From Wikipedia, the free encyclopedia
સંસ્કૃતિ કે સભ્યતા(Civilization) કેટલાક સંજોગોમાં વિવાદિત શબ્દ છે જેને એકબીજા સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શરૂઆતમાં, માનવ સંસ્કૃતિઓના ઉલ્લેખના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ટેકનોલોજી, રાજનીતિ અને સમાજમાં લોકોની કામગીરીના વિભાગો સાથે વધુ સંબંધ ધરાવે છે. આવી સંસ્કૃતિઓ સામાન્યપણે શહેરીકૃત થઈ ગઈ છે. પ્રાચીન સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જંગલી" લોકોથી વિપરિત ગણવામાં આવતા હતા જ્યારે શરૂઆતના આધુનિક સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જૂનવાણી" લોકોથી વિપરિત ગણવામાં આવે છે.
જોકે, આજની આધુનિક ચર્ચાઓમાં સામાન્યપણે કોઈપણ માનવ સમુદાય (ઉદાહરણ તરીકે જોઈએ તો “પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ”) કે જે ઐતિહાસિક કે હાલના ચોક્કસ ભૌગોલિક સ્થળ કે ચોક્કસ સમયગાળા સાથે સંકળાયેલા હોય તેને રજૂ કરવા માટે લગભગ "સંસ્કૃતિ"ના સંદર્ભમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. છતા, જ્યારે પણ બીજા સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે માત્ર એવા ચોક્કસ સમાજ ખાસ કરીને શહેરની સ્થાપના કે જ્યાં "શહેર" શબ્દ વિવિધ અર્થોમાં પરિપૂર્ણ થતો હોય તેવા અમુક સ્તર સુધીનો વિકાસ થયો હોય તેમના પુરતો જ ઉપયોગ સિમિત રાખવામાં આવે છે.
સામાન્ય રીતે સંસ્કૃતિકરણના સ્તરને ખેતીવાડી, લાંબા અંતરના વેપાર-ધંધા, વ્યવસાયિક વિશિષ્ટતાઓ અને શહેરીકરણમાં થયેલી પ્રગતિના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે. આ બધા પાયાના પાસાઓ ઉપરાંત, સંસ્કૃતિકરણને સંખ્યાબંધ બીજા દરજ્જાના પાસાઓને ધ્યાનમાં રાખીને પણ નક્કી કરવામાં આવે છે જેમાં, વિકસિત પરિવહનતંત્ર, લેખન, માપણીના ધોરણો (ચલણ વગેરે), કોન્ટ્રાક્ટ અને ટોર્ટ(કોન્ટ્રાક્ટની હેઠળ આવે તે) આધારિત કાયદાકીય તંત્ર, વિશેષ કલા શૈલીઓ (જે સભવતઃ ચોક્કસ સંસ્કૃતિની રૂપરેખા હોઈ શકે છે), સ્મારકિય સ્થાપત્ય, ગણિત, કૃત્રિમ ધાતુવિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર વગેરેનો પણ સમાવેશ થાય છે.
સિવિલાઈઝેશન (સંસ્કૃતિકરણ ) શબ્દ મૂળ લેટિન સિવિલિઝ એટલે કે સિવિલ (નાગરિક) શબ્દ પરથી આવેલો છે અને તે લેટિન સિવિસ શબ્દ સાથે સંબંધ ધરાવે છે જેનો મતલબ નાગરિક થાય છે. તેમજ સિવિટાસ સાથે સંબંધ ધરાવે છે જેનો મતલબ શહેર અથવા શહેર-રાજ્ય થાય છે.
