From Wikipedia, the free encyclopedia
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર (એમડીડી (MDD)) (હતાશાનો મનોવિકાર) (જે રિકરન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડર , ક્લિનિકલ ડિપ્રેસન , મેજર ડિપ્રેસન , યુનિપોલર ડિપ્રેસન , અથવા યુનિપોલર ડિસઓર્ડર તરીકે ઓળખાય છે) એ માનસિક વિકાર છે જે નિરુત્સાહન અને નીચા આત્મસન્માન, તેમજ સામાન્ય રીતે માણી શકાય તેવી પ્રવૃત્તિઓમાંથી રસ કે આનંદ ગુમાવવા મારફતે પ્રદર્શિત થાય છે. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ (ડીએસએમ-III (DSM-III))ના 1980ના સંસ્કરણમાં આ ચિહ્ન સમૂહને મૂડ ડિસઓર્ડર તરીકે વર્ણવા માટે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશન દ્વારા "મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર" શબ્દ પસંદ કરાયો હતો અને ત્યાર બાદ આ શબ્દ વ્યાપક પણે ઉપયોગમાં છે. સામાન્ય શબ્દ ડિપ્રેસન નો વિકારને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તેનો માનસિક ડિપ્રેસનના અન્ય પ્રકારોના સંદર્ભમાં પણ ઉપયોગ થાય છે. ક્લિનિકલ અને સંશોધન ઉપયોગ માટે ચોક્કસ પરિભાષામાં તેનો ઉપયોગ ટાળવામાં આવે છે. મેજર ડિપ્રેસન એ એવી અક્ષમતાવાળી સ્થિતિ છે જે વ્યક્તિના પરિવાર, કામ અથવા શાળાના જીવન, ઊંઘ અને ખાવાની આદતો અને સામાન્ય આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. અમેરિકામાં મેજર ડિપ્રેસનથી પીડાતા 3.4% ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર 60% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હતા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીએ જાત નોંધેલા અનુભવ, પરિવારજનો અથવા મિત્રોએ નોંધેલી વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. મેજર ડિપ્રેસન માટે પ્રયોગશાળા કસોટી છે છતાં ડોકટરો સમાન ચિહ્નો પેદા કરી શકતી હોય તેવી શારીરિક સ્થિતિઓ માટે કસોટી કરવા વિનંતી કરે છે. જો ડિપ્રેસિવ ડિસઓર્ડર પ્રારંભિક તબક્કામાં જ ન શોધી શકાય તો તેની સારવાર ધીમી પડે છે અને વ્યક્તિના શારીરિક આરોગ્ય પર અસર કરે છે અથવા બગાડે છે. આ બિમારી થવાનો સૌથી સામાન્ય સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, બાદમાં 30 અને 40 વર્ષમાં તે વધે છે.
લાક્ષણિક રીતે, દર્દીઓની એન્ટીડિપ્રેસન્ટ (ડિપ્રેસન વિરોધી દવાઓ)થી સારવાર કરવામાં આવે છે અને ઘણા કિસ્સામાં, મનોરોગ ચિકિત્સા અથવા સલાહ મેળવે છે. જોકે, હળવા કે મધ્યમ કિસ્સાઓ માટે દવાની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે. આત્મ-ઉપેક્ષા સાથે સંકળાયેલા કેસોમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે નહીં તો તે પોતાની જાતને અથવા અન્યને હાનિ પહોંચાડે તેવું ઊંચું જોખમ હોય છે. બહુ ઓછી સંખ્યામાં દર્દીઓને ટૂંકી અસર કરતા જનરલ એનેસ્થેટિક હેઠળ ઇલેક્ટ્રોકન્વલ્સિસ થેરાપી (ઇસીટી (ECT)) દ્વારા સારવાર આપવામાં આવે છે. ડિસઓર્ડરની વિવિધતા વ્યાપકપણે બદલાતી હોય છે, તે કેટલાક સપ્તાહ સુધી ચાલતા એક એપિસોડથી લઇને રિકરન્ટ મેજર ડિપ્રેસિવ એપિસોડ સાથેનો સમગ્ર જીવન સુધી ચાલતો ડિસઓર્ડર હોઇ શકે છે. તબીબી બિમારીઓ પ્રત્યે ઊંચી શંકા અને આપઘાતને કારણે ડિપ્રેસન હેઠળ જીવતા વ્યક્તિની આયુષ્ય અપેક્ષા ડિપ્રેસન વગરના વ્યક્તિ કરતા ટૂંકી હોય છે. દવાની અસરકારકતા આપઘાતના જોખમને અસર કરે છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. વર્તમાન અને ભૂતપૂ્ર્વ દર્દીઓ કલંકિત કરાયા હોઇ શકે છે.
ડિપ્રેસનના સ્વભાવ અને કારણની સમજ અંગે સદીઓથી વિકાસ થયો છે. જોકે, આ સમજ અપૂર્ણ છે અને ડિપ્રેસનના ઘણા પાસાઓ હજુ પણ ચર્ચા અને સંશોધનના વિષય બન્યા છે. ડિપ્રેસનના સૂચિત કારણોમાં માનસશાસ્ત્રીય, મનો-સામાજિક, અનુવાંશિક, વિકાસ અને જૈવવૈજ્ઞાનિક પરિબળોનો સમાવેશ થાય છે. ચોક્કસ પ્રકારની દવાના લાંબા સમય સુધી ઉપયોગથી ડિપ્રેસનના ચિહ્નો પેદા થાય છે અને તેને વધુ વિકટ બનાવે છે. માનસશાસ્ત્રીય સારવારના સિદ્ધાંતો વ્યક્તિત્વ, આંતરવ્યક્તિત્વ પ્રત્યાયન, અને શિક્ષણ આધારિત છે. મોટા ભાગના જૈવવૈજ્ઞાનિક સિદ્ધાંતો મોનોએમાઇન રસાયણો સેરોટોનિન, નોરેપાઇનફ્રાઇન અને ડોપામાઇન પર ભાર મૂકે છે. આ રસાયણો મગજમાં કુદરતી રીતે હાજર હોય છે અને ચેતાકોષો વચ્ચે પ્રત્યાયનમાં મદદ કરે છે.
મેજર ડિપ્રેસન, વ્યક્તિના પરિવાર અને વ્યક્તિગત સંબંધો, કામ અથવા શાળાની જીંદગી, ઉંઘવાની અને જમવાની આદતો અને સામાન્ય સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે.[1] કાર્ય અને સ્વસ્થતા પર તેની અસર મધૂપ્રમેહ જેવી દીર્ઘકાલિન તબીબી સ્થિતિની અસરને સમકક્ષ છે.[2]
મેજર ડિપ્રેસિવ એપિસોડ ધરાવતી વ્યક્તિ ઘણો જ નિરુત્સાહ દર્શાવે છે જે જીવનના તમામ પાસા પર હાવી થઇ જાય છે અને જે પ્રવૃત્તિઓ સામાન્ય રીતે માણી શકાય છે તેમાં તે આનંદનો અનુભવ કરી શકતી નથી. ડિપ્રેસનવાળા લોકો નિર્થકતા, અયોગ્ય અપરાધ અથવા ખેદ, લાચારી, નિરાશા, અને આત્મ-ધૃણાના વિચારો અને લાગણીઓથી ઘેરાયેલા હોય છે અથવા તેને વાગોળતા હોય છે.[3] ગંભીર કિસ્સાઓમાં ડિપ્રેસનવાળા લોકો મનોવિક્ષિપ્તિ (સાયકોસિસ)ના ચિહ્નો દર્શાવતા હોઇ શકે છે. આ ચિહ્નોમાં ભ્રમણા અથવા દગભ્રમનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે અપ્રિય હોય છે.[4] ડિપ્રેસનના અન્ય ચિહ્નોમાં નબળી એકાગ્રતા અને સ્મરણશક્તિ (ખાસ કરીને, મેલાન્કોલિક (ખેદોન્માદ) અથવા મનોવિક્ષિપ્ત લોકોમાં),[5] સામાજિક સ્થિતિ અને પ્રવૃત્તિઓમાંથી પાછા ખસી જવું, કામેચ્છા ઘટી જવી અને મૃત્યુ અથવા આપઘાતના વિચારોનો સમાવેશ થાય છે.
ડિપ્રેસનવાળી વ્યક્તિઓમાં અનિદ્રા સામાન્ય છે. લાક્ષણિક શૈલીમાં વ્યક્તિ ખુબ જ વહેલો ઉઠી જાય છે અને ઊંઘી શકતો નથી[6] પરંતુ અનિદ્રા નિંદ્રાધિન થવામાં મુશ્કેલીનો પણ સમાવેશ કરી શકે છે.[7] અનિદ્રા ડિપ્રેસનવાળા 80 ટકા લોકોને અસર કરે છે.[7] અતિ નિદ્રાશીલતા અથવા વધુ પડતી ઊંઘ પણ થઇ શકે છે.[6] તે ડિપ્રેસનવાળા 15 ટકા લોકોને અસર કરે છે.[7] કેટલીક ડિપ્રેસન વિરોધી દવાઓ તેમની ઉત્તેજન અસરોને કારણે અનિદ્રા સર્જી શકે છે.[8]
ડિપ્રેસનવાળી વ્યક્તિ એકથી વધુ શારીરિક ચિહ્નો દર્શાવી શકે છે. જેમ કે, થકાવટ, માથાનો દુખાવો, અથવા પાચન અંગેની તકલીફો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિપ્રેસનના માપદંડ મુજબ વિકાસશીલ દેશોમાં શારીરિક ફરિયાદો સૌથી સામાન્ય સમસ્યા છે.[9] ભૂખ ઘટી જાય છે જેને પગલે વજન ઘટે છે. જોકે, કેટલીકવાર ભૂખ વધતા વજન પણ વધવાના પણ કિસ્સા બને છે.[3] પીડિત વ્યક્તિના પરિવારજનો અથવા મિત્રો જોઇ શકે છે કે વ્યક્તિની વર્ણતૂક ઉશ્કેરાયેલી અથવા સુસ્ત બની છે.[6]
બાળકોના સંદર્ભમાં ડિપ્રેસનનો વિચાર ઘણો વિવાદાસ્પદ છે અને જ્યારે આત્મ-છબી વિકસે છે અને સંપૂર્ણ સ્થાપિત થાય છે ત્યારે લેવાયેલા મંતવ્ય પર આધાર રાખે છે. ડિપ્રેસનવાળા બાળકો ડિપ્રેસનવાળી મનોસ્થિતિ દર્શાવવાના સ્થાને સહેજમાં ખિજાઇ જાય છે[3] અને તેમની ઉંમર અને સ્થિતિને આધારે અલગ અલગ ચિહ્નો દર્શાવે છે.[10] મોટા ભાગના બાળકોનો શાળામાંથી રસ ઉડી જાય છે અને શૈક્ષણિક દેખાવમાં ઘટાડો દર્શાવે છે. તેમને જક્કી, વધુ પડતી માંગ કરતા, અવલંબિત અથવા અસુરક્ષિત તરીકે વર્ણવી શકાય છે.[6] જ્યારે ચિહ્નોનું સામાન્ય મનોભાવના બદલાવાવાળી સામાન્ય સ્થિતિ તરીકે અર્થઘટન કરવામાં આવે છે ત્યારે નિદાન વિલંબમાં પડી શકે છે અથવા ચૂકી જવાય છે.[3] ડિપ્રેસનની સાથે એટેન્શન-ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી (ADHD)) હોઇ શકે છે જે બંનેનું નિદાન અને સારવાર જટીલ બનાવે છે.[11]
ડિપ્રેસનવાળી ઉંમરલાયક વ્યક્તિઓ તાજેતરના હુમલાના જ્ઞાનાત્મક ચિહ્નો ધરાવતા હોઇ શકે છે. જેમકે, વિસ્મૃતિ,[5] અને હલનચલન ધીમે પડવી.[12] ઉમરલાયક વ્યક્તિઓમાં ડિપ્રેસન ઘણીવાર શારીરિક વિકારોની સાથે અસ્તિત્વ ધરાવે છે. જેમકે, હુમલો, અન્ય રૂધિરાભિષણને લગતી બિમારીઓ, ઘડપણમાં થતો ધ્રૂજારીનો રોગ, અને દીર્ઘકાલિન અવરોધાત્મક ફુપ્સુસીય રોગ.[13]
જૈવમનોસામાજિક મોડલ સૂચવે છે કે જૈવવૈજ્ઞાનિક, માનસશાસ્ત્રીય અને સામાજિક પરિબળો એમ ત્રણેય ડિપ્રેસન સર્જવામાં ભૂમિકા ભજવે છે.[14] ડાયાથેસિસ-સ્ટ્રેસ મોડલ સૂચવે છે કે જ્યારે પહેલેથી અસ્તિત્વમાં રહેલી અસુરક્ષા અથવા ડાયાથેસિસ જીવનની તણાવપૂર્ણ ઘટનાઓ દ્વારા સક્રિય કરાઇ હોય ત્યારે ડિપ્રેસન સર્જાય છે. પહેલેથી અસ્તિત્વમાં રહેલી અસુરક્ષા જનીની,[15][16] એટલે કે પ્રકૃતિ અને પાલનપોષણ વચ્ચેનો સંવાદ, અથવા યોજનાકીય હોઇ શકે છે. યોજનાકીય અસુરક્ષા બાળપણમાં દુનિયા અંગે શિખેલા ખ્યાલોમાંથી પેદા થાય છે.[17]
આ આંતરસક્રિય મોડેલોને પ્રયોગમૂલક ટેકો મળ્યો છે. દાખલા તરીકે, ન્યૂ ઝીલેન્ડના સંશોધકોએ લોકોના પ્રારંભિક સામાન્ય ઉદબોધકમાં ડિપ્રેસન કેવી રીતે ઉભરે છે તેનું લાંબા સમય સુધી દસ્તાવેજીકરણ કરીને, ડિપ્રેસનનો અભ્યાસ કરવા અપેક્ષા અભિગમ અપનાવ્યો. સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે, સેરોટોનિન વાહક (5-એચટીટી (5-HTT)) જનીનમાં વિવિધતા તે શક્યતાને અસર કરે છે કે, જે લોકોને જીવનની તણાવપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડે છે અને તેમને ડિપ્રેસન થઇ શકે છે. આવી ઘટનાઓ બાદ ડિપ્રેસન આવી શકે છે પરંતુ 5-એચટીટી (5-HTT) જનીનમાં એક કે બે વૈકલ્પિક કારકો ઓછા ધરાવતા લોકોમાં ડિપ્રેસન થવાની શક્યતા વધુ જણાય છે.[15] વધુમાં, સ્વિડીશ અભ્યાસે ડિપ્રેસનના વારસા -જનીની તફાવત સાથે સંકળાયેલા દેખાવમાં વ્યક્તિગત તફાવતની માત્રા- નો અંદાજ કાઢ્યો હતો. તે મહિલાઓ માટે 40 ટકા અને પુરૂષો માટે 30 ટકા હતો.[18] વિકાસીય મનોવૈજ્ઞાનિકોએ સૂચવ્યું હતું કે ડિપ્રેસનના જનીની મૂળ પ્રાકૃતિક રીતે પસંદ કરાયેલા અનુકૂલનના ઇતિહાસમાં ઊંડે રહેલા છે. મેજર ડિપ્રેસનને મળતો આવતો પદાર્થ ઉત્તેજિત મિજાજ વિકાર લાંબા ગાળા સુધી દવાના ઉપયોગ અથવા દવાના દુરુપયોગ અથવા ચોકક્સ ઘેનની દવાઓ બંધ કરવી અને કૃત્રિમ નિંદ્રા આણનારી દવાઓ સાથે સંકળાયેલો છે.[19][20]
મોટા ભાગની એન્ટીડિપ્રેસન્ટ દવાઓ મગજમાં ચેતાકોષો વચ્ચેની ચેતોપાગમ ફાટમાં એક અથવા એકથી વધુ મોનોએમાઇન -ચેતાપ્રેષક દ્રવ્યો સેરોટોનિન, નોરેપાઇનફ્રાઇન અને ડોપામાઇન—ના સ્તરમાં વધારો કરે છે. કેટલીક દવાઓ મોનોએમાઇન ગ્રાહકોને સીધી અસર કરે છે.
