સિસોદીયા
ભારતનું એક રાજપૂત કુળ / From Wikipedia, the free encyclopedia
સિસોદીયા એ ભારતનું સૂર્યવંશી ગણાતું રાજપૂત કુળ છે. જેઓએ રાજસ્થાનના મેવાડ સામ્રાજ્યમાં રાજ કર્યું. રાણા હમીર પહેલાં આ કુળ ગેહલોત કે ગહેલોત તરીકે ઓળખાતું હતું. સને ૧૩૦૩ માં અલ્લાઉદિન ખિલજી એ ચિત્તોડ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં કિલ્લામાં રહેલા તમામ રાજપૂતો માર્યા ગયા હતા અને રાણી પદ્મિની એ જૌહર કર્યું. જેઓ કિલ્લાની બહાર હતા તેવા કેટલાક યોદ્ધાઓ બચી ગયા. આ બચી જનારાઓમાં સિસોડા ગામનો હમીર પણ હતો. ૨૩ વર્ષનાં મુસ્લિમ શાસન પછી તેમણે ચિત્તોડ પર ફરી શાસન સ્થાપ્યું. તેમનાં ગામ "સિસોદા" પરથી તેમનું કુળ સિસોદીયા તરીકે ઓળખાયું.
- આ લેખ સિસોદીયા રાજપૂત વંશ વિષે છે. રાજપૂતોમાં વપરાતી અટક માટે સિસોદીયા (અટક) લેખ જુઓ.