છઠ્ઠી સદીમાં બાઈઝેન્ટાઈન(પૂર્વ રોમનના) રાજા જસ્ટીનિઅને રોમન નાગરિક કાયદાનું નિરિક્ષણ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે કોર્પસ જ્યુરિસ સિવિલિસ (નાગરિક કાયદાઓનું સંગઠન)ની રચના થઈ હતી. 11મી સદીમાં યુનિવર્સિટી ઓફ બોલોગ્ના કે જે પશ્ચિમ યુરોપની પ્રથમ યુનિવર્સિટી (વિદ્યાપીઠ) હતી તેના પ્રાધ્યાપકોએ કોર્પસ જ્યુરિસ સિવિલિસની ફરી શોધ કરી અને ત્યારબાદ સમગ્ર પશ્ચિમ યુરોપમાં તેની અસરો જોવા મળી હતી. 1388માં અંગ્રેજીમાં "નાગરિક તે તેને સંબંધિત" ના અર્થમાં સિવિલ(નાગરિક ) શબ્દ આવ્યો.[1] 1704માં સિવિલાઈઝેશન શબ્દ "એવો કાયદો કે જેમાં નાગરિકો સંબંધિત કેસોમાં થતી ફોજદારી કાર્યવાહી"ના અર્થમાં ઉપયોગમાં લેવાતો હતો. 18મી સદીના ઉત્તરાર્ધ સુધી સિવિલાઈઝેશન (સંસ્કૃતિકરણ ) શબ્દ આધુનિક સમજણ પ્રમાણે "અસંસ્કારિતાના વિરોધી શબ્દ”ના સંદર્ભમાં ઉપયોગમાં નહોતો લેવાતો. - તેને સિવિલિટી (વિનમ્રતા )ના અર્થમાં ઉપયોગમાં લેવાતો હતો જેનો મતલબ છે વિનય અથવા જો નાગરિક આદરભાવ.
એમિલ બેન્વેનિસ્ટ(1954[2])ના જણાવ્યા અનુસાર અંગ્રેજીમાં સિવિલાઈઝેશન ( સંસ્કૃતિ)ની આધુનિક સમજણનો ઉલ્લેખ સૌથી વહેલામાં વહેલો એડમ ફેર્ગુસનના એન એસે ઓન ધ હિસ્ટ્રી ઓફ સિવિલ સોસાયટી (એડીન્બર્ગ, 1767- p. 2)માં જોવા મળે છે.
Not only the individual advances from infancy to manhood, but the species itself from rudeness to civilization.
એ વાત નોંધવી જોઈએ કે આ પ્રયોગમાં હાલની “સુસંસ્કૃતતા”ની શ્રેષ્ઠતા અને પરિપકવતાનો વિચાર મેળ ખાય છે જેને “અસંસ્કારિતા”ના વિપરિત તરીકે હાલ જોવામાં આવે છે અને કોઈ વ્યક્તિમાં સંસ્કાર અથવા વિનમ્રતાના અભાવને દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે.
બેન્વેનિસ્ટે તપાસ કરી તે પહેલા નવા અંગ્રેજી શબ્દકોષમાં જેમ્સ બોસવેલ્સે સેમ્યુઅલ જ્હોન્સન સાથે કરેલી વાતચીતનો સંદર્ભ આપીને સિવિલાઈઝેશન શબ્દને જ્હોન્સનના શબ્દકોષમાં સમાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી:
On Monday, March 23 (1772), I found him busy, preparing a fourth edition of his folio Dictionary... He would not admit civilization, but only civility. With great deference to him I thought civilization, from to civilize, better in the sense opposed to barbarity than civility, as it is better to have a distinct word for each sense, than one word with two senses, which civility is, in his way of using it.