સેરોટોનિન અન્ય ચેતાપ્રેષક પ્રણાલીઓનું નિયમન કરતી હોવાની પૂર્વધારણા છે. સેરોટોનિની ઘટેલી પ્રવૃત્તિ આ પ્રણાલીઓને અસામાન્ય અને અનિયમિત રીતે કાર્ય કરવા દે છે.[22] આ "માન્યતાશીલ પૂર્વધારણા" મુજબ, ડિપ્રેસન ત્યારે પેદા થાય છે જ્યારે સેરોટોનિનનું નીચું સ્તર અન્ય મોનોએમાઇન ચેતાપ્રેષક દ્રવ્ય નોરેપાઇનફ્રાઇનના નીચા સ્તરને પ્રોત્સાહન આપે છે.[23] કેટલીક ડિપ્રેસન વિરોધી દવાઓ નોરેપાઇનફ્રાઇનનું સ્તર સીધું વધારે છે જ્યારે અન્ય દવાઓ ત્રીજા મોનોએમાઇન ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનનું સ્તર વધારે છે. આ નિરીક્ષણો ડિપ્રેસનની મોનોએમાઇન પૂર્વધારણાનો ઉદભવ કરે છે. મોનોએમાઇન પૂર્વધારણા તેની સમકાલિન રચનામાં જણાવે છે કે ચોક્કસ ચેતાપ્રેષક દ્રવ્યોની ઉણપ ડિપ્રેસનના સંબંધિત ગુણધર્મો માટે જવાબદાર છે: "નોરેપાઇનફ્રાઇનનો બદલાવ અને ઊર્જા તેમજ અસ્વસ્થતા, એકાગ્રતા, અને જીવનમાં રસ સાથે સંબંધ હોઇ શકે છે; સેરોટોનિન[ના અભાવ]નો અસ્વસ્થતા, મનોગ્રસ્તિ અને અનિવાર્ય આવેગો સાથે સંબંધ હોઇ શકે છે અને ડોપામાઇનનો એકાગ્રતા, પ્રેરણા, ખુશી અને બક્ષિસ તેમજ જીવનમાં રસ સાથે સંબંધ હોઇ શકે છે."[24] આ સિદ્ધાંતના સમર્થકો સૌથી અગ્રણી ચિહ્નોને અસર કરતી હોય તેવી કાર્યની પ્રણાલી સાથે ડિપ્રેસન વિરોધી દવાની પસંદગીની ભલામણ કરે છે. ચિંતાતુર અને શીઘ્રકોપી દર્દીઓને એસએસઆરઆઇ (SSRI) અથવા નોરેપાઇનફ્રાઇન રિઅપટેક ઇનહિબિટર્સની સારવાર આપવી જોઇએ અને જે લોકો જીવનની ઊર્જા અને ખુશી ગુમાવી ચૂક્યા છે તે લોકોને નોરેપાઇનફ્રાઇન- અને ડોપામાઇન-વધારતી દવાઓ દ્વારા સારવાર આપવી જોઇએ.[24]
એવા ક્લિનિકલ નિરીક્ષણ કે, ઉપલબ્ધ મોનોએમાઇનની માત્રાને વધારતી દવાઓ અસરકારક ડિપ્રેસન વિરોધી દવાઓ છે તે, ઉપરાંત તાજેતરની મનોરોગ ચિકિત્સા જનીનવિદ્યા સૂચવે છે કે કેન્દ્રીય મોનોએમાઇનના કાર્યમાં ફોનેટાઇપિક વિવિધતા ડિપ્રેસન પ્રત્યે અસુરક્ષા સાથે સહેજ સંકળાયેલી હોઇ શકે છે. આ અવલોકનો છતાં ડિપ્રેસનનું કારણ માત્ર મોનોએમાઇનની ઉપણ નથી.[25] છેલ્લા બે દાયકામાં સંશોધનોએ મોનોએમાઇન પૂર્વધારણાની અનેક મર્યાદાઓ છતી કરી છે અને મનોરોગ ચિકિત્સક સમુદાયમાં તેની ખુલાસારૂપ અયોગ્યતા ઉજાગર થઇ છે.[26] પ્રતિદલીલ તે છે કે, એમએઓ (MAO) અવરોધકો અને એસએસઆરઆઇ (SSRI)ની મનોસ્થિતિ સુધારતી અસરો વિકસતા સારવારના સપ્તાહો લાગે છે જ્યારે ઉપલબ્ધ મોનોએમાઇનમાં વધારો કલાકોમાં થાય છે. અન્ય પ્રતિદલીલ મોનોએમાઇન ઘટાડતા ઔષધવિજ્ઞાનને લગતા પદાર્થો પર પ્રયોગોને આધારિત છે. કેન્દ્રીય રીતે ઉપલબ્ધ મોનોએમાઇનની સાંદ્રતામાં ઇરાદાપૂર્વકનો ઘટાડો સારવાર વગરના ડિપ્રેસનવાળા દર્દીની મનોસ્થિતિ ઘટાડી શકે છે ત્યારે આ ઘટાડો તંદુરસ્ત વ્યક્તિની મનોસ્થિતિ ઘટાડતી નથી.[25] ડિપ્રેસન વિરોધી દવાઓને ઉપચારક અસરકારકતા હાંસલ કરવા માટે અકબંધ[સ્પષ્ટતા જરુરી] મોનોએમાઇન પ્રણાલી જરૂરી છે[27] પરંતુ ટિયાનેપ્ટાઇન એ સેરોટોનિન અપટેક વર્ધક છે અને ઓપિપ્રામોલની મોનોએમાઇન પ્રણાલી પર કોઇ અસર નથી તે હકીકત છતાં, ટિયાનેપ્ટાઇન અને ઓપિપ્રામોલ જેવી કેટલીક દવાઓ ડિપ્રેસન વિરોધી ગુણધર્મો ધરાવે છે.[સંદર્ભ આપો] મોનોએમાઇન પૂર્વધારણાને સામાન્ય પ્રજા સમક્ષ જ્યારે માર્કેટિંગના સાધન તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે તેને "રાસાયણિક અસંતુલન" તરીકે કહેવામાં આવે છે.[28]
કેટલીક વ્યક્તિઓમાં જીવન તણાવ ડિપ્રેસિવ એપિસોડનો પૂર્વસંકેત છે પરંતુ અન્ય વ્યક્તિઓમાં નથી તે બાબત સમજાવવા માટે 2003માં સેરોટોનિક વાહક સાથે સંકળાયેલા પ્રોત્સાહન ક્ષેત્રો (5-એચટીટીએલપીઆર (5-HTTLPR))ના વૈકલ્પિક કારકોમાં ફેરફારને આધારે જનીન પર્યાવરણ આંતરક્રિયા (જીએક્સઇ (GxE))ની પૂર્વધારણા રચાઇ હતી.[29] 2009નું અધિવિશ્લેષણ સૂચવતું હતું કે ડિપ્રેસન સાથે તણાવપૂર્ણ ઘટનાઓ જોડાયેલી હતી પરંતુ તેના 5-એચટીટીએલપીઆર (5-HTTLPR) જીનોટાઇપ સાથે સંબંધના કોઇ પુરાવા મળ્યા ન હતા.[30] 2009નું અન્ય એક અધિવિશ્લેષણ પાછળના અવલોકનો સાથે સહમત થતું હતું.[31] આ ક્ષેત્રમાં અભ્યાસોની 2010 સમીક્ષામાં પર્યાવરણીય પ્રતિકૂળતાના આકલન માટે વપરાયેલી પદ્ધતિ અને અભ્યાસોના પરિણામો વચ્ચે પદ્ધતિસરનો સંબંધ જણાયો હતો. આ સમીક્ષામાં તે પણ જણાયું હતું કે બંને 2009 અધિવિશ્લેષણો નકારાત્મક અભ્યાસ તરફી હતા જેમણે પ્રતિકૂળતાના આત્મ-અહેવાલ પગલાનો ઉપયોગ કર્યો હતો.[32]
ડિપ્રેસનવાળા દર્દીઓના એમઆરઆઇ (MRI) સ્કેનમાં ડિપ્રેસનવાળા વ્યક્તિઓના મગજના બંધારણમાં ડિપ્રેસનવગરના વ્યક્તિઓ કરતા કરતા ઘણો તફાવત જણાયો હતો. પરિણામોમાં કેટલીક સાતત્યતા નથી છતાં, અધિવિશ્લેષણો જણાવે છે કે તેમાં નાના હિપ્પોકેમ્પલ કદ[33] અને હાયપરઇન્ટેન્સિવ લેઝન્સની વધેલી સંખ્યા માટે પુરાવા છે.[34] હાયપરઇન્ટેન્સિટી મોટી ઉંમરના લોકો સાથે સકંળાયેલી છે અને તેમાંથી વેસ્ક્યુલર ડિપ્રેસનનો સિદ્ધાંત વિકસ્યો છે.[35]
મનોસ્થિતિ અને સ્મરણશક્તિના કેન્દ્ર હિપ્પોકેમ્પસ[36]ના ન્યૂરોજીનેસિસ અને ડિપ્રેસન વચ્ચે સંબંધ હોઇ શકે છે. ડિપ્રેસનવાળી કેટલીક વ્યક્તિઓમાં હિપ્પોકેમ્પલ ચેતાકોષોનું નુકસાન જણાયું છે અને નબળી સ્મરણશક્તિ અને ડાયસ્થિમિક મનોસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે.દવાઓ મગજમાં સેરોટોનિનનું સ્તર વધારી અને ન્યૂરોજીનેસિસ ઉત્તેજિત કરી શકે છે અને આમ હિપ્પોકેમ્પસનું કુલ દળ વધારે છે. આ વધારો મનોસ્થિતિ અને સ્મરણશક્તિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.[37][38] લાગણીસભર વર્તણૂકના મોડ્યુલેશનમાં જોવા મળતા ડિપ્રેસન અને એન્ટિરીયર સિન્ગ્યુલેટ કોર્ટેક્સ વચ્ચે પણ સમાન સંબંધ જોવા મળ્યો છે.[39] ન્યરોજીનેસિસ માટે જવાબદાર ન્યૂરોટ્રોફિન્સ પૈકીનું એક ન્યૂરોટ્રોફિન બ્રેઇન-ડિરાઇવ્ડ ન્યૂરોટ્રોફિક ફેક્ટર (બીડીએનએફ (BDNF)) છે. ડિપ્રેસનવાળા વ્યક્તિના રક્ત કોષરસમાં બીડીએનએફ (BDNF)નું સ્તર સામાન્ય કરતા (ત્રણ ગણાથી વધુ) ઘટેલું હોય છે. ડિપ્રેસન વિરોધી સારવાર રૂધિરનું બીડીએનએફ (BDNF) સતર વધારે છે. અન્ય ઘણા ડિસઓર્ડરમાં કોષરસ બીડીએનએફ (BDNF)નું ઘટેલું સ્તર જોવા મળ્યું છે છતાં, એવા કેટલાક પુરાવા છે કે બીડીએનએફ (BDNF) ડિપ્રેસનના કારક અને ડિપ્રેસન વિરોધી દવાના કાર્ય સાથે સંકળાયેલું છે.[40]
એવા કેટલાક પુરાવા પણ છે કે, હાયપોથેલેમિક-પિચ્યુટરી-એડ્રિનાલ એક્સિસ (એચપીએ એક્સિસ (HPA axis))ની વધુ પડતી સક્રિયતાને કારણે આંશિક રીતે મેજર ડિપ્રેસન સર્જાઇ શકે છે. જે તણાવ પ્રત્યે ન્યૂરો-એન્ડોક્રાઇનની અસર જેવી અસરમાં પરિણમે છે. તપાસમાં અંતઃસ્ત્રાવ કોર્ટિસોલનું વધેલું સ્તર અને પિચ્યુટરી અને અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું વધેલું કદ જાણવા મળ્યું હતું જે સૂચવે છે કે કેટલાક મેજર ડિપ્રેસન સહિતના કેટલાક મનોરોગ ચિકિત્સક ડિસઓર્ડરમાં અંતઃસ્ત્રાવી તંત્ર ભૂમિકા ભજવી શકે છે. હાયપોથેલેમસમાંથી કોર્ટિકોટ્રોપિન મુક્ત કરતા અંતઃસ્ત્રાવનું વધુ પડતું સંશ્લેષણ આના માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે અને તે જ્ઞાનાત્મક અને ઉત્તેજન ચિહ્નો સાથે સંકળાયેલા છે.[41]
પ્રજનનક્ષમ અવસ્થા, પ્રસૂતિ પહેલાનો સમયગાળો અને મેનોપોઝ બાદ ઘટેલા દર બાદ ડિપ્રેસિવ એપિસોડના જોખમમાં વધારાને કારણે એસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં સંકળાયેલો હોવાનું જણાયું છે.[42] તેનાથી વિપરિત માસિક સ્ત્રાવ અગાઉના અને પાછળના સમયગાળામાં એસ્ટ્રોજનનું નીચું સ્તર પણ વધેલા જોખમ સાથે સંકળાયેલું છે.[42] અચાનક પાછા ખસી જવું, ચડાવ ઉતાર અથા એસ્ટ્રોજનના સાતત્યપૂર્ણ નીચા સ્તર નોંધપાત્ર નબળી મનોસ્થિતિ સાથે જોડવામાં આવેલા છે. એસ્ટ્રોજનનાનું સ્તર સ્થિર થયા બાદ અથવા પુનઃસ્થાપિત થયા બાદ ડિપ્રેસન પોસ્ટપાર્ટમ, પેરીમેનોપોઝ અને પોસ્ટમેનોપોઝમાંથી ક્લિનિકલ રિકવરી અસરકારક જણાઇ હતી.[43][44]
અન્ય સંશોધનોએ કુલ કોષીય કાર્ય માટે જરૂરી અણુ સાયટોકાઇનની સંભવિત ભૂમિકાની શક્યતા ચકાસી છે. મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના ચિહ્નો માંદગીની વર્તણૂકના ચિહ્નોને મળતા આવે છે, માંદગીની વર્તણૂક એ રોગપ્રતિકારક તંત્ર જ્યારે ચેપ સામે લડી રહ્યું હોય છે ત્યારે શરીરની પ્રતિક્રિયા છે. આ બાબત તે શક્યતાને પ્રોત્સાહન આપે છે કે સર્ક્યુલેટરી સાયટોકાઇન્સમાં અસાધારણતાના પરિણામ સ્વરૂપ માંદગીની વર્તણૂક સાથે ડિપ્રેસન સંકળાયેલું છે.[45] અંકુશના સ્થાને ડિપ્રેસ્ડ વિષયોમાં આઇએલ-6 (IL-6) અને ટીએનએફ-આલ્ફા (TNF-α)ની ઊંચી રૂધિર સાંદ્રતા દર્શાવતા ક્લિનિકલ લિટરેચરના અધિવિશ્લેષણ ડિપ્રેસનમાં પ્રો-ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન્સની દ્રઢ ભૂમિકા સૂચવે છે.[46]
વ્યક્તિત્વ અને તેના વિકાસના વિવિધ પાસાઓ ડિપ્રેસનના ઉદભવ અને સાતત્ય સાથે સંકળાયેલા હોય તેમ જણાય છે.[47] તેમાં નકારાત્મક લાગણી એક સામાન્ય પૂર્વચિહ્ન છે.[48] ડિપ્રેસિવ એપિસોડ પ્રતિકૂળ ઘટનાઓ સાથે દ્રઢપણે સંકળાયેલા હોયા છતાં વ્યક્તિની પરિસ્થિતિને પહોંચી વળવાની શૈલી પણ તેમની સ્થિતિસ્થાપકતા સાથે સંકળાયેલી છે.[49] વધુમાં, ઓછું આત્મસન્માન અને આત્મ-પરાજયની લગણી અથવા વિકૃત વિચારો ડિપ્રેસન સાથે સંકળાયેલા છે. જે લોકો ધાર્મિક છે તેમનામાં ડિપ્રેસન આવવાની શક્યતા ઓછી છે તેમજ તેઓ ઝડપથી ડિપ્રેસનમાંથી છૂટકારો મેળવી શકે છે.[50][51][52] કયા પરિબળો ડિપ્રેસનના કારણો છે અથવા કયા પરિબળો ડિપ્રેસનની અસર છે તે હંમેશા સ્પષ્ટ નથી છતાં ડિપ્રેસનવાળી જે વ્યક્તિઓ તેમની વિચાર શૈલીને પ્રતિબિંબિત કરી શકે છે કે પડકારી શકે છે તેઓ સુધરેલી મનોસ્થિતિ અને આત્મસન્માન દર્શાવે છે.[53]
અમેરિકન મનોરોગ ચિકિત્સક એરોન ટી. બેકએ અત્યારે જે ડિપ્રેસનના જ્ઞાનાત્મક મોડલ તરીકે ઓળખાય છે તે 1960ના દાયકાની શરૂઆતમાં વિકસાવ્યું હતું. તેઓ જ્યોર્જ કેલી અને એલ્બર્ટ એલિસએ અગાઉ કરેલા કામને અનુસર્યા હતા. તેણે દરખાસ્ત કરી હતી કે ડિપ્રેસનની નીચે ત્રણ વિચાર રહેલા છેઃ જેમાં નકારાત્મક વિચારો, પોતાની જાત, પોતાની દુનિયા અને પોતાના ભાવિ અંગે જ્ઞાનાત્મક ભૂલો, હતાશાપૂર્ણ વિચારોની રિકરન્ટ શૈલી અથવા પદ્ધતિસર નું અને વિકૃત માહિતી પ્રસંસ્કરણની ત્રીપૂટીનો સમાવેશ થાય છે.[54] આ સિદ્ધાંતો પરથી તેણે જ્ઞાનાત્મક વર્તણૂકીય થેરાપી (સીબીટી (CBT))ની તકનીક વિકસાવી.[55] અમેરિકન મનોવૈજ્ઞાનિક માર્ટિન સેલીગમેન મુજબ, માનવમાં ડિપ્રેસન એ પ્રયોગશાળામાં પ્રાણીઓમાં શિક્ષિત લાચારીને સમાન છે. પ્રયોગશાળામાં પ્રાણીઓ અપ્રિય સ્થિતિમાં રહે છે. તેઓ ભાગી જવાને સક્ષમ છે પરંતુ એમ કરતા નથી કારણકે તેમને પહેલેથી જ શિખવવામાં આવ્યું છે કે તેમની પાસે કોઇ અંકુશ નથી.[56]
1960ના દાયકામાં એટેચમેન્ટ થિયરી વિકસાવનાર અંગ્રેજી મનોરોગ ચિકિત્સક જોહન બોલ્બી પુખ્તાવસ્થામાં ડિપ્રેસિવ ડિસઓર્ડર અને બાળપણમાં બાળક અને તેના પુખ્ત વાલી વચ્ચેના સંબંધની ગુણવત્તા વચ્ચે સંબંધ હોવાનું જણાવે છે. "પ્રારંભિક નુકસાનના અનુભવ, વિભાજન અને માતાપિતા અથવા પાલક તરફથી રદીયો અસુરક્ષિત આંતરિક કાર્ય મોડલ રચે છે (જે બાળકને એવો સંદેશ આપે છે તે કે અપ્રિય છે)..... પોતાની જાતની અપ્રિય તરીકે આંતરિક જ્ઞાનાત્મક રજૂઆત અને અપ્રિય અથવા અવિશ્વાસુ તરીકેનું જોડાણ બેકની જ્ઞાનાત્મક ત્રીપૂટીના સતત હશે."[57] વિવિધ પ્રકારના અભ્યાસો એટેચમેન્ટ થિયરીને સમર્થન આપે છે ત્યારે જોતે નોંધેલું પ્રારંભિક જોડાણ અને બાદમાં ડિપ્રેસન વચ્ચે સંબંધ છે કે કેમ તે અંગે સંશોધન અપૂર્ણ છે.[57]
