટનાને દાબી દેવાના પ્રયત્નો કર્યા હતા.[97]
માર્ચ-એપ્રિલ 1991માં યુરોપની સંસદમાં ગલ્ફ વોર અંગે સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં મિલિટરી કાઉન્સિલીંગ નેટવર્કના માઇક ઇર્લિકે નિવેદન આપ્યું હતું કે, "સેંકડો, શક્ય છે કે, હજારો ઈરાકી સૈનિકો આત્મસમર્પણ કરવાના હેતુથી અમેરિકા (U.S.)તરફ આવી રહ્યાં હતા. આત્મસમર્પણના પ્રયાસ રૂપે તેમણે હથિયારો હવામાં ઊંચા રાખ્યા હતા. તેમ છતાં આ જૂથમાંથી કોઈપણને યુદ્ધકેદીઓ નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખુદ આ ટૂકડીના મુખ્ય અધિકારીએ ઈરાકના એક સૈનિકને ટેન્ક-વિરોધી મિસાઇલ દ્વારા ઠાર માર્યો, રણગાડીનો નાશ કરવા માટે વાપરવામાં આવતી મિસાઈલનો ઉપયોગ એક માણસ વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો દરમિયાન ટૂકડીના તમામ સભ્યોએ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું. સાદી ભાષામાં કહીએ તો તે, નરસંહાર હતો.[98]
23 જુન, 1991ના રોજ વોશિંગ્ટન પોસ્ટની આવૃતિમાં સંવાદદાતા બાર્ટ ગેલ્લમાને લખ્યું, "મોટા ભાગના નિશાન (ઈરાકને) હરાવવા માટે જ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક સ્થળોને હેતુપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. લશ્કરી વ્યૂહરચનાકારોને આશા હતી કે, આ બોમ્બમારો ઈરાક પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની આર્થિક અને માનસિક અસરને અનેકગણી વધારી મૂકશે. ઈરાકને ઔદ્યોગિક સમાજ તરીકેની પ્રસ્થાપિત કરતા સ્થળોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું..."[99] જાન્યુઆરી-ફેબ્રુઆરી 1995માં ફોરેન અફેર્સની આવૃતિમાં ફ્રેન્ચ રાજદૂત એરિક રોઉલેઉએ લખ્યું હતું, "[T]સરકારના આ પગાલપન સાથે સીધી રીતે નહીં સંકળાયેલા ઈરાકી નાગરિકોએ પણ આ ગાંડપણની કિંમત ચૂકવી પડી છે... કુવૈતમાંથી ઈરાકી સેનાને ખસેડવા માટે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની વૈધતાને ઈરાકીઓ સમજે છે, પરંતુ, ઈરાકના માળખા અને ઉદ્યોગો, વીજમથકો (કુલ ક્ષમતાનો 92 ટકા હિસ્સો નાશ પામ્યો હતો.), રિફાઈનરીઓ (કુલ ઉત્પાદન ક્ષમતાના 80 ટકા), પેટ્રોકેમિકલ સંકૂલો, સંચાર કેન્દ્રો (135 ટેલિફોન નેટવર્ક સહિત), પુલ (100થી વધુ), માર્ગો, ધોરી માર્ગો, રેલ માર્ગો, સેંકડો રેલ એન્જિનો, માલ ભરેલા રેલ વેગનો, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રો, સિમેન્ટના કારખાના, એલ્યુમિનિયમ, કપડા, ઈલેક્ટ્રિક તાર અને તબીબી સાધનો બનાવતી કંપનીઓનો આયોજનબંધ રીતે નાશ કરવા પાછળના સંગઠીત રાષ્ટ્રોના તર્કને તેઓ (ઈરાકીઓ) સમજી નથી શકતા.[100]
સંયુક્ત સેનાના પ્વોસ(POW) પીડિતો સંઘર્ષ દરમિયાન સંયુક્ત સેનાના વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના ચાલકદળના સભ્યોને પી.ઓ.ડબલ્યુ (પ્રિઝનર્સ ઓફ વોર – યુદ્ધ કેદી) તરીકે ટીવી પર દર્શાવવામાં આવ્યા હતા. જેને જોઈને સ્પષ્ટ રીતે ફલિત થતું હતું કે, તેમને ખરાબ રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હતા. યુદ્ધકેદીઓ સાથે ખરાબ રીતે વર્તાવ કરવામાં આવ્યો હતો અને આ માટે અનેક યુદ્ધકેદીઓએ જુબાની આપી હતી[101], જેમાંના રૉયલ એરફોર્સ ટોર્નાડોના સભ્ય જોન નિકોલ અને જ્હોન પીટર્સેનો પણ સમાવેશ થાય છે. તેમણે આરોપો મૂક્યા કે, કેદમાં તેમના પર અસહ્ય અત્યાચારો કરવામાં આવ્યા હતા.[102][103] નિકોલ અને પિટર્સનની ઉપર ટેલિવિઝન કેમેરા સામે યુદ્ધ વિરોધી નિવેદન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.