બેન્વેનિસ્ટે રજૂઆત કરી હતી કે જ્હોન્સનની વ્યાખ્યાની ઝડપથી સ્વીકારવા અંગે વિવરણ કરતી અગાઉની ઘટનાઓ મળી શકે છે. 1775માં એસ્ટના શબ્દકોષમાં સિવિલાઈઝેશન શબ્દને “સુસંસ્કૃત કરતા રાજ્ય, સુસંસ્કૃત થવાની પ્રવૃત્તિ”[2] તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને આ પરિભાષાનો એડમ સ્મિથ દ્વારા એન ઈન્કવાઈરી ઈન ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ માં ઘણી વખત ઉપયોગ કરાયો છે(1776)[2] સ્મિથ અને ફેર્ગુસન ઉપરાંત જ્હોન મિલરે પણ 1771માં તેના પુસ્તક ઓબ્ઝવેર્શન્સ કન્સર્નિંગ ધ ડિસ્ટીન્કશન ઓફ રેન્ક્સ ઈન સોસાયટી માં ઉપયોગ કર્યો છે.[2]
સિવિલાઈઝેશન શબ્દ સૌપ્રથમ બેન્વેનિસ્ટે મર્કીઝ ડે મિરાબ્યૂના લામી ડેસ હોમ્મસ ઓ ટ્રેઈટ ડે લા પોપ્યુલેશન (1756માં લખાયું પરંતુ 1757માં પ્રકાશિત થયું) નામના ફ્રેન્ચ પુસ્તકમાં શોધ્યો હતો. બેન્વેનિસ્ટનો પ્રશ્ન એ હતો કે અંગ્રેજીમાં લખાયેલો શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષા પરથી આવ્યો છે કે પછી બંને પોતાની રીતે સ્વતંત્રપણે લખાયેલા છે – એક એવો પ્રશ્ન કે જેમાં વધુ સંશોધનની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર ખરેખર તો સિવિલાઈઝેશન શબ્દ સંભવતઃ 1759માં ફેર્ગુસન દ્વારા ઉપયોગમાં લેવાયેલો છે.[2]
વધુમાં, બેન્વેનિસ્ટે નોંધ્યું હતું કે, સિવિલિટી (સુસંસ્કૃતતા )થી વિપરિત, એક સીધી પરિભાષામાં સિવિલાઈઝેશન શબ્દ ગતિશિલતાનો એક ભાવાર્થ પણ આપે છે. આથી તેમણે આ પ્રમાણે લખ્યું હતું. [10]
[i]t was not only a historical view of society; it was also an optimist and resolutely non theological interpretation of its evolution which asserted itself, sometimes at the insu of those who proclaimed it, and even if some of them, and first of all Mirabeau, still counted religion as the first factor of 'civilization.[2][3]
તેમના પુસ્તક ધ ફિલોસોફી ઓફ સિવિલાઈઝેશન અનુસાર આલ્બર્ટ સ્વાર્ત્ઝનેગર સિવિલાઈઝેશનની કલ્પના અંગેના ફિલસૂફો પૈકી એક મુખ્ય ફિલસૂફ છે જેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે સમાજમાં આ અંગે બે મંતવ્યો જોવા મળે છે. સિવિલાઈઝેશન અંગેનું એક મંતવ્ય સંપૂર્ણપણે ભૌતિક છે અને અન્ય મંતવ્ય નૈતિક અને ભૌતિક બંને વિચાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ટાંક્યું હતું કે હાલના જગતમાં કટોકટી એ છે કે 1923માં સિવિલાઈઝેશન શબ્દની નૈતિક કલ્પના માનવીયતાએ ગુમાવી દીધી હતી. આ સમાન કાર્યમાં તેમણે સિવિલાઈઝેશન શબ્દને એમ કહીને રજૂ કર્યો હતો કે
It is the sum total of all progress made by man in every sphere of action and from every point of view in so far as the progress helps towards the spiritual perfecting of individuals as the progress of all progress.
“સિવિલાઈઝેશન”(સંસ્કૃતિકરણ) શબ્દ લોકોમાં અને વિદ્વાનોના વર્તુળોમાં “સંસ્કૃતિ” શબ્દને વ્પાયાક અર્થમાં રજૂ કરવા માટે તેના સમાનાર્થ તરીકે વારંવાર ઉપયોગમાં લેવાય છે.[4] આ વાત સમજી શકાય એવી છે, કારણ કે તમામ ચોક્કસ સંસ્કૃતિમાં ચોક્કસ સંસ્કૃતિ સમાયેલી જ હોય છે અને એવા તમામ લોકો કે જે સંસ્કૃતિનો હિસ્સો હોય તેઓ સંસ્કૃતિની સંસ્કૃતિનો પણ હિસ્સો છે. જોકે, આ શબ્દો હંમેશા એકબીજામાં પરિવર્તિત થતા હોય તેમ જરૂરી નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો, ભટકતી જાતિના નાના સમૂહનું સંસ્કૃતિકરણ ન થયુ હોય તે રીતે કદાચ સ્વીકારી શકાય છે પરંતુ તેમની પોતાની સંસ્કૃતિ હોય તે વાત ચોક્કસપણે સ્વીકારી શકાય.(જેમકે કલા વસ્ત્રો, માન્યતાઓ, મુલ્યો, વર્તન અને ભૌતિક આદતો વગેરે લોકોની જીવનશૈલી છે જેને સંસ્કૃતિ તરીકે ગણવામાં આવે છે[5]. એવું કહી શકાય કે સંસ્કૃતિ(સંસ્કૃતિકરણ) વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે વધુ સંબંધ ધરાવે છે અને સંસ્કૃતિ મુક્ત કળા સાથે વધુ સંબંધ ધરાવે છે પરંતુ બેશકપણે બંને એકબીજાની ખૂબ નીકટ છે અને સામાન્યપણે સમાંતર રીતે જ આગળ વધે છે. સંસ્કૃતિને સામાન્ય રીતે ખેતીવાડી અને શહેરી સંસ્કૃતિના જટીલ જોડાણ તરીકે ઓળખાવવામાં આવે છે.