ડિપ્રેસનવાળી વ્યક્તિ ઘણીવાર નકારાત્મક ઘટનાઓ માટે પોતાની જાતને દોષી ઠેરવે છે[58] અને પોતાની જાતે નોંધેલા ડિપ્રેસનવાળા હોસ્પિટલમાં દાખલ કરાયેલા કિશોરો પરના 1993ના અભ્યાસમાં જેમ જોવા મળે છે તેમ જે લોકો નકારાત્મક ઘટનાઓ માટે પોતાની જાતને દોષી ઠેરવે છે તેઓ હકારાત્મક પરિણામોનો શ્રેય લઇ શકતા નથી.[59] આ વલણ ડિપ્રેસિવ એટ્રિબ્યુશન અથવા નિરાશાવાદી ખુલાસારૂપ શૈલીના ગુણધર્મ છે.[58] સામાજિક જ્ઞાનાત્મક સિદ્ધાંત સાથે સંકળાયેલા કેનેડીયન સામાજિક મનોવૈજ્ઞાનિક એલ્બર્ટ બેન્ડુરા મુજબ, ડિપ્રેસનવાળી વ્યક્તિઓ નિષ્ફળતાના અનુભવ, સામાજિક મોડલની નિષ્ફળતાનું નિરીક્ષણ, તે સફળ થઇ શકશે તેવી સામાજિક માન્યતાનો અભાવ અને ભાર અને તણાવ સહિતની તેની પોતાની શારીરિક અને લાગણીની સ્થિતિને આધારે પોતાની જાત પ્રત્યે નકારાત્મક વિચાર ધરાવે છે. આ પ્રભાવ નકારાત્મક આત્મ-વિભાવના અને આત્મ-કાર્યક્ષમતાના અભાવમાં પરિણમી શકે છે. માટે તેઓ એવું નથી વિચારતા કે તેઓ ઘટનાઓ પર પ્રભાવ પાડી શકે છે અથવા વ્યક્તિગત હેતુ હાંસલ કરી શકે છે.[60]
મહિલાઓમાં ડિપ્રેસનનો અભ્યાસ સૂચવે છે કે, વહેલું માતૃત્વ નુકસાન, વિશ્વાસપાત્ર સંબંધોનો અભાવ, ઘરે કેટલાક બાળકોની સંભાળની જવાબદારી અને બેરોજગારી જેવા અસુરક્ષિત પરિબળો મહિલાઓમાં ડિપ્રેસનનું જોખમ ઉભું કરી શકે છે.[61] મોટી ઉંમરના પુખ્તોમાં આ પરિબળો આરોગ્ય સમસ્યા, સંભાળ આપવાની અથવા સંભાળ મેળવવાની ભૂમિકામાં સંક્રાંતિને કારણે પત્ની અથવા પુખ્ત બાળકો સાથેના સંબંધમાં પરિવર્તન, પ્રિય વ્યક્તિનું મૃત્યુ અથવા જૂના મિત્રોના આરોગ્યને લગતા જીવન પરિવર્તનોને કારણે તેમની સાથેના સામાજિક સંબંધની પ્રાપ્યતા અથવા ગુણવત્તામાં પરિવર્તન વગેરે હોઇ શકે છે.[62]
ડિપ્રેસનને સમજવામાં મનોવિજ્ઞાનની સાયકોએનાલિટિક અને હ્યુમનિસ્ટિક શાખાનું પણ યોગદાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયન મનોરોગ ચિકિત્સક સિગમન્ડ ફ્રીયુડના ક્લાસિકલ મનોવિશ્લેષણ મત મુજબ ડિપ્રેસન અથવા ખેદોન્માદ આંતરવ્યક્તિત્વ નુકસાન[63][64] અને જીવનના પ્રારંભિક અનુભવો સાથે સંબંધ ધરાવતા હોઇ શકે છે.[65] એક્ઝિસ્ટેન્શિયલ થેરાપિસ્ટ એ ડિપ્રેસનને વર્તમાનમાં અર્થ[66] અને ભાવિની દૃષ્ટિના અભાવ સાથે જોડે છે.[67][68] હ્યુમનિસ્ટિક મનોવિજ્ઞાનના સ્થાપક અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસલોએ સૂચવ્યું હતું કે, ડિપ્રેસન ત્યારે ઉદભવે છે જ્યારે લોકો તેમની જરૂરિયાતો પુરી કરી શકતા નથી અથવા પોતાની પૂર્ણ ક્ષમતા જાણવા આત્મ-વાસ્તવિકતા જાણી શકતા નથી.[69][70]
ગરીબી અને સામાજિક અલગતા માનસિક આરોગ્યની સમસ્યાના વધેલા જોખમ સાથે સંકળાયેલા છે.[47] બાળક સાથે દુર્વ્યવ્હાર (શારીરિક, ભાવુક, જાતીય, અથવા ઉપેક્ષા) પણ પાછલી ઉંમરમાં ડિપ્રેસિવ ડિસઓર્ડર વિકસાવવાના જોખમ સાથે સંકળાયેલા છે.[71] વિકાસના વર્ષો દરમિયાન બાળક શીખે છે કે તેણે સામાજિક વ્યક્તિ કેવી રીતે બનવું, આ બાબતને જોતા આ જોડાણ સારી માન્યતા ધરાવે છે. પાલક દ્વારા બાળક સાથે દુર્વ્યવ્હાર બાળકના વ્યક્તિત્વના વિકાસને અસર કરે છે અને ડિપ્રેસન તેમજ અન્ય ઘણી માનસિક અને ભાવુક સ્થિતિઓ માટે મોટું જોખમ ઉભું કરે છે. પિતૃ ડિપ્રેસન (ખાસ કરીને માતૃપક્ષે) જેવા પરિવારના કાર્યમાં વિક્ષેપ, ગંભીર લગ્ન ઘર્ષણ અથવા છૂટાછેડા, માતાપિતાનું મૃત્યુ અથવા ઉછેરમાં અન્ય વિક્ષેપ વધારાના જોખમ પરિબળો છે.[47] પુખ્તાવસ્થામાં જીવનની તણાવભરી ઘટનાઓ મેજર ડિપ્રેસિવ એપિસોડ સાથે સંકળાયેલી છે.[72] આ સંદર્ભમાં સામાજિક ઉપેક્ષા સાથે સંકળાયેલી જીવનની ઘટનાઓ ડિપ્રેસન સાથે સંકળાયેલી હોય તેમ જણાય છે.[73][74] જીવનની તણાવપૂર્ણ ઘટનાની અગાઉ થતો ડિપ્રેસનનો પ્રથમ એપિસોડ રિકરન્ટ હોય છે તેવા પુરાવા તે પૂર્વધારણા સાથે મેળ ખાય છે કે લોકો ડિપ્રેસનના સતત ઉદભવથી જીવનના તણાવ પ્રત્યે વધુ સંવેદનશીલ થાય છે.[75][76]
જીવનની તણાવપૂર્ણ ઘટનાઓ અને સામાજિક સમર્થન વચ્ચે સંબંધ ચર્ચાનો વિષય છે. સામાજિક સમર્થનનો અભાવ જીવનનો તણાવ ડિપ્રેસન તરફ દોરી જવાની શક્યતા વધારે છે અથવા સામાજિક સમર્થનની ગેરહાજરી તણાવ રચશે જે સીધો ડિપ્રેસન તરફ દોરી જશે.[77] ગુનાખોરી અથવા ગેરકાયદે દવાઓને કારણે નેબરહૂડ સોસિયલ ડિસઓર્ડર એ જોખમી પરિબળ છે તેના પુરાવા છે અને સારી સુવિધાઓ સાથે ઊંચો પડોશી સામાજિક આર્થિક દરજ્જો એ રક્ષણાત્મક પરિબળ છે.[78] કામ કરવાના સ્થળે પ્રતિકૂળ સ્થિતિ, ખાસ કરીને નિર્ણય લેવાના ઓછા અવકાશ સાથેની પુષ્કળ કામ કરવું પડે તેવી નોકરી, ડિપ્રેસન સાથે સંકળાયેલા છે. જોકે, વિવિધતા અને મુંઝવતા પરિબળો તે પુષ્ટિ કરવી મુશ્કેલ બનાવે છે કે તે સંબંધ ઔપચારિક છે.[79]
ઉત્ક્રાંતિક સિદ્ધાંતની દૃષ્ટએ, કેટલાક કિસ્સામાં મેજર ડિપ્રેસન વ્યક્તિની પ્રજનન ચુસ્તી વધારતી હોવાનું માનવામાં આવે છે. ડિપ્રેસન પ્રત્યે ઉત્ક્રાંતિક અભિગમ અને ઉત્ક્રાંતિક મનોવિજ્ઞાન ચોકક્સ વ્યવસ્થાનો તર્ક આપે છે જે મુજબ ડિપ્રેસન માનવ જનીન સમૂહમાં જનીની રીતે સંકળાયેલું હોઇ શકે છે. તે ડિપ્રેસનના ચોક્કસ ઘટકો જોડાણ અને સામાજિક દરજ્જાને લગતી વર્ણતૂકો જેવા અનુકૂલ છે[80] એવી દરખાસ્ત કરીને ડિપ્રેસનના ઊંચા વારસા અને અસ્તિત્વ માટે જવાબદાર ગણે છે.[81] વર્તમાન વર્તણૂકો સંબંધો અથવા સંસાધનોના નિયમન માટે અનુકૂલન તરીકે સમજાવી શકાય છે જોકે, પરિણામો આધુનિક પર્યાવરણમાં બિનઅનુકૂલનીય હોઇ શકે છે.[82]
અન્ય દૃષ્ટિબિંદુથી, કાઉન્સેલિંગ થેરાપિસ્ટ ડિપ્રેસનને જૈવરાસાયણિક બિમારી અથા વિકાર તરીકે નહીં પરંતુ જાતવાર ઉદવિકાસ પામેલા લાગણી કાર્યક્રમ તરીકે જુએ છે જે મોટે ભાગે માન્યતા દ્વારા સકિર્ય થાય છે. લગભગ હંમેશા વધુ પડતા નકારાત્મક અભિગમ અને વ્યક્તિગત ઉપયોગિતામાં મોટા ઘટાડો જે કેટલીકવાર અપરાધ, શરમ અથવા રદીયા સાથે સંકળાયેલા હોઇ શકે છે".[83] આ કાર્યક્રમ જૂના શિકારીઓમાં માનવીની ખોરાક માટેની શોધખોળના ભૂતકાળમાં પ્રદર્શિત થઇ હોઇ શકે છે જેઓ ઓછી કુશળતાને કારણે હાંસ્યામાં ધકેલાઇ ગયા હોય અને આજના સમાજમાં બહારના સભ્યો તરીકે હજુ પણ જોવાતા હોય. આવી ઉપેક્ષાને કારણકે પેદા થયેલી બિનઉપયોગિતાની લાગણી મિત્રો અને સ્વજતો તરફથી કાલ્પનિક ટેકો પ્રેરે છે. વધુમાં, વધુ ઇજા સર્જે તેવા કાર્યને અવરોધે તેવી શારીરિક પીડાના ઉદભવે, "સાયકિક મિઝરી" મુશ્કેલ સ્થિતિ પર ઉતાવળી અને બિનઅનુકૂલનીય પ્રતિક્રિયા અટકાવવા ઉદભવી શકે છે.[84]
ડીએસએમ-4 (DSM-IV0 મુજબ મનોસ્થિતિના વિકારનું નિદાન થઇ શકતું નથી જો તેનું કારણ "પદાર્થની સીધી ફિઝીયોલોજીકલ અસર"ને કારણે હોય તો. જ્યારે મેજર ડિપ્રેસન જેવો સિન્ડ્રોમ પદાર્થના દુરુપયોગ અથવા દવાની પ્રતિકૂળ પ્રતિક્રિયા દ્વારા સર્જાય તો તેને "પદાર્થ ઉત્તેજિત મનોસ્થિતિ વિક્ષેપ" કહેવાય. નશાખોરી અથવા દારૂના વધુ પડતા સેવનથી મેજર ડિપ્રેસન વિકસવાનું જોખમ વધે છે.[85][86][87] દારૂની જેમ બેન્ઝોડાયઝીપાઇન પણ મધ્યસ્થ ચેતા તંત્ર શામક છે. આ વર્ગની દવાઓનો સામાન્ય રીતે અનિદ્રા, અસ્વસ્થતા, અને સ્નાયુઓની પીડાની સારવારમાં વપરાય છે. દારૂની જેમ બેન્ઝોડાયઝીપાઇન્સ પણ મેજર ડિપ્રેસન થવાનું જોખમ વધારે છે. ચેતારસાયણ પર દવાઓની અસરને કારણે આ વધેલું જોખમ હોઇ શકે છે. જેમ કે, સેરોટોનિન અને નોરેપાઇનફ્રાઇનનું નીચું સ્તર.[20][88] બેન્ઝોડાયઝીપાઇન્સના લાંબા સમયથી ઉપયોગથી પણ ડિપ્રેસન થઇ શકે છે અથવા વધી શકે છે[89][90] અથવા ડિપ્રેસન પ્રોટ્રેક્ટેડ વિથડ્રોઅલ સિન્ડ્રોમનો ભાગ હોઇ શકે છે.[20][91][92][93]
નિદાન આકારણી જનરલ પ્રેક્ટિશનર કે મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક દ્વારા હાથ ધરવામાં આવે છે.[1] જે વ્યક્તિની હાલની પરિસ્થિતિ, જીવનની વિગત અને હાલના ચિહ્નો તથા કૌટુંબિક ઇતિહાસ નોંધે છે. તેનો વ્યાપક તબીબી ઉદેશ વ્યક્તિની મનોસ્થિતિ પર અસર કરતા જૈવવૈજ્ઞાનિક, માનસશાસ્ત્રીય અને સામાજિક પરિબળો નક્કી કરવાનો છે. આકરણીકર્તા વ્યક્તિના તેમની મનોસ્થિતિનું નિયમન કરતા વર્તમાન રસ્તાઓ (આરોગ્ય અથવા અન્ય) જેમ કે, દારૂ અને દવાનો ઉપયોગ, જેવી બાબતોની પણ ચર્ચા કરે છે. આકરણીમાં માનસિક સ્થિતિ કસોટીનો પણ સમાવેશ થાય છે, તે વ્યક્તિની વર્તમાન મનોસ્થિતિ અને વિચાર વિષયની આકરણી છે, જેમાં ખાસ કરીને, નિરાશા અથવા નિરાશાવાદ, આત્મપીડન અથવા આપઘાત અને હકારાત્મક વિચાર અને આયોજનોની ગેરહાજરીનો સમાવેશ થાય છે.[1] ગ્રામીણ વિસ્તારોમાં તજજ્ઞ માનસિક આરોગ્ય સેવા ભાગ્યે જ જોવા મળે છે અને આમ નિદાન અને વ્યવસ્થાપન મોટે ભાગે પ્રાથમિક સારવાર ક્લિનિક્સ પર જ છોડી દેવાય છે.[94] આ મુદ્દો વિકાસશીલ દેશોમાં વધુ વિકટ છે.[95] એકલું ગુણ માપક્રમ પર ગુણ ડિપ્રેસનનું નિદાન કરવા અપુરતું છે.ઢાંચો:Says who પરંતુ તે થોડા સમય માટે ચિહ્નોની ગંભીરતા અંગેનો સંકેત પુરો પાડે છે માટે નિર્ધારિત મહત્તમ ગુણથી વધુ ગુણ ધરાવતા વ્યક્તિનું ડિપ્રેસિવ ડિસઓર્ડર નિદાન માટે વધુ સઘન મૂલ્યાંકન કરી શકાય.[96] આ ઉદેશ માટે કેટલાક પ્રકારના ગુણ માપક્રમનો ઉપયોગ થાય છે.[96] ડિપ્રેસનને વધુ સારી રીતે શોધવા સ્ક્રિનિંગ પ્રોગ્રામની તરફેણ કરાઇ છે પરંતુ એવા પુરાવા છે કે તે શોધ દર, સારવાર અથવા પરિણામમાં સુધારો લાવતા નથી.[97]
પ્રાથમિક સંભાળ ફિઝીશિયન અને બિનમનોરોગ ચિકિત્સક ફિઝીશિયન મુશ્કેલીથી ડિપ્રેસનનું નિદાન કરે છે કારણકે તેમને શારીરિક ચિહ્નો ઓળખવાની અને તેની સારવાર કરવાની તાલીમ આપેલી હોય છે અને ડિપ્રેસન અનેક શારીરિક (સાયકોસોમેટિક) ચિહ્નો પેદા કરી શકે છે. બિનમનોરોગ ચિકિત્સકો બે તૃત્યાંશ ભાગના કેસ ચુકી જાય છે અને અન્ય દર્દીઓને બિનજરૂરી રીતે સારવાર આપે છે.[98][99]
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન કરતા પહેલા ડોક્ટર ચિહ્નોના અન્ય કારણો નકારવા માટે સામાન્ય રીતે તબીબી કસોટી અને અને પસંદગીની તપાસ હાથ ધરતા હોય છે. વિવિધ શક્યતા નકારવા રૂધિરના કેટલાક પરિક્ષણ કરવામાં આવે છે જેમાં હાયપોથાયરોડિઝમને બાદ કરવા ટીએસએચ (TSH) અને થાયરોક્સિનનું પ્રમાણ, ચયાપચય વિક્ષેપ નકારવા માટે બેઝિક ઇલેક્ટ્રોલાઇટ અને સિરમ કેલ્શિયમનું પ્રમાણ અને પ્રણાલીગત ચેપ અને દીર્ઘકાલિન રોગ નકારવા ઇએસઆર (ESR) સહિત પૂર્ણ રૂધિર આંકનો સમાવેશ થાય છે.[100] દવા પ્રત્યે પ્રતિકૂળ અસર કરતી પ્રતિક્રિયા અને દારૂના દુરૂપયોગને પણ નકારવામાં આવે છે. પુરૂષમાં ડિપ્રેસન માટે જવાબદાર હાયપોગોનાડિઝમનું નિદાન કરવા ટેસ્ટોસ્ટેરોનના સ્તરનું મૂલ્યાંકન પણ કરી શકાય છે.[101]
ઉંમરલાયક ડિપ્રેસનવાળા વ્યક્તિઓમાં વિષયાત્મક જ્ઞાનાત્મક ફરિયાદો દેખાય છે પરંતુ તે અલઝાઇમરના રોગ જેવા ડિમેન્ટિંગ ડિસઓર્ડરનો પણ સંકેત આપે છે.[102][103] ડિપ્રેસનને ડિમેન્ટીયાથી અલગ પાડવા જ્ઞાનાત્મક પરિક્ષણ અને બ્રેઇન ઇમેજિંગ મદદ કરી શકે છે.[104] સીટી (CT) સ્કેન મનોવિક્ષિપ્ત, ઝડપથી વધતા અથવા અસામાન્ય ચિહ્નો ધરાવતા લોકોમાં બ્રેઇન પેથોલોજીની શક્યતા નકારી શકે છે.[105] કોઇ પણ જૈવવૈજ્ઞાનિક પરિક્ષણ મેજર ડિપ્રેસનની પુષ્ટિ આપતું નથી.[106] તબીબી સંકેત ના મળે ત્યાં સુધી બાદના એપિસોડ માટે તપાસનું પુનરાવર્તન કરાતું નથી.
