ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનું એક ગામ From Wikipedia, the free encyclopedia
ભંડારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉચચતર માધયમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભંડારીયા (તા. ભાવનગર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°35′13″N 72°07′53″E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
ભંડારીયા મૂળ કામળીયા આહીરોનું રજવાડું હતું.[1]
ગુજરાતી ભાષાના સાહિત્યકાર દિનકર જોષીનો જન્મ આ ગામમાં થયો હતો.
ભંડારીયા તેના પથ્થરો માટે જાણીતું છે. ભંડારીયામાં આ પથ્થરોથી માલેશ્રી નદી પર એક પુલ બાંધવામાં આવેલો છે જે ભાવનગર થી મહુવા વચ્ચેના માર્ગ પર આવેલો છે.[2]
નજીકની ટેકરીઓ જે ખોખરા પર્વતમાળાનો ભાગ છે, તેને માળનાથની ટેકરીઓ કહે છે. તેના પર માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પાણીનો કુંડ આવેલો છે. ભંડારીયાની નજીકની ટેકરીઓના નામ કલવીરા, રોજમાળ, ભીનમાળ, કાન ફાટા અને કુર્મા છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.