સભ્ય સંસ્કૃતિઓ શહેરી જીવનશૈલીમાંથી ઉભરતા કે તેના પરિણામે જોવા મળતા બહુમાળી મકાનો, સંસ્થાનો, કલાકૃતિઓના આધારે રચાય છે જેમાં શહેરોમાં એક સ્થળે કાયમી વસતા લોકોની વસ્તી રોજિંદા અન્ન અને અન્ય જીવન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે તેના આધાર પર રચાયેલી હોય છે.
પ્રાચીન પરંતુ સમયાંતરે ઉપયોગ થતો આવ્યો છે તે કલ્પના અનુસાર “સિવિલાઈઝેશન” શબ્દ માનક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાજિક સંદર્ભમાં જોઈએ તો જ્યાં શહેરી સંસ્કૃતિ અને જટીલતા અન્ય “અણધડતા” અથવા “અસંસ્કારિતા”ની સંસ્કૃતિ પર વધુ પ્રભાવિત હોય ત્યાં “સિવિલાઈઝેશન”ની કલ્પના કોઈ ચોક્કસ જૂથની સાંસ્કૃતિક(ઘણી વખત નૈતિક) શ્રેષ્ઠતા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના જેવી જ કલ્પનામાં, સિવિલાઈઝેશનનો અર્થ એવો પણ થાય કે “વિચારો, વર્તન કે પસંદગીમાં સંસ્કારિતા.”[6] સિવિસાઈઝેશનનું આ માનક એવી વિચારધારામાં ખૂબ જ ઉંડાણપૂર્વક જોડાયેલું છે કે શહેરીકૃત વાતાવરણ ભૌતિક અને માનસિક દ્રઢતાની બાબતે વધુ સારી જીંદગી પુરી પાડે છે. સંસ્કૃતિ માટે વિજ્ઞાન, વેપાર, કલા, સરકાર અને ખેતીવાડીના આધુનિક જ્ઞાન ની જરૂર છે.
વી.ગોર્ડન ચિલ્ડ જેવા સમાજવિજ્ઞાનિકોએ સંખ્યાબંધ એવા લક્ષણો દર્શાવ્યા છે જે સંસ્કૃતિને અન્ય સમાજથી અલગ દર્શાવે છે.[7] સંસ્કૃતિ ત્યાં વસતા લોકોની ગુજરાન ચલાવવની રીતભાત, તેમની જીવનશૈલીઓના પ્રકાર, વસાહતોના માળખાઓ, સરકારના પ્રકાર, સામાજિક સ્તર, અર્થતંત્ર, સાક્ષરતા અને અન્ય સાંસ્કૃતિક ગુણોના આધારે દર્શાવવામાં આવે છે.
દરેક માનવ સંસ્કૃતિનો આધાર ખેતીવાડી અને જીવનનિર્વાહના સાધનો પર આધાર રાખે છે. ખેતરોમાં ઉગતું ધાન્ય વધારાના અન્ન તરીકે મળે છે ખાસ કરીને જ્યારે લોકો સિંચાઈ અને પાકની ફેરવણી જેવી ઘનિષ્ઠ ખેતીની ટેકનિકોનો ઉપયોગ કરે ત્યારે આમ બને છે. અનાજનો સંગ્રહ વિશેષ મહત્વપૂર્ણ છે કારણ કે તેને ઘણા લાંબા સમય સુધી સાચવી શકાય છે. અનાજના સંગ્રહના કારણે લોકો અન્ન ઉત્પાદન સિવાય જીવન નિર્વાહ માટે અન્ય કામ કરી શકે છેઃ અગાઉના સમયમાં શહેરી વ્યવસ્થામાં કારીગરો, પુરોહિત, પૂજારણો અને વિશેષ કારકિર્દી ધરાવતા અન્ય લોકો સમાવેશ થતો હતો. અનાજના સંગ્રહના કારણે સમાજમાં વિવિધ કાર્યોના ભાગ પડે છે અને માનવીય પ્રવૃત્તિઓમાં વધુ ફાટાઓ પડતા જાય છે જે સંસ્કૃતિના લક્ષણોને યથાર્થ કરે છે.