ડિપ્રેસનની સ્થિતિના નિદાન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા માપદંડ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશનની ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ-4-ટીઆર (DSM-IV-TR))ની સુધારેલી ચોથી આવૃત્તિ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સ (આઇસીડી-10 (ICD-10))માં જોવા મળે છે જેઓ રિકરન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડર નામનો ઉપયોગ કરે છે.[107] બીજા ક્રમની પ્રણાલીનો યુરોપના દેશોમાં ઉપયોગ થાય છે જ્યારે પ્રથમ ક્રમની પ્રણાલીનો અમેરિકા અને અન્ય બિનયુરોપયીન દેશોમાં ઉપયોગ થાય છે.[108] અને બંનેના લેખકોએ એકને બીજા સાથે પુષ્ટિ આપવાની દિશામાં કામ કર્યું છે.[109]
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરને ડીએસએમ-4-ટીઆર (DSM-IV-TR)માં મનોસ્થિતિ ડિસઓર્ડર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.[110] નિદાન સિંગલ અથવા રિકરન્ટ મેજર ડિપ્રેસિવ એપિસોડની હાજરી આધારિત છે.[3] એપિસોડ અને ડિસઓર્ડરની દિશા એમ બંનેને વર્ગીકૃત કરવા વધુ ક્વોલિફાયરોનો ઉપયોગ કરાય છે. જો ડિપ્રેસિવ એપિસોડના લક્ષણો મેજર ડિપ્રેસિવ એપિસોડના માટેના માપદંડ ના સંતોષે તો ડિપ્રેસિવ ડિસઓર્ડર નોટ અધરવાઇઝ સ્પેસિફાઇડ કેટેગરીનું નિદાન થાય છે. આઇસીડી-10 (ICD-10) પ્રણાલી મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર શબ્દનો ઉપયોગ કરતી નથી પરંતુ ડિપ્રેસિવ એપિસોડના નિદાન (હળવું, મધ્યમ અથવા ગંભીર) માટેના માપદંડને સમાન માપદંડની યાદી આપે છે. જો મેનિયા વગર મલ્ટિપલ એપિસોડ હોય તો રિકરન્ટ શબ્દ ઉમેરી શકાય છે.[111]
મેજર ડિપ્રેસિવ એપિસોડ ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી ગંભીર ડિપ્રેસ્ડ મનોસ્થિતિની હાજરી દ્વારા દર્શાવાય છે.[3] એપિસોડ આઇસોલેટેડ અથવા રિકરન્ટ હોઇ શકે છે અને તેને હળવું (લઘુત્તમ માપદંડમાં ઓછા ચિહ્નો), મધ્યમ અથા ગંભીર (સામાજિક અથવા વ્યવસાયિક કામગીરી પર નોંધપાત્ર અસર) એમ વર્ગીકૃત કરાયું છે. મનોવિક્ષિપ્ત સાથેના એપિસોડનો સામાન્ય રીતે મનોવિક્ષિપ્ત ડિપ્રેસન , જેને ગંભીર ગણવામાં આવે છે, તરીકે ઉલ્લેખ કરાય છે. જો દર્દી મેનિયા અથવા માર્કેડલી એલિવેટેડ મૂડના એપિસોડ ધરાવતો હોય તો બાઇપોલર ડિસઓર્ડરનું પણ નિદાન કરાય છે.[112] મેનિયા વગરના ડિપ્રેસનને ઘણીવાર યુનિપોલર તરીકે ઉલ્લેખ કરાય છે કારણકે મનોસ્થિતિ એક લાગણી સ્થિતિ અથવા "ધ્રૂવ" પર રહે છે.[113]
ડીએસએમ-4-ટીઆર (DSM-IV-TR) એવા કિસ્સાઓને બાદ કરે છે જ્યાં ચિહ્નો બેરીવમેન્ટનું પરિણામ છે. જોકે, મનોસ્થિતિ રહે અને મેજર ડિપ્રેસિવ એપિસોડ ડેવલપના લક્ષણો દર્શાવે તો ડિપ્રેસિવ એપિસોડમાંથી નોર્મલ બેરીવમેન્ટ થવાની શક્યતા હોય છે.[114] આ માપદંડની ટીકા થઇ છે કારણકે તેઓ ડિપ્રેસન થઇ શકે તેવા વ્યક્તિગત અને સામાજિક સંદર્ભોના અન્ય પાસાઓને ધ્યાનમાં લેવાયા નથી.[115] વધુમાં કેટલાક અભ્યાસોમાં ડીએસએમ-IV (DSM-IV) કટ-ઓફ માપદંડ માટે બહુ ઓછો પ્રયોગમૂલક ટેકો જણાયો છે જે સંકેત આપે છે કે તેઓ વિવિધ પ્રકારની ગંભીરતા અને સમયના ડિપ્રેસિવ ચિહ્નોના કોન્ટિનમ પર લદાયેલા ડાયગ્નોસ્ટિક કન્વેન્શન છે.[116] એક્સક્લુડેડ એ સંબંધિત નિદાનની શ્રેણી છે જેમાં ડાયસ્થિમિયા, જેમાં દીર્ઘકાલિન પરંતુ હળવી મનોસ્થિતિ વિક્ષેપ હોય છે;[117] રિકરન્ટ બ્રીફ ડિપ્રેસન, જે ટૂંકા ડિપ્રેસિવ એપિસોડ ધરાવે છે;[118][119] માઇનોર ડિપ્રેસિવ ડિસઓર્ડર, જેમાં મેજર ડિપ્રેસનના માત્ર કેટલાક જ ચિહ્નો હાજર હોય છે;[120] અને એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર વિથ ડિપ્રેસ્ડ મૂડ, જેમાં ઓળખી શકાય તેવી ઘટના અથવા સ્ટ્રેસર પર માનવશાસ્ત્રીય પ્રતિભાવમાંથી ઉદભવતો નિરુત્સાહ હોય છે.[121]
ડીએસએમ-4-ટીઆર (DSM-IV-TR) એમડીડી (MDD)ના વધુ પાંચ પેટાપ્રકારોને ઓળખે છે જેને સ્પેસિફાયર કહેવાય છે. તે લંબાઇ, ગંભીરતા અને મનોવિક્ષિપ્ત લક્ષણોની હાજરી ઉપરાંતના છે.
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરને મહત્તમ સંભવિત નિદાન તરીકે નક્કી કરવા, અન્ય સંભવિત નિદાન પણ કરવા જોઇએ જેમાં ડાયસ્થિમિયા, ડિપ્રેસનવાળી મનોસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર અથવા બાઇપોલર ડિસઓર્ડરનો પણ સમાવેશ થાય છે. ડાયસ્થિમિયા એ દીર્ઘકાલિન, પ્રમાણમાં હળવો મનોસ્થિતિ વિક્ષેપ છે જેમાં વ્યક્તિ બે વર્ષના સમયગાળામાં લગભગ દરરોજ નિરુત્સાહ અનુભવે છે. તેના ચિહ્નો મેજર ડિપ્રેસન ચિહ્નો જેટલા ગંભીર હોતા નથી, જોકે, ડાયસ્થિમિયા ધરાવતા લોકો મેજર ડિપ્રેસનના બીજા એપિસોડ પ્રત્યે અસુરક્ષિત હોય છે (તેનો ઘણી વાર ડબલ ડિપ્રેસન તરીકે ઉલ્લેખ કરાય છે).[117] ડિપ્રેસનવાળી મનોસ્થિતિની સાથે એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર એ એક મનોસ્થિતિ વિક્ષેપ છે જે ઓળખી શકાય તેવી ઘટના અથવા સ્ટ્રેસર પર માનસશાસ્ત્રીય પ્રતિભાવ તરીકે દેખાય છે જેમાં પરિણામી લાગણી અથવા વર્તણૂકીય ચિહ્નો નોંધપાત્ર હોય છે પરંતુ મેજર ડિપ્રેસિવ એપિસોડના માપદંડ સંતોષતા નથી.[121] બાઇપોલર ડિસઓર્ડર, જે મેનિક–ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે પણ ઓળખાય છે, એ એક એવી સ્થિતિ છે જેમાં ડિપ્રેસનવાળા તબકકા મેનિયા અથવા હાયપોમેનિયાના સમયગાળા સાથે બદલાય છે. ડિપ્રેસનને અત્યારે અલગ ડિસઓર્ડર તરીકે વર્ગીકૃત કરાયો છે છતાં તેના પર ચર્ચા ચાલી રહી છે કારણકે મેજર ડિપ્રેસનનું વ્યક્તિગત વિશ્લેષણ કેટલાક હાઇપોમેનિક ચિહ્નો અનુભવે છે જેમાં મૂડ ડિસઓર્ડર કોન્ટિનમનો પણ સમાવેશ થાય છે.[128]
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન કરતા પહેલા અને ડિસઓર્ડરોની શક્યતા નકારવી જોઇએ. જેમાં શારીરિક બિમારી દવાઓ, અને પદાર્થના દુરૂપયોગને ડિપ્રેસનનો સમાવેશ થાય છે. શારીરિક બિમારીને કારણે ડિપ્રેસનનું સામાન્ય તબીબી સ્થિતિને કારણે મનોસ્થિતિ ડિસઓર્ડર તરીકે નિદાન કરાય છે. આ સ્થિતિ ઇતિહાસ, પ્રયોગશાળાના તારણો અથવા શારીરિક તપાસને આધારે નક્કી કરાય છે. જ્યારે દવાના દુરૂપયોગ, દવા અથવા ઝેરના સંસર્ગ સહિત પદાર્થના દુરૂપયોગથી ડિપ્રેસન થાય છે ત્યારે તેનું પદાર્થ ઉત્તેજિત મનોસ્થિતિ ડિસઓર્ડર તરીકે નિદાન થાય છે.[129] આવા વર્ગમાં પદાર્થને મનોસ્થિતિ વિક્ષેપ સાથે સંકળાયેલો માનવામાં આવે છે.
સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડર એ મનોવિક્ષિપ્ત લક્ષણો સાથેના મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર કરતા અળગ છે કારણકે સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડરમાં મોટા મનોસ્થિતિ ચિહ્નોની ગેરહાજરીમાં ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી ભ્રમણા અથવા દગભ્રમ થવા જોઇએ.
સ્કિઝોફ્રેનિયા દરમિયાન ડિપ્રેસનના ચિહ્નો ઓળખી શકાય છે, નહીં તો, ભ્રમણા ડિસઓર્ડર, અને મનોવિક્ષિપ્ત ડિસઓર્ડર નક્કી કરી શકાતા નથી. અને આવા કિસ્સાઓમાં આ ચિહ્નો આ ડિસઓર્ડર સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે, માટે ડિપ્રેસનના ચિહ્નો મેજર ડિપ્રેસિવ એપિસોડ માટેના પૂર્ણ માપદંડ ના સંતોષે ત્યાં સુધી અલગથી નિદાન જરૂરી નથી. તે કિસ્સામાં, નહીં તો ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન તેમજ સ્કિઝોફ્રેનિયાનું નિદાન નહી કરાય.
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર ડિમેન્ટીયાના ડિસઓરિએન્ટેશન, એપથી, એકાગ્રતામાં મુશ્કેલી અને સ્મરણશક્તિ લોપ જેવા કેટલાક જ્ઞાનાત્મક ચિહ્નો અને મેજર ડિપ્રેસિવ એપિસોડના ચિહ્નો વચ્ચે ગુંચવણ ના થવી જોઇએ. ઉંમરલાયક દર્દીઓમાં તે નક્કી કરવા મુશ્કેલ છે. આવા કિસ્સાઓમાં, બંને ડિસઓર્ડરનું વિભેદન કરવા દર્દીની પ્રિમોર્બિડ સ્થિતિ મદદ કરી શકે છે. ડિમેન્ટીયાના કિસ્સામાં ધટતા જ્ઞાનાત્મક કાર્યનો પ્રિમોર્બિડ ઇતિહાસ હોઇ શકે છે. મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના કિસ્સામાં દર્દી પ્રમાણમાં સામાન્ય પ્રિમોર્બિડ સ્થિતિ અને ડિપ્રેસન સાથે જ્ઞાનાત્મક ઘટાડો દર્શાવે છે.
