સ્થાનકવાસી
From Wikipedia, the free encyclopedia
સ્થાનકવાસી (स्थानकवासी) એ જૈન ધર્મનો એક પંથ છે જેની સ્થાપના લગભગ ૧૬૫૩ ની આસપાસ લવજી નામના વ્યાપારી દ્વારા થઈ. આ સંપ્રદાય માને છે કે ભગવાન નિરાકાર છે અને તેથી કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજા નથી કરતો.[1] આ સંપ્રદાય ૧૫મી સદીના જૈન સુધારક લોઁકા દ્વારા પ્રેરિત સુધારિત વિચારસરણીનું પુનર્ગઠન છે.
આ સંપ્રદાયનું પ્રાર્થના સ્થળ સ્થાનક તરીકે ઓળખાય છે જેને ઉપાશ્રય પણ કહે છે. સ્થાનકનો અર્થ હઁગામી આશ્રય સ્થળ એવો થાય છેૢ કેમકે સાધુ કે શ્રાવકો બંને ને તે હંગામી આશ્રય આપે છે. સ્થાનકમાં પ્રાર્થના દરમ્યાન પોતાનાથી ઇતર જિઁગની વ્યક્તિને સ્પર્શવું વર્જિત હોય છે. સ્થાનક વાસીઓ શ્વેતાંબર સંપ્રદાયના બત્રીસ આગમ (ગ્રઁથ) સિવાયના અન્ય કોઇ પણ ક્રિયાકાંડ, પૂજન, રિતી આદિનો સ્વીકાર નથી કરતાં અને આને પરિણામે તેઓ તેરાપંથી સંપ્રદાયથી ઘણા મળતા આવે છે.
ઉત્તર ભારતમાં લગભગ ૫ લાખ જૈનો વસે છે. શ્વેતાઁબર જેઓ સ્થાનક વાસી નથી તેમને દેરાવાસી કહે છે.