સંસ્કૃતિમાં અન્ય સમાજની સરખામણીએ ઘણી અલગ પ્રકારની વસાહત રચનાઓ જોવા મળે છે. સિવિલાઈઝેશન(સંસ્કૃતિ ) શબ્દ કેટલીક વખતે માત્ર “શહેરમાં વસનાર” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.[8] ખેતીના વ્યવસાયમાં ન હોય તેવા લોકો શહેરોમાં કામ કરવા માટે અને વેપાર કરવા માટે એકઠા થાય છે.
અન્ય સમાજની સરખામણીએ સંસ્કૃતિમાં વધુ જટીલ રાજકીય માળખુ હોય છે જેને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.[સંદર્ભ આપો] રાજ્યના સમાજો અન્ય સમાજોની સરખામણીએ વધુ વર્ગીકૃત કે [સંદર્ભ આપો]વિભક્ત હોય છેઃ અહીં સામાજિક વર્ગોમાં ઘણો તફાવત હોય છે. શાસકવર્ગ સામાન્ય પણે શહેરોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તેમના હાથમાં તમામ મહેસુલ કે જથ્થાનો અંકુશ હોય છે અને સરકાર કે અમલદારશાહીની પ્રવૃત્તિના ભાગરૂપે તે પોતાની કામગીરી કરે છે. વિવાદિત સિદ્ધાંતવાદી મોર્ટન ફ્રેઈડ અને એકીકરણ સિદ્ધાંતવાદી એલ્મન સર્વિસે માનવ સંસ્કૃતિઓને રાજકીય તંત્ર અને સામાજિક અસમાનતાના આધારે વર્ગીકૃત કરી છે. વર્ગીકરણના આ તંત્રમાં ચાર શ્રેણીઓ રાખવામાં આવી છેઃ[સંદર્ભ આપો]
આર્થિકરીતે, સંસ્કૃતિ ઓછા આયોજિત સમાજના બદલે માલિકીપણા અને વિનિમયની રૂપરેખા વધુ રજૂ કરે છે. એક સ્થળે રહેતી વ્યક્તિ કોઈ ભટકતી વ્યક્તિની સરખામણીએ વધુ વ્યક્તિગત માલિકી ધરાવે છે. કેટલાક લોકો ભૂમિગત સંપત્તિ અથવા જમીનની અંગત માલિકી પણ મેળવે છે. સંસ્કૃતિમાં અમુક ટકા લોકો અન્ન ઉગાડતા ન હોવાના કારણે તેઓ અન્ન માટે ફરજિયાતપણે પોતાની ચીજવસ્તુઓ કે સેવાઓનો બજારમાં વેપાર કરે છે અથવા પ્રસંશારૂપે, પુનર્વિતરણ કરભાર, ભાડા અથવા વસ્તીના અન્ન ઉત્પાદન વિભાગના દશભાંશ રૂપે અન્ન મેળવે છે. પ્રાચીનકાળમાં આ પ્રકારના વિનિમયમાં જટીલતા વધતા વિનિમયના માધ્યમ તરીકે નાણું વિકસાવાયું હતું. વધુ સરળતા માટે, ગામડાઓમાં કુંભાર કોઈ બિયર ગાળનાર વ્યક્તિને માટલા ઘડીને આપતો હતો અને બિયર બનાવનાર માણસ તેને વળતરના સ્વરૂપમાં ચોક્કસ પ્રમાણમાં બિયર આપતો હતો. શહેરોમાં, કુંભારને નવા આશ્રયની જરૂર પડે, આશ્રયદાતાને જોડાની જરૂર પડે, મોચીને કદાચ નવી ઘોડાની નાળની જરૂર પડે, લુહારને કદાચ નવા બકરાની જરૂર પડે અને ચમારને કદાચ નવા માટલાની જરૂર પડે. આ લોકો કદાચ વ્યક્તિગત રીતે એકબીજાની કાળજી ન રાખી શકે અને તેની જરૂરિયાત કદાચ એક જ સમયે ઉભી ન થાય. . નાણાકીયતંત્ર એક એવું માધ્યમ છે જે આ જરૂરિયાતોને પુરી કરવા માટેના યોગ્ય આયોજનની ખાતરી આપે છે.