2008ના એક અધિવિશ્લેષણમાં જણાયું હતું કે આંતરવ્યક્તિત્વ થેરાપી વર્તણૂકીય મધ્યસ્થી ડિપ્રેસનના નવા હુમલને અટકાવવા માટે અસરકારક છે.[130] આવી દરમિયાનગીરી જ્યારે વ્યક્તિગત અથવા નાના જૂથ પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે સૌથી અસરકારક હોવાનું જણાયું હોવાથી એવું સૂચન કરાયું છે કે તે ઇન્ટરનેટના માધ્યમથી તેના મોટા લક્ષિત દર્શકગણ સુધી સૌથી કાર્યક્ષમ રીતે પહોંચી શકાય છે.[131] જોકે, અગાઉના અધિવિશ્લેષણમાં ક્ષમતા વર્ધન ઘટકો સાથેના અટકાયત કાર્યક્રમો વર્તણૂકલક્ષી કાર્યક્રમો કરતા ઉપલી કક્ષાના જણાયા હતા અને ઉંમરલાયક વ્યક્તિ માટે વર્તણૂકીય કાર્યક્રમો ખાસ કરીને બિનમદદ કર્તા જણાયા હતા. ઉંમરલાયક વ્યક્તિઓ માટે સામાજિક સહાય કાર્યક્રમો લાભકર્તા હતા. વધુમાં, ડિપ્રેસનને અટકાવવા માટે શ્રેષ્ઠ જણાયેલા કાર્યક્રમમાં આઠ કરતા વધુ સત્રો હોય છે અને પ્રત્યેક સત્ર 60થી 90 મિનીટ સુધી ચાલે છે. આ કાર્યક્રમો નીચલી કક્ષાના અને પ્રોફેશનલ કામદારોના મિશ્રણ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને તે ઊચ્ચ ગુણવત્તાવાળી સંશોધન ડિઝાઇન, એટ્રિશન દર અને સુઘટિત દરમિયાનગીરી ધરાવતા હતા.[132] "કોપિંગ વિથ ડિપ્રેસન" કોર્સ (સીડબલ્યુડી (CWD)) ડિપ્રેસનની સારવાર અને અટકાયત માટે મનોશૈક્ષણિક દરમિયાનગીરી (વિવિધ વસતીમાં તેની સ્વીકૃતિ અને તેના પરિણામ એમ બંને માટે) સૌથી સફળ હોવાનો દાવો કરાયો છે. મેજર ડિપ્રેસનમાં તે 38 ટકા જોખમ ઘટાડે છે અને અન્ય મનોરોગ ચિકિત્સા પદ્ધતિઓની તુલનાએ ઘણી અસરકારક છે.[133]
ડિપ્રેસન માટેની સૌથી સામાન્ય ત્રણ સારવારમાં મનોરોગ ચિકિત્સા, દવાઓ અને ઇલેક્ટ્રોકન્વલ્સિસ થેરાપીનો સમાવેશ થાય છે. મનોરોગ ચિકિત્સાએ 18 વર્ષથી નીચેના લોકો માટે પસંદગીની સારવાર છે જ્યારે ઇલેક્ટ્રોકન્વલ્સિસ થેરાપીનો છેલ્લા પ્રયાસ તરીકે જ ઉપયોગ કરાય છે. આઉટપેશન્ટને આધારે સંભાળ આપવામાં આવે છે જ્યારે ઇનપેશન્ટ એકમ પર સારવાર પર વિચાર કરવામાં આવે છે જ્યારે પોતાના અથવા અન્ય પર નોંધપાત્ર જોખમ હોય.
વિકાસશીલ દેશોમાં સારવારના વિકલ્પો ઘણા મર્યાદિત છે જ્યારે મનોરોગ આરોગ્ય કર્મચારી, દવા અને મનોરોગ ચિકિત્સાની પ્રાપ્યતા ઘણીવાર મુશ્કેલ હોય છે. ઘણા દેશોમાં માનસિક આરોગ્ય સેવાનો વિકાસ ઘણો જ ઓછો છે. વિપરિત પુરાવા મળ્યા હોવા છતાં ડિપ્રેસનને વિકસિત દુનિયાની ઘટના તરીકે જોવામાં આવે છે અને જીવન પર જોખમ કરતી સ્થિતિ તરીકે જોવામાં આવતી નથી.[134]
વ્યક્તિગત અથવા જૂથો પર મનોરોગ ચિકિત્સા આપવામાં આવે છે. આ ચિકિત્સા સાયકોથેરાપિસ્ટ, મનોરોગ ચિકિત્સક, મનોવૈજ્ઞાનિકો, ક્લિનિકલ સામાજિક કાર્યકરો, કાઉન્સેલર અને યોગ્ય રીતે તાલીમ પામેલી મનોરોગ ચિકિત્સક પરિચારિકા જેવા માનસિક આરોગ્ય વ્યવસાયિકો દ્વારા આપવામાં આવે છે. ડિપ્રેસનનું સ્વરૂપ વધુ જટીલ અને દીર્ઘકાલિન હોય તો દવા અને મનોરોગ ચિકિત્સાના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે.[135] નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ ક્લિનિકલ એક્સલન્સ મુજબ, 18 વર્ષથી નીચેના લોકો માટે દવા માત્ર માનસશાસ્ત્રીય ચિકિત્સા પદ્ધતિને અનુરૂપ દવા આપવી જોઇએ જેમાં સીબીટી (CBT), આંતરવ્યક્તિત્વ થેરાપી અથવા પરિવાર થેરાપીનો સમાવેશ થાય છે.[136] ઉંમરલાયક વ્યક્તિઓમાં મનોરોગ ચિકિત્સા અસરકારક જણાઇ છે.[137][138] સફળ મનોરોગ ચિકિત્સા તે બંધ કર્યા બાદ અથવા અન્ય બૂસ્ટર સત્ર સાથે બદલવા બાદ પણ ડિપ્રેસનનું આવર્તન ઘટાડતી હોય તેમ જોવા મળી છે.
ડિપ્રેસન માટે મનોરોગ ચિકિત્સાનું સૌથી વધુ અભ્યાસ થયેલું સ્વરૂપ સીબીટી (CBT) છે જે ક્લાયન્ટને આત્મ પરાજયનો પડકાર કરવાનું અને વિચાર કરવાનો પ્રયાસ અને બિનસર્જનાત્મક વર્તણૂક બદલવાનું શિખવે છે. 1990ના દાયકાની મધ્યમાં શરૂ થયેલા સંશોધનો સૂચવે છે કે સીબીટી (CBT) મધ્યમથી ગંભીર ડિપ્રેસન ધરાવતા દર્દીઓમાં એન્ટીડિપ્રેસન્ટ જેટલી અથવા તેનાથી વધુ સારી રીતે કામ કરે છે.[139][140] સીબીટી (CBT) ડિપ્રેસનવાળા તરૂણો માટે અસરકારક છે[141], જોકે ગંભીર એપિસોડ પર તેની અસરકારકતા ચોક્કસ જાણી શકાઇ નથી.[142] ફ્લુક્સેટાઇનને સીબીટી (CBT) સાથે મિશ્રણ કરવાથી વધારાનો કોઇ લાભ મળ્યો નથી,[143][144] અથવા મોટા ભાગના કિસ્સામાં બહુ જ ઓછો લાભ મળ્યો છે.[145] કેટલીક બાબતો તરૂણોમાં જ્ઞાનાત્મક વર્તણુકીય થેરાપીની સફળતાનો આગાહી કરે છે જેમાં તાર્કિક વિચારનું ઊંચું સ્તર, ઓછી નિરાશા, ઓછા નકારાત્મક વિચારો અને ઓછી જ્ઞાનાત્મક વિકૃતિઓનો સમાવેશ થાય છે.[146] સીબીટી (CBT) રિલેપ્સ અટકાવવામાં લાભકારક છે.[147][148] ડિપ્રેસનવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક વર્તણૂક થેરાપીના કેટલાક પ્રકારોનો ઉપયોગ થાય છે જેમાં રેશનલ ઓમોટિવ બિહેવિયર થેરાપી,[149] અને માઇન્ડફુલનેસ-બેઝ્ડ કોગ્નિટિવ થેરાપીનો સમાવેશ થાય છે.[150]
મનોવિશ્લેષણ એ સિગ્મન્ડ ફ્રેયુડ દ્વારા રચાયેલો સિદ્ધાંત છે જે અચેતન માનસિક ઘર્ષણના ઉકેલ પર ભાર મુકે છે.[151] મેજર ડિપ્રેસનવાળા દર્દીઓને સારવાર આપવા ડોક્ટરો મનોવિશ્લેષણ તકનીકનો ઉપયોગ કરે છે.[152] સૌથી વધુ વપરાતી તકનીક સાયકોડાયનેમિક મનોરોગ ચિકિત્સા તરીકે ઓળખાતી એક્લેક્ટિક તકનીક મનોવિશ્લેષણ આધારિત છે અને તેમાં સામાજિક અને આંતરવ્યક્તિત્વ બાબતો પર વધારાનો ભાર મુકાયો છે.[153] શોર્ટ સાયકોડાયનેમિક સપોર્ટિવ મનોરોગ ચિકિત્સાના ત્રણ અંકુશિત પરિક્ષણના અધિવિશ્લેષણમાં આ સુધારો હળવાથી મધ્યમ ડિપ્રેસનની દવા જેટલો અસરકારક જણાયો હતો.[154]
ઓસ્ટ્રેલિયન મનોરોગ ચિકિત્સક વિક્ટર ફ્લેન્કલ દ્વારા વિકસાવાયેલી મનોરોગ ચિકિત્સાનું સ્વરૂપ લોગોથેરાપી બિનઉપયોગિતા અને નિરર્થકતા સાથે સંકળાયેલી લાગણી "એક્સિસ્ટેન્શિયલ વેક્યુમ"ની લાગણીની સમસ્યા ઉકેલે છે. આ પ્રકારની મનોરોગ ચિકિત્સા ઉંમરલાયક તરૂણોમાં ઉપયોગી હોવાનું જણાયું છે.[155]
નૅચડેમ મેહરેલ ક્લેઈન સ્ટુડીયન સાઇલોસિબિન-એસિસ્ટિયર સાયકોથેરાપી ઇન ડેર બેહન્ડલંગ વોન ડિપ્રેસન એન્ટરટેઇન્ટેન[156], ટોપી ડાઇડે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન 2018 ઈન ગ્રૉસ તબક્કો 2 સ્ટડી યુબર સાયલોસિબિન ઇન ડેર થ્રેપીએ વોન બર્ટન્ડલંગ્સેસેન્સિએન્ટેન ડિપ્રેસનન જીનમિગ્ગટ અંડ ડેન સ્ટેટસ ઇનર બ્રેકથ્રુ થેરેપી વર્લીએન.[157][158]
હળવાથી મધ્યમ ડિપ્રેસન માટે એન્ટીડિપ્રેસન્ટ્સની અસરકારકતા બિલકુલ નથી અથવા બહુ ઓછી છે, પરંતુ અત્યંત તીવ્ર બીમારી હોય ત્યારે નોંધપાત્ર અસરકારકતા હોય છે.[160] એન્ટીડિપ્રેસન્ટ્સની અસર અમુક અંશે મનોરોગ ચિકિત્સા વધારે હોય છે, ખાસ કરીને દિર્ઘકાલિન મેજર ડિપ્રેસન હોય ત્યારે, જોકે ટૂંકા ગાળાના પરીક્ષણમાં વધુ દર્દીઓ – ખાસ કરીને જેઓ ઓછું ગંભીર ડિપ્રેસન ધરાવતા હોય – મનોરોગ ચિકિત્સાની જગ્યાએ દવાઓ બંધ કરી દે તેવું વધારે બને છે કારણ કે દવાઓની પ્રતિકૂળ અસર થાય છે અને દર્દીઓ ફાર્માકોલોજિકલ સારવાર કરતા મનોવૈજ્ઞાનિક થેરાપી વધુ પસંદ કરે છે.[161][162]
લઘુત્તમ આડઅસર સાથે સૌથી વધુ અસરકારક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ શોધવા માટે જરૂર પડે તો ડોસેઝમાં ફેરફાર કરી શકાય છે અને જરૂર પડે તો વિવિધ પ્રકારના એન્ટીડિપ્રેસન્ટ્સના સંયોજનનો પ્રયોગ કરી શકાય છે. પ્રથમ આપવામાં આવેલા એન્ટીડિપ્રેસન્ટનો પ્રતિભાવ 50થી 75 ટકા હોય છે અને દવાઓનો ઉપયોગ ઘટવાની શરૂઆત થાય તેને છથી આઠ સપ્તાહ લાગે છે જ્યારે દર્દી સામાન્ય જીવન ગાળવાનું શરૂ કરે છે.[163] એન્ટીડિપ્રેસન્ટ દવાઓની સારવાર સામાન્ય રીતે તેમાં ઘટાડા બાદ 16થી 20 સપ્તાહ સુધી ચાલુ રહે છે જેથી તે ફરીથી પેદા થવાની શક્યતા સાવ ઘટી જાય,[163] અને એક વર્ષ સુધી દવા ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવે છે.[164] દીર્ઘકાલિન ડિપ્રેસન હોય તેવા લોકોએ ફરીથી તેમાં સરી જવા માટે અનિશ્ચિત મુદ્દત સુધી દવા લેવાની જરૂર પડી શકે છે.[1]
સિલેક્ટિવ સેરોટોનિન રિઅપટેક ઇન્હિબીટર્સ (એસએસઆરઆઇ (SSRI)), જેમ કે સર્ટ્રાલાઇન, એસિટાલોપ્રામ, ફ્લોક્સેટાઇન, પેરોક્સેટાઇન અને સાઇટાલોપ્રામ મુખ્યત્વે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી દવાઓ છે જે મુખ્યત્વે તેમની અસરકારકતા, પ્રમાણમાં નરમ આડઅસર અને અન્ય એન્ટીડિપ્રેસન્ટ્સ કરતા તેનો ડોઝ પ્રમાણમાં ઓછો ઝેરી હોવાથી સૂચવવામાં આવે છે.[165] એક પ્રકારના એસએસઆરઆઇ (SSRI)ને પ્રતિભાવ ન આપતા દર્દીઓને અન્ય એન્ટીડિપ્રેસન્ટ પર લાવી શકાય છે, અને તેનાથી 50 ટકા જેટલા કેસમાં સુધારો થાય છે.[166] અન્ય વિકલ્પ સમાન પ્રકારના એન્ટીડિપ્રેસન્ટ બ્યુપ્રોપિયોન પર જવાનો છે.[167][168][169] અલગ પ્રકારની કામગીરીની પદ્ધતિ ધરાવતું એન્ટીડિપ્રેસન્ટ વેન્લાફેક્સિન એસએસઆરઆઇ (SSRI) કરતા થોડું વધારે અસરકારક હોઇ શકે છે.[170] જોકે, યુકે (UK)માં વેન્લાફેક્સિનની ભલામણ પ્રથમ હરોળની સારવાર તરીકે કરવામાં આવતી નથી કારણકે પૂરાવા પરથી જણાય છે કે તેના ફાયદા કરતા જોખમ વધુ છે[171] અને ખાસ કરીને બાળકો અને તરુણાવસ્થાના લોકોને તે ન આપવા સલાહ આપવામાં આવે છે.[172][173] તરુણાવસ્થામાં ડિપ્રેસન માટે ફ્લુઓક્સેટાઇન[172] અને એસિટાલોપ્રામ[174] બે ભલામણ કરવામાં આવતી પસંદગીઓ છે. એન્ટીડિપ્રેસન્ટ્સ બાળકો માટે ફાયદાકારક સાબિત થઇ નથી.[175] કોઇ પણ એન્ટીડિપ્રેસન્ટ્સ લો સિરમ સોડિયમ સ્તર (જે હાઇપોનેટ્રેમિયા તરીકે પણ ઓળખાય છે) પેદા કરી શકે છે,[176] જોકે તે એસએસઆરઆઇ (SSRI) સાથે વધારે વખત નોંધાયું છે.[165] એસએસઆરઆઇથી અનિદ્રા થવાનું કે તે વધુ ગંભીર બનવાનું અસામાન્ય નથી, દર્દનાશક એન્ટીડિપ્રેસન્ટ મિર્ટાઝાપાઇન આવા કિસ્સામાં ઉપયોગમાં લઇ શકાય છે.[177][178]
મેનોમાઇન ઓક્સિડેઝ અવરોધક, એક જૂના પ્રકારનું એન્ટીડિપ્રેસન્ટ સંભવિત જીવલેણ ખોરાક આધારિત અને દવાના ક્રિયાવાદના કારણે પ્રભાવ હેઠળ છે. તેનો હજુ પણ ભાગ્યે જ ઉપયોગ થાય છે. જોકે, વધુ નવા અને વધુ સહન કરી શકે તેવા આ વર્ગના એજન્ટ્સ વિકસાવવામાં આવ્યા છે.[179]
“રિફ્રેક્ટરી ડિપ્રેસન” અને “સારવાર પ્રતિરોધક ડિપ્રેસન” શબ્દનો ઉપયોગ એવા કિસ્સાની સમજુતી માટે થાય છે જે ઓછામાં ઓછી બે એન્ટીડિપ્રેસન્ટ્સના પૂરતા કોર્સનો પ્રતિભાવ આપતી નથી.[180] ઘણા મોટા અભ્યાસમાં માત્ર 35 ટકા જેટલા દર્દીઓ તબીબી સારવારને યોગ્ય પ્રતિભાવ આપે છે. ડોક્ટર માટે એ નક્કી કરવાનું મુશ્કેલ હોય છે કે કોઇને સારવાર પ્રતિરોધક ડિપ્રેસન છે કે સહઅસ્તિત્વ ધરાવતા ડિસઓર્ડર્સના કારણે સમસ્યા છે જે મેજર ડિપ્રેસન ધરાવતા દર્દીઓમાં બહુ સામાન્ય છે.[181]
કેટલીક અમેરિકન યુનિવર્સિટીઓના મનોવૈજ્ઞાનિકોની એક ટીમે શોધી કાઢ્યું હતું કે એન્ટીડિપ્રેસન્ટ દવાઓ હળવાથી સામાન્ય ડિપ્રેસનમાં દર્દીને રીઝવવા માટે અપાયેલી દવા (પ્લાસિબો) કરતા ભાગ્યે જ વધુ અસરકારક હોય છે. આ અભ્યાસ પેરોક્સેટાઇન અને ઇમિપ્રેમાઇન પર કેન્દ્રિત હતો.[182]
