ગુજરાત રાજ્યમાં જળપ્લાવીત ક્ષેત્ર From Wikipedia, the free encyclopedia
નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં[2] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[3] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[4] શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. તદઉપરાંત આ સ્થળ એક રામસર સ્થળ પણ છે.
નળ સરોવર પક્ષી અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
પરોઢીયે પક્ષી નિરિક્ષણ માટે નિકળતી હોડીઓ | |
સ્થળ | અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | 22°46′33″N 72°02′21″E |
વિસ્તાર | ૧૨૦.૮૨ ચો. કિ.મી. |
સ્થાપના | ૧૯૬૯ |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
Designations | |
---|---|
Ramsar Wetland | |
અધિકૃત નામ | નળ સરોવર |
ઉમેરેલ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ |
સંદર્ભ ક્રમાંક. | ૨૦૭૮[1] |
આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે. નળ સરોવર નો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે.
નળ સરોવર જળાશય અને નળ સરોવર અભયારણ્યની સરહદ એકમેકમાં પરોવાયેલી છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ અને વન વિભાગ દ્વારા નીચે પ્રમાણેની સરહદ જાહેર કરવામાં આવેલ છે.
દિશા | સરહદ |
---|---|
ઉત્તર | શાહપુર |
પૂર્વ | કાયલા, વેકરીયા, મેણી, દુર્ગી |
દક્ષીણ | શિયાળ |
પશ્ચિમ | દિગ્વિજયગઢ, પરાળી, મુળબાવળા કે મુળ બાવળા, રાણાગઢ, ભગવાનપર, જાળીયાળા, નાની કઠેચી |
અક્ષાંશ અને રેખાંશ | 22° 46'33" N અને 72° 02'21"E |
સમુદ્રની સપાટીથી ઉંચાઇ | ૯.૧૦ મીટર |
આ અભયારણ્ય સરેરાશ ૧,૭૪,૧૨૮ જેટલા પક્ષીઓનું આશ્રયસ્થાન છે. પક્ષી-વસતિ ગણતરીનો ડેટા નીચે મુજબ છે.
વર્ષ | ૧૯૯૨ | ૧૯૯૬ | ૨૦૦૦ | ૨૦૦૨ | ૨૦૦૪ | ૨૦૦૬ | ૨૦૦૮ | ૨૦૧૦ | સરેરાશ |
---|---|---|---|---|---|---|---|---|---|
કુલ સંખ્યા | ૧,૮૭,૭૩૪ | ૧,૪૧,૫૩૪ | ૫૦,૫૮૧ | ૧,૩૪,૯૭૫ | ૧૯૮,૧૩૯ | ૨,૫૨,૬૮૨ | ૨,૫૩,૨૫૪ | ૧,૩૧,૩૦૬ | ૧,૭૪,૧૨૮ |
વર્ષ | ૨૦૧૧ | ૨૦૧૨ | ૨૦૧૩ | ૨૦૧૪ | ૨૦૧૫ | ૨૦૧૬ | ૨૦૧૭ | ૨૦૧૮ | ૨૦૧૯ | ૨૦૨૦ | સરેરાશ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
કુલ સંખ્યા | ૧,૪૩,૦૦૦ | ૩,૧૫,૦૦૦ | |||||||||
અભયારણ્યનાં મુખ્ય અધિકારીના કાર્યાલય નળ સરોવર ખાતે આવેલું છે, જે પ્રવાસન માહિતી પૂરી પાડે છે.
નળ સરોવર, તેમાં આવેલા ટાપુઓ અને આસપાસનાં ગામોમાં પઢાર નામની વિચરતી જનજાતી વસતી જોવા મળે છે જે ગુજરાતમાં ફ્કત આ વિસ્તાર પુરતી મોટેભાગે સિમિત રહી છે. આ જાતિના લોકો વિશીષ્ટ સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
આરક્ષીત યાદીમાં સ્થાન ધરાવતા જીવતા પક્ષીઓ અને શિકાર માટેનાં જાળ અને અન્ય સાધનો અહીંથી પકડાયા છે.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.