લેખન સૌપ્રથમન સુમેરના લોકો દ્વારા વિકસાવાયું હતું જેને સંસ્કૃતિના ગુણવત્તાચિહ્ન તરીકે માનવામાં આવે છે અને “જટીલ પ્રસાશનિક અમલદારશાહીના ઉત્કર્ષ અથવા વિજયી રાજ્ય તરીકે જોવા મળે છે.”[10] વેપારીઓ અને અમલદારો ચોક્કસ નોંધ રાખવા માટે લેખન પર વિશ્વાસ રાખતા હતા. નાણાંની જેમ, શહેરમાં વસ્તીના પ્રમાણમાં તેમજ જે લોકો વ્યક્તિગત રીતે એકબીજા સાથે જોડાયેલા નહોતા તેમના વચ્ચે વ્યાપારની જટીલતાના કારણે લેખનની જરૂરિયાત ઉભી થઈ.
શ્રમમાં વિભાજન અને કેન્દ્ર સરકારના આયોજનની મદદથી, શહેરોમાં વૈવિધ્યસભર સાંસ્કૃતિક ગુણો પણ વિકાસ પામ્યા. તેમાં પ્રાદેશિક ધર્મો, કલાનો વિકાસ અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજીમાં અસંખ્ય આધુનિકતાઓનો સમાવેશ થાય છે.
ઇતિહાસના આધારે કહી શકાય કે, સફળ સંસ્કૃતિ વધુને વધુ સીમાઓ લંબાવીને તેમજ વધુ અને વધુ અગાઉ બિનશહેરી હોય તેવા લોકોને સમાવીને વિસ્તરણ કર્યું છે. છતા પણ, આજદિન સુધી પણ કેટલીક જ્ઞાતિઓ કે લોકો હજી પણ અસંસ્કૃત રહી ગયા છે. આવી સંસ્કૃતિઓને “જૂનવાણી” તરીકે ઓળખવામાં આવે છે, જેને અન્ય લોકો નિંદાત્મક સંદર્ભમાં જુએ છે. કેટલાક સંજોગોમાં “જૂનવાણી” અંગે કહેવામાં આવે છે કે તે “પહેલા” તો સંસ્કૃતિ જ હતી.(લેટીનમાં પ્રિમસ), જે માનવજાતિના ઉત્પતિકાળથી નથી બદલાઈ છતા તેને સાચી રીતે રજૂ કરવામાં આવી નથી. ખાસ કરીને, આજના દિવસોમાં જોવા મળતી તમામ સંસ્કૃતિઓ સમકાલિન છે, આજની કહેવાતી જૂનવાણી સંસ્કૃતિ કોઈપણ રીતે આપણે જેને સુસંસ્કૃત કહીએ છીએ તેની પૂર્વવર્તિ ઘટના તરીકે જણાતી નથી. કેટલાય માનવશાસ્ત્રજ્ઞાતાઓએ આવા લોકોને દર્શાવવા માટે “અશિક્ષિત” શબ્દપ્રયોગ કર્યો છે. યુએસએ(USA) અને કેનેડા કે જ્યાં સંખ્યાબંધ લોકોની સંસસ્કૃતિ યુરોપીયન આશ્રયોમાંથી વિસ્થાપિત થઈ છે તેને “પ્રથમ રાષ્ટ્ર” તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યપણે ઉત્તર અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પાસે ધર્માધિકારી સરકાર, ધર્મ અને વિનિમયતંત્ર, તેમની પરંપરા અનુસારની મૌખિક ભાષા, કાયદા વગેરે હતા. આ સંસ્કૃતિને 10,000થી વધુ વર્ષ જાળવી રાખનારા પૂર્વજોના બુદ્ધિચાતુર્ય અને તેમના સ્વાભાવિક પર્યાવરણ[સંદર્ભ આપો] (7મી સદી નિર્ણાયક છે) આદરને પાત્ર છે.