સારવાર સામે પ્રતિકાર હોય તેવા કિસ્સામાં અલગ પ્રકારની કામગીરી ધરાવતી દવા એન્ટીડિપ્રેસન્ટની અસરકારકતા વધારી શકે છે.[183] માત્ર એન્ટીડિપ્રેસન્ટની અસર ન થઇ હોય તેવા કિસ્સામાં લિથિયમ સોલ્ટ સાથેની દવાનો ઉપયોગ કરીને એન્ટીડિપ્રેસન્ટ થેરાપી વધારવામાં આવે છે.[184] આ ઉપરાંત લિથિયમ રિકરન્ટ ડિપ્રેસનમાં આત્મહત્યાના જોખમમાં નાટ્યાત્મક ઘટાડો કરે છે.[185] સામાન્ય થાઇરોઇડ કામગીરી ધરાવતા દર્દીમાં પણ લિથિયમ અંતઃસ્ત્રાવ ટ્રાઇયોડોથાઇરોનાઇનનો વધારો લિથિયમ સાથે કામ કરી શકે છે.[186] દર્દી જ્યારે એન્ટીડિપ્રેસન્ટને યોગ્ય પ્રતિભાવ ન આપે ત્યારે એટાયપિકલ એન્ટીસાઇકોટિક્સ આપવાથી એન્ટીડિપ્રેસન્ટ દવાની અસરકારકતા વધતી હોવાનું જોવા મળ્યું છે. જોકે, તેની સામે આડઅસર પણ વધારે હોય છે.[187]
એફડીએ (FDA)ને રજૂ કરવામાં આવેલા બે તાજેતરના ક્લિનિકલ અધિવિશ્લેષણ દર્શાવે છે કે એન્ટીડિપ્રેસન્ટ્સ આંકડાકીય રીતે પ્લાસિબો (બનાવટી દવા) કરતા વધુ સક્ષમ છે, પરંતુ તેમની એકંદર અસર નીચીથી લઇને મધ્યમ છે. તે અર્થમાં તેઓ ઘણી વાર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ ક્લિનિકલ એક્સલન્સના ‘ક્લિનિકલી મહત્વપૂર્ણ’ પ્રયાસના માપદંડમાં પાર ઉતરતી ન હતી. ખાસ કરીને અસરનું કદ મધ્યમ ડિપ્રેસન માટે ઘણું નાનું હતું, પરંતુ તીવ્રતા, પહોંચના ‘ક્લિનિકલ મહત્વ’ અને અન્ય તીવ્ર ડિપ્રેસન સાથે વધતું હતું.[188][189] આ પરિણામો અગાઉના ક્લનિકલ અભ્યાસ સાથે સાતત્ય ધરાવતા હતા જેમાં માત્ર તીવ્ર ડિપ્રેસન ધરાવતા દર્દીઓ બનાવટી સારવારની સરખામણીમાં મનોરોગ ચિકિત્સા અથવા એન્ટીડિપ્રેસન્ટ ઇમીપ્રામાઇનમાંથી લાભ લઇ શક્યા હતા.[190][191][192] સમાન પરિણામો મેળવ્યા હોવા છતાં લેખકોએ પોતાના અર્થઘટન માટે દલીલો કરી છે. એક લેખકે એવું તારણ આપ્યું હતું કે “વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ લાભ આપવામાં નિષ્ફળ ગઇ હોય તેને બાદ કરતા સૌથી તીવ્ર ડિપ્રેસનવાળા દર્દીઓને બાદ કરતા એન્ટીડિપ્રેસન્ટ દવાઓને ટેકો આપવા માટે બહુ ઓછા પૂરાવા છે.”[188] અન્ય લેખકે દલીલ કરી હતી કે “એન્ટીડિપ્રેસન્ટ “ગ્લાસ” હજુ ભરાયો નથી” પરંતુ એ બાબતમાં અસહમત હતા કે “તે સંપૂર્ણપણે ખાલી છે”. તેમણે એ બાબત પર ધ્યાન દોર્યું હતું કે દવાઓનો પ્રથમ હરોળનો વિકલ્પ મનોરોગ ચિકિત્સા છે જેમાં વધુ ઊંચી અસરકારકતા નથી.[193]
સંશોધનનું એક તારણ એ નીકળે છે કે મેજર ડિપ્રેસન માટે સામાન્ય રીતે મનોરોગ ચિકિત્સા જેટલી જ અસરકારક છે અને આ તારણ તીવ્ર અને હળવા એમડીડી (MDD) બંને માટે સાચું છે.[194][195] તેનાથી વિપરિત ડાયસ્થિમિયા માટે દવાઓ વધુ સારા પરિણામ આપે છે.[194][195] એસએસઆરઆઇ (SSRI)ના પેટાજૂથ મનોરોગ ચિકિત્સા કરતા સહેજ વધુ અસરકારક હોઇ શકે છે. બીજી તરફ એન્ટીડિપ્રેસન્ટ્સની સંભવિત આડઅસરોના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મનોરોગ ચિકિત્સાની સરખામણીમાં એન્ટીડિપ્રેસન્ટ સારવારમાંથી અલગ થાય છે.[194] ડિપ્રેસન નાબુદ થાય અથવા તેની જગ્યાએ પ્રસંગોપાત “બુસ્ટર” સત્ર આવી જાય પછી પણ સફળ મનોરોગ ચિકિત્સા ડિપ્રેસનને ચાલુ રહેતા અટકાવી શકે છે. એન્ટીડિપ્રેસન્ટ સારવાર ચાલુ રાખીને સમાન પ્રમાણમાં અટકાવ હાંસલ કરી શકાય છે.[195] જોકે, અન્ય દલીલ એવી છે કે દવાઓ અને મનોરોગ ચિકિત્સા બે અલગ ચીજ છે અને તેની સરખામણી વૈજ્ઞાનિક રીતે માન્યતા પ્રાપ્ત નથી. મનોરોગ ચિકિત્સામાં લાગણીને ધ્યાનમાં લેવાની અને તેની પાછળના કારણો સમજવાની કામગીરી હોય છે જ્યારે દવાનું કામ બાયોકેમિકલ રીતે લાગણીઓને નિયંત્રિત કરવાનું હોય છે. ઘણા કિસ્સામાં બંને પદ્ધતિ સામુહિક રીતે અથવા ક્રમિક રીતે લાગુ પાડવી જરૂરી બને છે.
બાળકો, તરુણાવસ્થાના લોકો અને કેટલાક અભ્યાસમાં 18-24 વર્ષના વયજુથના યુવાનોમાં પણ એસએસઆરઆઇ (SSRI)થી સારવાર મેળવ્યા બાદ આપઘાતના વિચારો અથવા આપઘાતલક્ષી વર્તણૂકનું જોખમ વધી જાય છે.[196][197][198][199][200] પુખ્તવયના લોકોમાં એસએસઆરઆઇ (SSRI)થી આપઘાતના વલણનું જોખમ વધે છે કે નહીં તે અસ્પષ્ટ છે.[200] એક સમીક્ષા પ્રમાણે એસએસઆરઆઇ (SSRI) અને આપઘાતના જોખમ વચ્ચે કોઇ સંબંધ નથી.[201] અન્ય અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પ્લાસિબો (બનાવટી દવા)ની સરખામણીમાં એસએસઆરઆઇ (SSRI)નો ઉપયોગ કરતા લોકોમાં આપઘાતના પ્રયાસનો ખતરો વધી જાય છે.[202] અને બીજા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે નવા એસએસઆરઆઇ (SSRI) યુગમાં વિપુલ પ્રમાણમાં એન્ટીડિપ્રેસન્ટ્સના ઉપયોગથી મોટા ભાગના દેશોમાં, જ્યાં બેઝલાઇન આપઘાતનો દર ઊંચો હતો, ત્યાં આપઘાતના પ્રમાણમાં ભારે ઘટાડો થયો હતો.[203]
યુનાઇટેડ સ્ટેટ્સમાં 24 વર્ષથી ઓછી વયના દર્દીઓમાં આપઘાતના વધેલા જોખમના કારણે 2007માં એસએસઆરઆઇ (SSRI) અને અન્ય એન્ટીડિપ્રેસન્ટ દવાઓ માટે બ્લેક બોક્સ ચેતવણી આપવામાં આવી હતી.[204] તેવી જ રીતે જાપાનના આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતીરૂપે નોટીસ લાગુ પાડવામાં આવી હતી.[205]
ઇલેક્ટ્રોકન્વલ્સિસ થેરાપી (ઇસીટી (ECT)) એક એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યુતસંકેત બે ઇલેક્ટ્રોડ્સ, સામાન્ય રીતે દરેક ટેમ્પલ પર એક, મારફત દિમાગ દ્વારા મોકલવામાં આવે છે જેનાથી સિઝર થાય છે જ્યારે દર્દી સામાન્ય એનેસ્થેસિયાના ટૂંકા ગાળા હેઠળ હોય છે. હોસ્પિટલ સાયકિયાટ્રીસ્ટ્સ તીવ્ર મેજર ડિપ્રેસનના કેસમાં ઇસીટી (ECT)ની ભલામણ કરી શકે છે જેણે એન્ટીડિપ્રેસન્ટ દવાઓને યોગ્ય પ્રતિભાવ આપ્યો ન હોય અથવા અમુક કિસ્સામાં મનોરોગ ચિકિત્સા અથવા સહાયક ઇન્ટરવેન્શનની ભલામણ કરવામાં આવે છે.[206] એન્ટીડિપ્રેસન્ટ થેરાપી કરતા ઇસીટી (ECT)માં ઝડપી અસર થઇ શકે છે અને તાકીદની પરિસ્થિતિ જેમ કે કેટાટોનિક ડિપ્રેસન જેમાં દર્દીએ ખાવા-પીવાનું છોડી દીધું હોય અથવા જ્યારે દર્દી આપઘાત કરવાનું વલણ ધરાવતો હોય ત્યારે તે પસંદગીની સારવાર પદ્ધતિ બની શકે છે.[206] તાત્કાલિક ટૂંકા ગાળા માટે ડિપ્રેસન માટે ઇસીટી (ECT) કરતા ફાર્માકોથેરાપી કદાચ વધુ અસરકારક હોય છે,[207] જોકે એક મહત્વના સમુદાય આધારિત અભ્યાસમાં એવું તારણ મળ્યું હતું કે રુટીન કામગીરીમાં રિમિશન રેટ નીચો હોય છે.[208] ઇસીટી (ECT)નો ઉપયોગ તેની રીતે કરવામાં આવે ત્યારે છ મહિનાની અંદર ફરી તે સ્થિતિમાં જવાનો દર ઘણો ઊંચો હોય છે,[209] પ્રારંભિક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ દર આશરે 50 ટકા જેટલો હોય છે જ્યારે તાજેતરના વધુ નિયંત્રિત પરીક્ષણોમાં પ્લાસિબો માટે પણ તે દર 84 ટકા હતો.[210] સાયકિયાટ્રીક દવાઓ અથવા વધુ ઇસીટી (ECT)ના ઉપયોગથી વહેલા રિલેપ્સનું પ્રમાણ ઘટાડી શકાય છે[211][212] (જોકે કેટલાક લેખકો દ્વારા ઇસીટી (ECT)ની ભલામણ કરવામાં આવતી નથી)[213] પરંતુ તે ઊંચા સ્તરે રહે છે.[214] ઇસીટીના પ્રતિકૂળ અસરોમાં ટૂંકી અને લાંબા ગાળાની સ્મરણશક્તિ ગુમાવવી, દિશાહિનતા અને માથાના દુખાવાનો સમાવેશ થાય છે.[215] ઇસીટી (ECT) બાદ સ્મરણશક્તિનો વિક્ષેપ એક મહિનામાં ઉકેલાઇ જાય છે, પરંતુ ઇસીટી (ECT) એક વિવાદાસ્પદ સારવાર પદ્ધતિ છે અને તેની અસરકારકતા અને સુરક્ષા અંગે ચર્ચા ચાલુ છે.[216][217]
ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (ડીબીએસ (DBS)) એક ન્યુરોસર્જિકલ સારવાર છે જેનો ઉપયોગ ખાસ કરીને પાઘડપણમાં થતો ધ્રૂજારીનો રોગ જેવા ડિસઓર્ડરની સારવાર માટે થાય છે. તેમાં ન્યુરોસર્જને ખોપરીમાં ડ્રીલ કરીને એક કાણું પાડવાનું હોય છે જેના મારફત દર્દીના પેશીમાં એક ઇલેક્ટ્રોડ દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ છાતીમાં બેસાડવામાં આવેલું એક ઉપકરણ ખોપરીની ત્વચા નીચે રહેલા વાયર મારફત બેસાડવામાં આવેલા ઇલેક્ટ્રોડ સુધી સંકેત પહોંચાડે છે.[218]
એપિલેપ્સી અને ડિપ્રેસન માટે ક્લિનિકલ પરીક્ષણો ડીબીએસ (DBS)ના ઉપયોગ પર કેન્દ્રિત છે, પરંતુ એફડીએ (FDA) દ્વારા આ ઉપયોગને મંજૂરી આપવામાં આવી નથી. તેમાં દિમાગની સર્જરીની જરૂર પડે છે તેથી ડિપ્રેસનની સારવારમાં તે બ્રેઇન સ્ટીમ્યુલેશનનું સૌથી વધુ અતિક્રમણ કરનારું સ્વરૂપ છે.[219]
યુ.કે. (U.K.) આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા હળવા ડિપ્રેસનના સંચાલન માટે શારિરીક કસરતની ભલામણ કરવામાં આવે છે,[220] પરંતુ મેજર ડિપ્રેસન ડિસઓર્ડરના મોટા ભાગના કેસમાં તેમાં માત્ર મધ્યમ, આંકડાકીય રીતે બિનમહત્વની અસર જોવા મળે છે.[221]
સેન્ટ જોન્સ વર્ટ વિશ્વના કેટલાક ભાગોમાં હર્બલ ઉપચાર તરીકે ઓવર-ધ-કાઉન્ટર ઉપલબ્ધ છે.[165][222] જોકે, મેજર ડિપ્રેસનની સારવાર માટે તેની અસરકારકતાના પૂરાવામાં વિવિધતા અને ગુંચવણ છે. ફાર્માસ્યુટિકલ ગુણવત્તામાં બિનસાતત્ય અને વિવિધ સંયોજનમાં સક્રિય પદાર્થોના પ્રમાણમાં વૈવિધ્યના કારણે તેની સુરક્ષાને અસર થઇ શકે છે.[223] આ ઉપરાંત તે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી અસંખ્ય દવાઓ સાથે પ્રક્રિયા કરે છે જેમાં એન્ટીડિપ્રેસન્ટ્સનો સમાવેશ થાય છે અને તે અંતઃસ્ત્રાવલ કોન્ટ્રાસેપ્શનની અસરકારકતા ઘટાડે છે.[224]
મેજર ડિપ્રેસન માટે ઓમેગા-3 ફેટી એસિડના સામર્થ્ય અંગે અસ્પષ્ટતા છે,[225] નિયંત્રિત અભ્યાસો અને અધિવિશ્લેષણમાં હકારાત્મક[226][227] અને નકારાત્મક બંને તારણોને ટેકો આપવામાં આવ્યો છે.[228][229]
એસ-એડેનોસિલમેથિયોનાઇન (એસએએમઇ (SAMe))ના ટૂંકા ગાળાના ક્લિનિકલ પરીક્ષણોની સમીક્ષા દર્શાવે છે કે પુખ્તવયના લોકોમાં તે મેજર ડિપ્રેસનની સારવારમાં અસરકારક હોઇ શકે છે.[230] 2002ની સમીક્ષામાં જણાવાયું હતું કે ટ્રિપ્ટોફાન અને 5-હાઇડ્રોક્સિટ્રિપ્ટોફાન પ્લાસિબો કરતા વધુ અસરકારક હોય છે, પરંતુ તેની તરફેણમાં મોટા ભાગના પૂરાવા નબળી ગુણવત્તાના અને અપૂરતા હોવાનું જાણવા મળ્યું હતું.[231]
પુનરાવર્તિત (રિપિટિટિવ) ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટિક સ્ટીમ્યુલેશન (આરટીએમએસ (rTMS)) માથાની બહાર દિમાગને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર લાગુ કરે છે. એકથી વધુ નિયંત્રિત અભ્યાસ સારવાર-પ્રતિરોધક ડિપ્રેસનમાં આ મેથડને ટેકો આપે છે. તેને આ સંકેત માટે યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએસમાં મંજૂરી આપવામાં આવી છે.[232][233][234] આરટીએમએસ (rTMS) બિનજટિલ ડિપ્રેસન અને દવાને પ્રતિકારક ડિપ્રેસન માટે સમાન રીતે અસરકારક છે.[233] જોકે તે એક સાથે કરવામાં આવેલા યાદચ્છિક પરીક્ષણોમાં ઇસીટી (ECT) કરતા ઉતરતા સ્તરનું હતું.[235]
