એલર્જી
From Wikipedia, the free encyclopedia
એલર્જી (પ્રત્યૂર્જના) એ રોગપ્રતિકારક તંત્રનો અતિસંવેદનશીલતા વિકાર છે.[1] એલર્જીક પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે એલર્જન (એલર્જી પેદા કરતા પદાર્થો, પ્રત્યૂર્જતાજનક) તરીકે ઓળખાતા પર્યાવરણીય પદાર્થો પર થાય છે. આ પ્રતિક્રિયાઓ સંપાદિત, આગાહી કરી શકાય તેવી અને ઝડપી હોય છે. એલર્જી એ અતિસંવેદનશીલતાના ચાર સ્વરૂપ પૈકીનું એક છે અને તેને ટાઇપ I (અથવા તત્કાલ ) અતિસંવેદનશીલતા કહેવાય છે. આઇજીઇ (IgE) તરીકે ઓળખાતા પ્રતિદ્રવ્યના એક પ્રકાર દ્વારા માસ્ટ કોશિકા અને બેસોફિલ (ક્ષાર કરંજી) તરીકે ઓળખાતા ચોક્કસ શ્વેત રૂધિર કોશિકાના વધુ પડતા સક્રિયકરણ દ્વારા તે પેદા થાય છે અને અત્યંત દાહક પ્રતિભાવમાં પરિણમે છે. સામાન્ય એલર્જીક પ્રતિક્રિયાઓમાં ખરજવું, હાઇવ્સ (ચામડીનું એક પ્રકારનું દર્દ), પરાગરજ જવર, દમનો હુમલો, ખોરાકની એલર્જી, અને ભમરી અને મધમાખી જેવા ડંખવાળા કીટકોના વિષ પર પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.[2]
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
માનવ વસતીમાં પરાગરજ જવર જેવી હળવી એલર્જી મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એલર્જીક નેત્રસ્તર દાહ, ખંજવાળ અને નાક નિતરવું જેવા લક્ષણો સર્જે છે. દમ જેવી પરિસ્થિતિમાં એલર્જી મોટી ભૂમિકા ભજવે છે. કેટલાક વ્યક્તિઓમાં પર્યાવરણીય અથવા ખાદ્ય એલર્જન અથવા દવાઓ પ્રત્યેની ગંભીર એલર્જીઓ જીવ પર જોખમ ઉભું કરે તેવી એનાફિલેક્ટિક પ્રતિક્રિયાઓમાં પરિણમી શકે છે.
એલર્જીક પરિસ્થિતિઓનું નિદાન કરવા માટે અત્યારે અનેક પ્રકારના પરીક્ષણો અસ્તિત્વ ધરાવે છે, જેમાં જાણીતા એલર્જન પ્રત્યે પ્રતિભાવ જાણવા ત્વચાનું પરીક્ષણ, એલર્જન ખાસ કરીને આઇજીઇ (IgE)ની હાજરી અને સ્તર જાણવા રૂધિરનું વિશ્લેષણનો સમાવેશ થાય છે. એલર્જી માટેની સારવારમાં એલર્જન એવોઇડન્સ, એલર્જન પ્રત્યે પ્રતિભાવને બિનસંવેદનશીલ બનાવવા એન્ટી-હિસ્ટેમાઇન, સ્ટીરોઇડ અથવા મુખ વાટે લેવાની અન્ય દવાઓ અને રોગપ્રતિકારક ઉપચાર પદ્ધતિના ઉપયોગ અને લક્ષિત ઉપચાર પદ્ધતિનો સમાવેશ થાય છે.