સમય જતા આક્રમણ, નરસંહાર, ધર્માંતરણ અને અમલદારશાહીના અંકુશ તેમજ વેપારના વિસ્તરણ તેમજ ખેતીવાડીની આગમન અને અશિક્ષિત લોકોના સાક્ષરજ્ઞાનમાં વધારા સાથે સંસ્કૃતિનો ફેલાવો થયો. કેટલાક અસંસ્કૃત કે બિન શહેરી લોકોએ કદાચ સુસંસ્કૃત વર્તનને ઈચ્છાપૂર્વક સ્વીકાર્યું હશે, પરંતુ સંસ્કૃતિને દબાણપૂર્વક પણ ફેલાવવામાં આવ્યું છે. જો બિનશહેરી લોકો ખેતીવાડી સ્વીકારવાની ના પાડે અથવા “સુસંસ્કૃત” ધર્મ અપનાવવાની ના પાડે તો ઘણી વખત સુસંસ્કૃત લોકો દ્વારા તેમને આ માટે દબાણપૂર્વક ફરજ પાડવામાં આવતી હતી અને તેઓ મોટાભાગે તેમની આધુનિક ટેકનોલોજી અને તેમની બહુમતિના કારણે સફળપણ થતા હતા. સુસંસ્કૃતો મોટાભાગે એવો ધર્મ જ અપનાવતા હતા જે તેમની પ્રવૃત્તિઓ માટે ન્યાયપૂર્ણ હોય, ઉદાહરણના દાવો તરીકે કહી શકાય કે અસંસ્કૃત લોકો “જૂનવાણી”, દાસો, અસંસ્કૃત લોકો અથવા તેમના જેવા અન્ય લોકો છે અને તેમને “સભ્ય ધર્મ” દ્વારા “ઉન્નતકૃત” કરવા જોઈએ.
“સંસ્કૃતિકરણ”ને પોતાની રીતે જે સમાજ ન હોય તેવા જટીલ સમાજની સંસ્કૃતિ દર્શાવવા પણ ઉપયોગમાં લેવાય છે. દરેક સમાજ કે જેમની સુસંસ્કૃત હોય કે નહીં, તેમની પાસે ચોક્કસ વિચારો અને રિવાજો તેમજ તેમને કંઈક અલગ દર્શાવે તેવી ચોક્કસ પ્રકારની બનાવટો અને કલા હોય છે. સંસ્કૃતિ સામાન્યપણે મુશ્કેલ સંસ્કૃતિના વિકાસ માટે હોય છે જેમાં સાહિત્ય, વ્યવસાયિક કલા, સ્થાપત્ય, સુનિયોજિત ધર્મો અને તેમની ભદ્રતા સાથે જોડાયેલા જટીલ વિચારોનો સમાવેશ થાય છે.
સંસ્કૃતિ સાથે જોડાયેલી મુશ્કેલ સંસ્કૃતિ કે જે ફેલાવાની સક્ષમતા ધરાવે છે અને અન્ય સંસ્કૃતિ પર તેનો પ્રભાવ છે, કેટલીક વખત સંસ્કૃતિમાં અન્ય સંસ્કૃતિને સમાવી લે છે(ખૂબ પરંપરાગત ઉદાહરણ જોઈએ તો ચીની સંસ્કૃતિકરણ અને કોરિયા, જાપાન, વિએતનામ તેમજ અન્ય આસપાસના દેશો પર તેનો પ્રભાવ ગણી શકાય). સંખ્યાબંધ સંસ્કૃતિ ખરેખર તો મોટા કદના સાંસ્કૃતિક ઘડા સમાન હોય છે જેમાં અનેક દેશો અને ધર્મોને સમાવાયેલા હોય છે. સંસ્કૃતિ કે જ્યાં કોઈ રહે છે તેને વ્યક્તિની વ્યાપક સાંસ્કૃતિક ઓળખ તરીકે ગણવામાં આવે છે.