વેગસ નર્વ સ્ટીમ્યુલેશનને યુનાઇડેટ સ્ટેટ્સમાં 2005માં સારવાર-પ્રતિરોધક ડિપ્રેસન માટે એફડીએ (FDA) મારફત મંજૂરી આપવામાં આવી હતી,[236] જોકે તે એકમાત્ર વિશાળ ડબલ-બ્લાઇન્ડ ટ્રાયલમાં ટૂંકા ગાળામાં લાભ દર્શાવવામાં નિષ્ફળ ગયું હતું જ્યારે તે સારવાર-પ્રતિરોધક દર્દીઓમાં આનુષંગિક તરીકે ઉપયોગમાં લેવાયો હતો.[237] 2008માં સિસ્ટમેટિક સમીક્ષામાં તારણ આવ્યું હતું કે ખુલ્લા અભ્યાસમાં દર્શાવાયેલા આશાસ્પદ પરિણામો છતાં મેજર ડિપ્રેસન માટે તેની અસરકારકતા નક્કી કરવામાં વધુ ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે.[238]
ડિપ્રેસન ધરાવતા કેટલાક લોકોને સંગીતની થેરાપીથી ફાયદો થઇ શકે છે, પરંતુ તેના પુરાવાની ગુણવત્તા નબળી છે.[239]
મેજર ડિપ્રેસિવ એપિસોડ (ગંભીર હતાશાના હુમલા)નો સમય જતા ઘણીવાર તેની સારવાર ન કરવામાં આવે તો પણ તેનો ઉકેલ આવી જાય છે. પ્રતિક્ષા યાદીના બાહ્ય દર્દીઓમાં જોવા મળ્યું છે કે કેટલાંક મહિનામાં તેના લક્ષણોમાં 10થી 15 ટકાનો ઘટાડો થાય છે તેમજ આશરે 20 ટકા દર્દીઓ હતાશાની બિમારીના સંપૂર્ણ માપદંડમાં આવતા નથી.[240] હતાશાની સ્થિતિના એક હુમલાનો સરેરાશ ગાળો 23 સપ્તાહ હોવાનો અંદાજ છે, અને સાજા થઈ જવાનો સૌથી ઊંચો દર પ્રથમ ત્રણ મહિના છે.[241]
અભ્યાસોમાં દર્શાવાયું છે કે પ્રથમ ગંભીર હતાશાના હુમલાનો સામનો કરતા 80 ટકા કરતા વધુ દર્દીઓ તેમની જીવન દરમિયાન વધુ એક વાર આ સ્થિતિનું દુઃખ ભોગવશે[242] અને જીવનભરમાં સરેરાશ આવા ચાર હુમલામાંથી પસાર થાય છે.[243] બીજી સામાન્ય વસતીના અભ્યાસો સૂચવે છે કે એ બિમારી ધરાવતા આશરે અડધા લોકો (સારવાર કરવામાં આવે કે ન કરવામાં આવે) સાજા થઈ જાય છે અને સારી સ્થિતિમાં રહે છે, જ્યારે બીજા અડધા લોકો વધુ એક હતાશાના હુમલાનો સામનો કરે છે અને આશરે 15 ટકા ગંભીર પુરાવર્તનનો અનુભવ કરે છે.[244] હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પસંદગીના દર્દીના અભ્યાસો નીચી રિકવરી અને ઊંચી જટિલતાના સંકેત મળે છે, જ્યારે મોટાભાગના બાહ્ય દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે લગભગ તમામ રિકવર થઈ જાય છે અને આવા હુમલાનો સરેરાશ ગાળો 11 મહિના હોય છે. ગંભીર અથવા સાયોકોટેકિ ડિપ્રેસનથી પીડાતા આશરે 90 ટકા દર્દીઓ, જેમાંથી મોટા ભાગના બીજી માનસિક બિમારીના માપદંડમાં પણ આવે છે તેવા દર્દીમાં આ હુમલાનું પુનરાવર્તન થાય છે.[245][246]
જો સારવારથી તમામ લક્ષણોને દૂર કરવામાં આવ્યા ન હોય તો પુનરાવર્તનની શક્યતા વધુ રહે છે. હાલની માર્ગરેખાઓ બિમારીને ફરી ઉથલો મારતા અટકાવવા માટે તેનાથી છૂટકારો મળ્યા પછી ચારથી છ મહિના સુધી એન્ટીડિપ્રેસન્ટ્સ દવા ચાલુ રાખવાની ભલામણ કરે છે. ઘણા બિનપસંદગીપૂર્વકના નિયંત્રિત પરીક્ષણોનો પુરાવો દર્શાવે છે કે સાજા થઈ ગયા બાદ એન્ટીડિપ્રેસન્ટ દવા ચાલુ રાખવાથી બિમારીના ફરી ઉથલાની શક્યતામાં 70 ટકા સુધીનો (પ્લાસિબો-મન મનાવવા દર્દીનો આપવામાં આવતી નામની દવા-પર 41 ટકા અને એન્ટ્રીડિપ્રેસન્ટ માટે 18 ટકા) આ પ્રતિબંધક દવાની અસર તેના ઉપયોગના પ્રથમ 36 મહિના સુધી રહેતી હોવાની શક્યતા છે.[247]
હતાશાના વારંવારના હુમલાનો અનુભવ કરતા લોકોમાં આ બિમારી ગંભીર, લાંબા ગાળાની હતાશામાં ન પરીણમે તે માટે ત્વરિત અને સતત સારવારની જરૂર પડે છે. ઘણા કિસ્સામાં વ્યક્તિએ લાંબા સમય સુધી અથવા તેમના જીવનના બાકી સમયગાળા સુધી દવા લેવી પડે છે.[248]
પરિણામ નબળું હોય તેવા કેસો અપૂરતી સારવાર, ગંભીર પ્રારંભિક લક્ષણો, જેમાં સાઇકોસિસ, નાની ઉંમરે બિમારી, અગાઉના વઘુ હુમલા, એક વર્ષ પછી અપૂર્ણ રિકવરી, બીજી માનસિક કે મેડિકલ બિમારીનું અગાઉથી અસ્તિત્વ અને સમસ્યાગ્રસ્ત કુટુંબનો સમાવેશ થાય છે.[249]
હતાશાથી પીડિત વ્યક્તિઓ હતાશા વગરના વ્યક્તિઓની સરખામણીમાં આયુષ્ય અપેક્ષા ટૂંકી હોવાની ધારણા હોય છે કે હતાશ વ્યક્તિ આપઘાત કરે તેવું જોખમ હોય છે.[250] જો કે તેઓ બીજા કારણોથી પણ મૃત્યુ પામતા હોય તેવો દર ઊંચો છે,[251] તેઓ હૃદયની બિમારી જેવી સ્થિતિનો વધુ સરળતાથી શિકાર બને છે.[252] આપઘાત કરતા 60 ટકા સુધીના લોકો મેજર ડિપ્રેસન જેવી માનસિક બિમારી ધરાવે છે અને જો વ્યક્તિમાં નિરાશાની ગહન ભાવના હોય અથવા હતાશા અને બોર્ડરલાઇન વ્યક્તિત્વ ડિસઓર્ડર બંને હોય તો જોખમ ઊંચુ રહે છે.[253] અમેરિકામાં ગંભીર હતાશાનું નિદાન થયેલા વ્યક્તિઓમાં આપઘાતનું જીવનભરનું જોખમ 3.4 ટકા છે, જે પુરુષ માટે આશરે 7 ટકા અને મહિલા માટે 1 ટકાના ખૂબ જ તફાવત ધરાવતા બે આંકડોનો સરેરાશ આંકડો છે. (જોકે મહિલામાં આપઘાતના પ્રયાસો વધુ જોવા મળે છે).[254] આ અંદાજ અગાઉના 15 ટકાના સ્વીકાર્ય આંકડા કરતા ઘણો નીચો છે.[255] અગાઉનો 15 ટકાનો આંકડો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના જુના અભ્યાસ આધારિત છે.[256]
ડિપ્રેસન એ વિશ્વભરમાં રોગીષ્ઠ મનોવૃત્તિનું મુખ્ય કારણ છે.[258] તેની આજીવન અસરમાં વિવિધતા રહેલી છે જેમાં જાપાનમાં 3% અને અમેરિકામાં 17% લોકો તેનો ભોગ બનેલા છે. મોટા ભાગના દેશોમાં પોતાના જીવન દરમિયાન ડિપ્રેસન હેઠળ જીવતા લોકોનું પ્રમાણ 8-12% ની રેન્જમાં રહે છે.[259][260] ઉત્તર અમેરિકામાં વર્ષના ગાળા દરમિયાન મેજર ડિપ્રેસિવ એપિસોડની સંભાવના પુરુષોમાં 3-5% અને મહિલાઓમાં 8-10% રહે છે.[261][262] વસતીના અભ્યાસ પરથી જાણવા મળ્યું છેકે મેજર ડિપ્રેસન પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં બમણું પ્રમાણ ધરાવે છે, જોકે આમ શા માટે છે અને અજાણ્યા પરિબળોનું તેમાં યોગદાન છે કે નહીં તે સ્પષ્ટ નથી.[263] સાપેક્ષમાં આ વધારાનો સંદર્ભ ક્રોનોલોજિકલ ઉમર કરતા પુખ્તાવસ્થાના વિકાસ સાથે વધારે છે અને પુખ્તવયના લોકોમાં 15થી 18 વર્ષની વય વચ્ચે જોવા મળે છે અને અંતઃસ્ત્રાવોના પરિબળો કરતા મનોવૈજ્ઞાનિક રીતે વધુ સંલગ્ન હોય તેમ જણાય છે.[263]
લોકો મોટા ભાગે 30થી 40 વર્ષની વય વચ્ચે પહેલી વાર ડિપ્રેસન એપિસોડનો ભોગ બને તેવી મહત્તમ શક્યતા હોય છે અને ત્યાર બાદ 50થી 60 વર્ષની વય વચ્ચે નાના પ્રમાણમાં તેની ઘટનાઓની ટોચ આવે છે.[264] સ્ટ્રોક, ઘડપણમાં થતો ધ્રૂજારીનો રોગ અથવા મલ્ટીપલ સ્કલેરોસિસ જેવી ન્યુરોલોજિકલ સ્થિતિ અને બાળકના જન્મ પછી એક વર્ષ દરમિયાન ડિપ્રેસનમાં વધારો થાય છે.[265] રૂધિરાભિસરણને લગતી બીમારીઓ પછી તે વધુ સામાન્ય છે અને સારા પરિણામ કરતા નબળા પરિણામ સાથે તે વધુ સંકળાયેલ છે.[252][266] વૃદ્ધ લોકોમાં ડિપ્રેસનના પ્રમાણ વિશે અભ્યાસમાં વિરોધાભાસ જોવા મળે છે, પરંતુ મોટા ભાગની માહિતી દર્શાવે છે કે આ વયજૂથમાં ડિપ્રેસનમાં ઘટાડો થાય છે.[267] ગ્રામીણ વસતીની સરખામણીમાં શહેરી વસતીમાં ડિપ્રેસિવ ડિસઓર્ડર વધુ વ્યાપક હોય છે અને નિરાધાર લોકો જેવા ઊંચા સામાજિક આર્થિક પરિબળ ધરાવતા જુથમાં તે વધુ જોવા મળે છે.[268]
મેજર ડિપ્રેસન ઘણી વાર માનસિક બીમારીની સમસ્યા સાથે પેદા થાય છે. 1990-92ના નેશનલ કોમોર્બિડિટી સરવે (યુએસ)ના અહેવાલ પ્રમાણે મેજર ડિપ્રેસનનો ભોગ બનેલા 51 ટકા લોકો આજીવન અસ્વસ્થતાથી પીડાતા હોય છે.[269] અસ્વસ્થતા ચિહ્નોથી ડિપ્રેસિવ બીમારી પર મોટી અસર પડી શકે છે જેમાં સાજા થવામાં વિલંબ થવો, ફરીથી ડિપ્રેસનમાં સરી જવાનો ખતરો, વધુ વિકલાંગતા અને આપઘાતના પ્રયાસમાં વધારો થવો વગેરે સામેલ છે.[270] અમેરિકન ન્યુરોએન્ડોક્રિનોલોજિસ્ટ રોબર્ટ સેપોલ્સ્કીએ તેવી જ રીતે દલીલ કરી છે કે સ્ટ્રેસ, અસ્વસ્થતા અને ડિપ્રેસન વચ્ચેનો સંબંધ માપી શકાય છે અને જીવવૈજ્ઞાનિક રીતે પ્રદર્શિત કરી શકાય છે.[271] દારૂના સેવન અને કેફી પદાર્થોના ઉપયોગનું પ્રમાણ અને ખાસ કરીને અવલંબન વધારે છે[272] અને એડીએચડી (ADHD)નું નિદાન થયા હોય તેવા લગભગ ત્રીજા ભાગના લોકો કોમોર્બિડ ડિપ્રેસન ધરાવે છે.[273] પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ડિપ્રેસન પણ ઘણી વાર સાથે જોવા મળે છે.[1]
ડિપ્રેસન અને પીડા ઘણી વાર સાથે પેદા થાય છે. તેની પાછળ એવું સરળ કારણ હોઇ શકે છે કે પીડા સહન કરવી એ સ્વભાવિક રીતે ડિપ્રેસિંગ હોય છે,[સંદર્ભ આપો] ખાસ કરીને જો તે હઠીલી હોય અને નિયંત્રણમાં લઇ શકાતી ન હોય. તે શિક્ષિત લાચારીની સેલેગ્મેનની થિયરીમાં પણ ફીટ થાય છે. ડિપ્રેસન હેઠળના 65 ટકા દર્દીઓમાં એક અથવા વધુ પીડાના લક્ષણો હોય છે અને પીડા ધરાવતા પાંચથી 85 ટકા દર્દીઓ ડિપ્રેસનથી પીડાતા હોય છે જેનો આધાર સેટિંગ પર હોય છે. સામાન્ય પ્રેક્ટિસમાં તેનું પ્રમાણ નીચું હોય છે જ્યારે વિશેષતા ધરાવતી ક્લિનિક્સમાં તેનું પ્રમાણ ઊંચું હોય છે. ડિપ્રેસનના નિદાનમાં ઘણી વાર વિલંબ થાય છે અથવા ચૂકી જવાય છે અને તેનું પરિણામ વધુ ખરાબ થાય છે. ડિપ્રેસન ધ્યાન પર આવે પરંતુ તેને સંપૂર્ણપણે સમજવામાં ન આવે તો પરિણામ દેખીતી રીતે જ કથળી શકે છે.[274]
ડિપ્રેસનના કારણે રૂધિરાભિસરણને લગતી બીમારીઓમાં 1.5થી 2 ગણો વધારો થાય છે, જે બીજા જાણીતા જોખમના પરિબળોથી સ્વતંત્ર છે અને તે સ્વયં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોખમના પરિબળો જેમ કે ધુમ્રપાન અને સ્થુળતા સાથે સંકળાયેલ છે. મેજર ડિપ્રેસન ધરાવતા લોકો કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓની સારવારની તબીબી ભલામણો પર ઓછું ધ્યાન આપે તેવી શક્યતા હોય છે તેથી તેના જોખમમાં વધુ વધારો થાય છે. આ ઉપરાંત કાર્ડિયોલોજિસ્ટ ડિપ્રેસનને ન ઓળખી શકે તેવી શક્યતા રહેલી છે જેથી સારવાર દરમિયાન કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યા વધુ જટિલ બની શકે છે.[275]
ડિપ્રેસનને ઘણી વાર બેરોજગારી અને ગરીબી સાથે સાંકળવામાં આવે છે.[276] મેજર ડિપ્રેસન હાલમાં ઉત્તર અમેરિકા અને અન્ય ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં બીમારીના ભારણનું અગ્રણી કારણ છે અને વિશ્વભરમાં ચોથા ક્રમનું સૌથી મોટું કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ એવી આગાહી કરવામાં આવે છે કે વર્ષ 2030માં એચઆઈવી (HIV) પછી તે વિશ્વભરમાં બીમારીના બોજમાં બીજા ક્રમનું સૌથી મોટું કારણ હશે.[277] ફરીથી તેમાં ધકેલાયા બાદ (રિલેપ્સ) સારવાર લેવામાં વિલંબ કે નિષ્ફળતા અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા સારવારમાં નિષ્ફળતા આ અસમર્થતા ઘટાડવામાં બે મોટા અવરોધ છે.[278]
પ્રાચીન ગ્રીક ચિકિત્સક હિપોક્રેટ્સે ખેદોન્માદના લક્ષણોને વિશિષ્ટ માનસિક અને શારિરીક લક્ષણો ધરાવતી બીમારી ગણાવ્યા હતા. તેમણે તમામ “ભય અને વિષાદ”, જો તે લાંબા સમય સુધી ટકે તો બીમારીના લક્ષણ સમાન ગણાવ્યા હતા.[279] તે આજની ડિપ્રેસનની વિભાવનાથી સમાન છે, પરંતુ ઘણા વિશાળ અર્થમાં છે. તેમાં દુખ, હતાશા અને વિષાદના લક્ષણોના સમુહ પર અને ઘણી વાર ભય, ગુસ્સો, ભ્રમણા અને મનોગ્રસ્તિને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.[65]
