અરુણ જેટલી
From Wikipedia, the free encyclopedia
અરુણ જેટલી (૨૮ ડિસેમ્બર ૧૯૫૨ - ૨૪ ઓગસ્ટ ૨૦૧૯)[1] ભારતીય રાજકારણી અને એટર્ની હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્ય, જેટલીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કામ કર્યું હતું.
અરુણ જેટલી | |
---|---|
નાણાં પ્રધાન | |
પદ પર ૨૬ મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | પી. ચિદંબરમ |
અનુગામી | નિર્મલા સીતારામન |
અંગત વિગતો | |
જન્મ | અરુણ મહારાજ કિશન જેટલી (1952-12-28)28 December 1952 દિલ્હી, ભારત |
મૃત્યુ | 24 August 2019(2019-08-24) (ઉંમર 66) AIIMS, નવી દિલ્હી, દિલ્હી, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | સંગીતા જેટલી (લ. 1982; તેમના મૃત્યુ સુધી 2019) |
સંતાનો | સોનાલી જેટલી બક્ષી રોહન જેટલી |
નિવાસસ્થાન | નવી દિલ્હી, દિલ્હી, ભારત |
માતૃ શિક્ષણસંસ્થા | દિલ્હી યુનિવર્સિટી |
વ્યવસાય |
|
વેબસાઈટ | અધિકૃત વેબસાઇટ |
જેટલી એ અગાઉ વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ અફેર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદો અને ન્યાયના કેબિનેટ સંભાળ્યા હતાં. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી તેમણે રાજ્ય સભામાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી.[2] [3] તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા.[4] [5] [6] તેમણે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સની (જીએસટી) રજૂઆતની દેખરેખ કરી, જેણે દેશને એક જીએસટી શાસન હેઠળ લાવ્યો. તેમના અન્ય યોગદાનમાં ડિમોનેટાઇઝેશન (નોટબંધી), રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જોડવું અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડની ગણના થાય છે.[7] [8] [9] સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અરૂણ જેટલીએ ૨૦૧૯ માં મોદી કેબિનેટમાં જોડાવાનો નિર્ણય કર્યો ન હતો.[10] [11]