ડિપ્રેસન શબ્દ જ લેટિન ક્રિયાપદ ડિપ્રિમિયર (deprimere) પરથી આવ્યો છે જેનો અર્થ છે “દબાવી દેવું”.[280] 14મી સદીથી “ડિપ્રેસ કરવા”નો અર્થ થતો હતો જુસ્સો દબાવી દેવો અથવા તેમાં ઘટાડો કરવો. તેનો ઉપયોગ 1665માં અંગ્રેજ લેખક રિચાર્ડ બેકરના ક્રોનિકલ માં “કોઇ જુસ્સાનું ભારે ડિપ્રેસન” ધરાવતી વ્યક્તિ માટે કરવામાં આવ્યો હતો, અને અંગ્રેજ લેખક સેમ્યુઅલ જ્હોન્સન દ્વારા 1753માં એવાજ અર્થમાં ઉપયોગ થયો હતો.[281] આ શબ્દનો ઉપયોગ શરીરવિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં પણ થવા લાગ્યો હતો. ફ્રેન્ચ મનોરોગ ચિકિત્સક લુઇસ ડેલાસિઉવ દ્વારા 1856માં મનોચિકિત્સા સંબંધી લક્ષણોનો પ્રારંભિક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને 1860 સુધીમાં તે ભાવનાત્મક કામગીરીના મનોવૈજ્ઞાનિક અને અલંકારિક નીચલા સ્તર માટે તબીબી શબ્દકોષમાં તે રજૂ થવા લાગ્યું હતું.[282] એરિસ્ટોટલના સમયથી ખેદોન્માદને વિદ્વાન અને બૌદ્ધિક રીતે તેજસ્વી વ્યક્તિ સાથે, ધ્યાન અને સર્જનાત્મકતાના અવરોધ સાથે સાંકળવામાં આવે છે. નવી વિભાવનામાં આ જોડાણને અલગ કરવામાં આવ્યા હતા અને 19મી સદી દરમિયાન તેને સ્ત્રી સાથે વધુ સાંકળવામાં આવ્યું હતું.[65]
મેલાન્કોલિયા (ખેદોન્માદ) નિદાનને લગતો એક પ્રભાવકારી શબ્દ રહ્યો છે, છતાં ડિપ્રેસન ને તબીબી સંધિઓમાં વધુ સ્થાન મળવા લાગ્યું અને સદીના અંત સુધીમાં તે સમાનાર્થી બની ગયું હતું, જર્મન મનોચિકિત્સક એમિલ ક્રેપેલિન તેનો વધુ વ્યાપક શબ્દ તરીકે ઉપયોગ કરવામાં પ્રથમ હતા જેમણે વિવિધ પ્રકારના વિષાદને ડિપ્રેસિવ સ્થિતિ તરીકે ગણાવી હતી.[283]
સિગ્મન્ડ ફ્રેઇડે 1917માં તેમના અભ્યાસગ્રંથ મોર્નિંગ એન્ડ મેલેન્કોલિયા માં વિષાદની સ્થિતિને શોક સાથે સાંકળી હતી. તેમણે થિયરી આપી હતી કે સ્થૂળ ચીજ ગુમાવવી જેમ કે મૃત્યુ કે રોમેન્ટિક જોડાણભંગથી મૂલ્યવાન સંબંધ ગુમાવવા વગેરેથી કાલ્પનિક નુકસાન પણ થાય છે; ડિપ્રેસ થયેલી વ્યક્તિએ ઘમંડના લિબિડિનલ કેથેક્સિસ નામે ઓળખાતી પ્રક્રિયા દ્વારા અર્ધજાગ્રત, અહંપ્રેમ મારફત લાગણીના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આવી ખોટથી શોક કરતા પણ વધુ તીવ્ર વિષાદયુક્ત લક્ષણો પેદા થાય છે, જે માત્ર નકારાત્મક રીતે જોવામાં આવતા બહારના વિશ્વમાં નહીં, પરંતુ ગર્વનું પણ ખંડન થાય છે.[63] દર્દીની પોતાના વિશેની ધારણા નબળી પડવા લાગે છે જે પોતાના દોષ, લઘુતા અને મૂલ્યહીનતાની માન્યતામાં રજૂ થાય છે.[64] તેમણે પ્રારંભિક જીવનના અનુભવોને પણ અસરકર્તા પરિબળ ગણાવ્યા હતા.[65] મેયરે એક સામાજિક અને જૈવિક માળખાનું મિશ્રણ રજુ કર્યું હતું અને વ્યક્તિના જીવનના સંદર્ભમાં પ્રતિભાવ પર ભાર મૂક્યો હતો અને દલીલ કરી હતી કે ડિપ્રેસન શબ્દનો ઉપયોગ ખેદોન્માદ ના બદલે કરવો જોઇએ.[284] ડીએસએમ (DSM) (ડીએસએમ-1 (DSM-I), 1952)ની પ્રથમ આવૃત્તિમાં ડિપ્રેસિવ રિએક્શન અને DSM-II (1968) ડિપ્રેસિવ ન્યુરોસિસ સામેલ હતા જેને આંતરિક સંઘર્ષ કે ઓળખી શકાય તેવી ઘટનાના વધારે પડતા પ્રત્યાઘાત તરીકે ગણવામાં આવે છે અને મેજર અસરકર્તા ડિસઓર્ડરમાં મેનિક-ડિપ્રેસિવ મનોવિક્ષિપ્તિના એક ડિપ્રેસિવ પ્રકારનો સમાવેશ થતો હતો.[285]
20મી સદીની મધ્યમાં સંશોધનકર્તાઓએ એવી થિયરી આપી હતી કે ડિપ્રેસન મગજમાં ચેતાપ્રેષક દ્રવ્યોમાં રાસાયણિક અસંતુલનના કારણે સર્જાય છે. આ થિયરી 1950ના દાયકામાં મોનોએમાઇન ચેતાપ્રેષક દ્રવ્યના સ્તરમાં ફેરફાર કરતા રિસેપ્રાઇન અને આઇસોનિયાઝિડ અને ડિપ્રેસિવ લક્ષણો અસર કરતા નિરીક્ષણ પર આધારિત હતી.[286]
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર શબ્દ સૌથી પહેલા 1970ના દાયકાના મધ્યમાં યુએસ ક્લિનિસિયન્સે રજૂ કર્યો હતો જે લક્ષણોની પેટર્નના નિદાન આધારિત ધોરણોના દરખાસ્તના ભાગરૂપે હતી (જે 'રિસર્ચ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા' તરીકે ઓળખાતી, અગાઉના ફેઇનર માપદંડ પર આધારિત)[287] અને 1980માં ડીએસએમ-III (DSM-III) માં સામેલ કરવામાં આવ્યા હતા.[288] સાતત્ય લાવવા માટે આઇસીડી-10 (ICD-10)માં પણ સમાન ક્રાઇટેરિયાનો ઉપયોગ થયો હતો, માત્ર નાના સુધારા કરવામાં આવ્યા હતા, પરંતુ ડીએસએમ (DSM) ડાયગ્નોસ્ટિકના ધોરણથી માઇલ્ડ ડિપ્રેસિવ એપિસોડ નો સંકેત મળે છે જેનાથી મધ્યમ અને તીવ્ર પ્રકરણ માટે ઉચ્ચ પ્રવેશદ્વાર કેટેગરી મળે છે.[288][289] મેલાન્કોલિક સબટાઇપમાં ખેદોન્માદ નો પ્રાચિન વિચાર હજુ અસ્તિત્વ ધરાવે છે.
કેટલાક વિરોધાભાસી તારણ અને મત હોવા છતાં ડિપ્રેસનની નવી વ્યાખ્યાઓ વિસ્તૃત રીતે સ્વીકારવામાં આવી છે. ખેદોન્માદના નિદાન પર જવા માટે કેટલીક ચાલુ પ્રયોગમુલક આધારિત દલીલો છે.[290][291] 1950ના દાયકાથી નિદાનના કવરેજના વિસ્તરણ અંગે કેટલી ટીકા થઇ છે જે એન્ટી ડિપ્રેસન્ટ્સ અને જૈવવૈજ્ઞાનિક મોડલના વિકાસ અને પ્રમોશન સંબંધિત છે.[292]
ડિપ્રેસન અંગે સંસ્કૃતિમાં અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે લોકોની કલ્પનામાં ઘણી વિવિધતા છે. એક ટીપ્પણીકારના નિરીક્ષણ પ્રમાણે "વૈજ્ઞાનિક સ્પષ્ટતાની ગેરહાજરી"ના કારણે ડિપ્રેસન અંગેની ચર્ચા ભાષાના પ્રશ્ન પર પહોંચે છે. "આપણે તેને શું કહી શકીએ "બીમારી", "ડિસઓર્ડર", "માનસિક સ્થિતિ"ની અસર આપણે તેને કઇ રીતે જોઇએ છીએ, નિદાન કરીએ છીએ અને સારવાર કરીએ છીએ તેના પર પડે છે."[294] ગંભીર ડિપ્રેસનને અંગત વ્યવસાયિક સારવાર આપવી પડે તેવી બીમારી ગણવા માટે કે બીજા કશાકના સૂચક ગણવા અંગે, જેમ કે સામાજિક કે નૈતિક સમસ્યા ધ્યાને લેવા વિશે, જૈવિક અસંતુલનના પરિણામ અંગે, અથવા ડિસ્ટ્રેસને સમજવા માટે વ્યક્તિગત મતભેદોના પરાવર્તન જેનાથી શક્તિવિહીનતા અને ભાવુક સંઘર્ષ અંગે અલગ અલગ સંસ્કૃતિઓમાં વિવિધતા જોવા મળે છે [295][296]
કેટલાક દેશો, જેમ કે ચીનમાં આ નિદાન ઓછું સામાન્ય છે. એવી દલીલ કરવામાં આવે છે કે ચીન પરંપરાગત રીતે ભાવુક ડિપ્રેસન (જોકે 1980ના દાયકાની શરૂઆતથી ચીન દ્વારા ડિપ્રેસનના ઇનકારમાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે)ને નકારે છે અથવા તેની અભિવ્યક્તિ કરતું નથી.[297] વૈકલ્પિક રીતે એવું પણ હોઇ શકે કે પશ્ચિમી સંસ્કૃતિ માનવ ચિંતાની અભિવ્યક્તિને નવો આકાર આપે અને ઉપર ચઢાવીને તેને ડિસઓર્ડરનો દરજ્જો આપે. ઓસ્ટ્રેલિયન પ્રોફેસર ગોર્ડન પાર્કર અને અન્ય લોકોની દલીલ છે કે ડિપ્રેસન અંગે પશ્ચિમી વિચાર વેદના અથવા દુઃખને “તબીબી” સ્વરૂપ આપે છે.[298][299] તેવી જ રીતે હંગેરીયન-અમેરિકન મનોરોગ ચિકિત્સક થોમસ ઝાઝ અને અન્યની દલીલ છે કે ડિપ્રેસન એક અલંકારયુક્ત બીમારી છે જને અયોગ્ય રીતે વાસ્તવિક બીમારી ગણાવવામાં આવી છે.[300] એવી પણ ચિંતા છે કે ડીએસએમ (DSM) તથા તેને લાગુ પાડતી વર્ણનાત્મક સાયકિયાટ્રી ડિપ્રેસન જેવા અમૂર્ત ઘટનાને લાગુ કરવા પ્રયાસ કરે છે જે વાસ્તવમાં સામાજિક રચના હોઇ શકે છે.[301] અમેરિકન આર્કેટિપલ મનોવિજ્ઞાનિક જેમ્સ હિલમેન લખે છે કે ડિપ્રેસન "આશરો, મર્યાદા, કેન્દ્ર, ગુરુત્વ, વજન અને વિવેકશીલ અસમર્થતા" લાવે ત્યાં સુધી આત્મા માટે તંદુરસ્ત હોઇ શકે છે.[302] હિલમેનની દલીલ છે કે ડિપ્રેસનને દૂર કરવાના થેરેપ્યુટિક પ્રયાસો ખ્રિસ્તી ધર્મની પુનઃજીવનની થીમનો પડઘો પાડે છે. પરંતુ આત્માસભર જીવનને દુષ્ટ ગણાવવાની કમનસીબ અસર થાય છે.
ઐતિહાસિક હસ્તિઓ આ પરિસ્થિતિ સાથે સંકળાયેલ સામાજિક કલંકના કારણે અથવા નિદાન કે સારવાર અંગે અજ્ઞાનના કારણે ઘણી વાર ડિપ્રેસનની ચર્ચા કરતા નથી અથવા સારવાર મેળવતા નથી. આમ છતાં પત્રો, જર્નલ્સ, કળાકૃતિઓ, લખાણના વિશ્લેષણ અથવા અર્થઘટન કે અમુક ઐતિહાસિક વ્યક્તિઓના પરિવારજનો કે મિત્રોના નિવેદનો પરથી એવું તારણ નીકળે છે કે તે પૈકીના કેટલાક અમુક પ્રકારના ડિપ્રેસનનો ભોગ બનેલા હતા. જેમને ડિપ્રેસન હતું તેવી શક્યતા હતી તેવા લોકોમાં અંગ્રેજી લેખક મેરી શેલી,[303] અમેરિકન-બ્રિટીશ લેખક હેનરી જેમ્સ[304] અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનો સમાવેશ થાય છે.[305] ડિપ્રેસનની શક્યતા ધરાવતા હોય તેવા કેટલાક જાણીતા સમકાલીન લોકોમાં કેનેડિયન ગીતકાર લિયોનાર્ડ કોહેન[306] અને અમેરિકન નાટ્યલેખક અને નવલકથાકાર ટેનેસી વિલિયમ્સનો સમાવેશ થાય છે.[307] કેટલાક અગ્રણી મનોવિજ્ઞાનિકો જેમ કે અમેરિકન્સ વિલિયમ જેમ્સ[308][309] અને જ્હોન બી. વોટ્સન[310] પણ પોતાના ડિપ્રેસનનો સામનો કરી રહ્યા હતા.
એ બાબત પર સતત ચર્ચા ચાલી રહી છે કે મનોસ્થિતિ ડિસઓર્ડર્સ અને મૂડ ડિસઓર્ડર્સનો સંબંધ સર્જનાત્મકતા સાથે છે કે નહીં, આ ચર્ચા એરિસ્ટોટલના યુગથી ચાલે છે.[311][312] બ્રિટિશ સાહિત્ય ડિપ્રેસન પર પરાવર્તનના ઘણા ઉદાહરણ આપે છે.[313] અંગ્રેજી ફિલોસોફર જ્હોન સ્ટુઅર્ટ મિલને આવા સાત મહિના લાંબા સમયનો અનુભવ થયો હતો જેને તેમણે ચેતાતંત્રની નબળી સ્થિતિ ગણાવી હતી જ્યારે વ્યક્તિ “આનંદ અથવા આનંદદાયક ઉત્તેજના”નો અનુભવ કરી શકતી નથી. એક એવો મૂડ જેમાં એક ક્ષણમાં માણસ આનંદમાં હોય છે અને તરત દુખી અને ઉદાસીન બની જાય છે. તેમણે અંગ્રેજ કવિ સેમ્યુઅલ ટેલર કોલેરિજના “ડિજેક્શન” અંગેના અવતરણને આ કેસના સચોટ વર્ણન સમાન ગણાવ્યું હતું. “વેદના, ખાલીપણુ, અંધકાર અને ગમગીની સાથેનું દુઃખ, / અર્ધસુપ્ત, ગુંગળાયેલ, ઉત્સાહ વગરનું દુઃખ / જેને કોઇ કુદરતી રીતે બહાર જવાનો માર્ગ કે રાહત મળતી નથી / શબ્દોમાં નિસાસો અથવા આંસુ.”[314][315] અંગ્રેજ લેખક સેમ્યુઅલ જ્હોન્સને 1780ના દાયકામાં “ધ બ્લેક ડોગ” શબ્દનો ઉપયોગ કરીને પોતાનું ડિપ્રેસન વર્ણવ્યું હતું[316] અને ત્યાર બાદ તેને ભોગવી રહેલા ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ દ્વારા તેને લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું.[316]
મેજર ડિપ્રેસન માટે સામાજિક કલંક વિશાળ પાયે ફેલાયેલ છે અને માનસિક આરોગ્ય સેવાના સંપર્કથી તેમાં બહુ મામુલી ઘટાડો થયો છે. સારવાર અંગે જનમત આરોગ્યના વ્યાવસાયિકો કરતા ઘણો અલગ છે અને ફાર્માકોલોજિકલ સારવાર કરતા વૈકલ્પિક સારવારને વધુ ઉપયોગી ગણવામાં આવે છે.ફાર્માકોલોજિકલ સારવાર અંગે ઘણો નબળો મત પ્રવર્તે છે.[317] યુકે (UK)માં રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રીસ્ટ્સ અને રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સે 1992થી 1996 દરમિયાન લોકોને મેજર ડિપ્રેસન અંગે શિક્ષિત કરવા અને કલંકની લાગણી દૂર કરવા માટે સંયુક્ત પાંચ વર્ષનું ડિફીટ ડિપ્રેસન અભિયાન ચલાવ્યું હતું.[318] ત્યાર બાદ કરવામાં આવેલા મોરી (MORI) અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ડિપ્રેસન અને તેની સારવાર અંગે લોકોમાં બહુ મામુલી હકારાત્મક ફેરફાર આવ્યો હતો.[319]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.