અનેક ઇતિહાસવિદોએ આ વ્યાપક સાંસ્કૃતિક ઘડા પર ધ્યાન આપ્યું છે અને સંસ્કૃતિને સ્વતંત્ર એકમના રૂપમાં સ્વીકાર્યા છે. એક ઉદાહરણ જોઈએ તો વીસમી સદીની શરુઆતમાં ફીલસુફ ઓસ્વાલ્ડ સ્પેંગલરે[11] પોતે જર્મન શબ્દ “કલ્ટર”(Kultur) ઉપયોગ કરતો હોવા છતા ”કલ્ચર”(Culture) શબ્દપ્રયોગ તેણે સંસ્કૃતિ(સંસ્કૃતિકરણ) માટે ઉપયોગમાં લીધો હતો. તેણે જણાવ્યું હતું કે સંસ્કૃતિની સમજ એક જ પ્રાથમિક સાંસ્કૃતિક સંજ્ઞા પર આધારિત છે. સંસ્કૃતિમાં જન્મ, જીવન, ઘટાડા અને મૃત્યુના ચક્ર તેમજ નવા સુસંસ્કૃતો દ્વારા નવી સંસ્કૃતિ સાથેની કપટ વગેરે નવી સાંસ્કૃતિક સંજ્ઞાની આસપાસમાં રચાતા જોવા મળે છે.
સંસ્કૃતિમાં આ “એકસમાન સંસ્કૃતિ”ની કલ્પના ઇતિહાસવિદ એલ્મન્ડ જે ટોયન્બીની વીસમી સદીના મધ્યમાં આવેલી પદ્ધતિને દબાવી દે છે. ટોયન્બીએ અ સ્ટડી ઓફ હિસ્ટ્રી નામના અલગ અલગ ભાગોમાં રચાયેલા પુસ્તકમાં સંસ્કૃતિની પ્રક્રિયા અંગે ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં 21 સંસ્કૃતિમાં વધારો અને મોટાભાગનામાં બાદમાં આવેલા ઘટાડાને નોંધ્યો હતો અને પાંચ “બંધીકૃત સભ્યતાઓ” અંગે અભ્યાસ કર્યો હતો. ટોયન્બીના જણાવ્યા અનુસાર કેટલાક મહત્વના પડકારોને ઝીલવા માટે આર્થિક અથવા પર્યાવરણીય કારણો પર ધ્યાન આપવાના બદલે નૈતિક અને ધાર્મિક પડતીના પરિણામે “રચનાત્મક લઘુમતિ”ની નિષ્ફળતાના કારણે સામાન્યપણે સંસ્કૃતિમાં પડતી અને પછટાડ જોવા મળે છે.
સમાન રીતે સેમ્યુઅલ પી. હંટીંગ્ટને પણ સંસ્કૃતિ અંગે જણાવ્યું હતું કે આ એવી પ્રક્રિયા છે જેમાં “સર્વાધિકપણે લોકોનું સાંસ્કૃતિક જૂથકરણ અને વ્યાપક પ્રમાણમાં સાંસ્કૃતિક ઓખળ ધરાવતા લોકો જોવા મળે છે જેના કારણે માનવજાત અન્ય જીવો કરતા અલગ તરી આવે છે.” આ બધા ઉપરાંત સંસ્કૃતિની વ્યાખ્યા આપતા હંટીંગ્ટને સંસ્કૃતિ અંગે કેટલીક પદ્ધતિઓ પણ સુચવિ હતી જેની નીચે ચર્ચા કરવામાં આવી છે.
સિદ્ધાંતવાદીઓનું અન્ય એક જૂથ, પ્રાણલીના સિદ્ધાંતને અનુસરી સંસ્કૃતિને એક જટીલ પ્રણાલી તરીકે જુએ છે એટલે કે એક એવું માળખુ કે જેના દ્વારા કંઈક ઉત્પાદનના આશય સાથે કામ કરતા વસ્તુઓના જૂથનું વિશ્લેષણ થઈ શકે. સંસ્કૃતિઓએ શહેરો પહેલાની સંસ્કૃતિઓમાં ઉભરી આવેલા શહેરોના નેટવર્ક તરીકે જોવામાં આવે છે અને તેમાં આવતા આર્થિક, રાજકીય, મિલટરી, રાજદ્વારી, સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના આધારે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈપણ સંગઠન જટીલ સામાજિક પ્રણાલી હોય છે અને સંસ્કૃતિ એક મોટુ સંગઠન જ છે. પ્રણાલીનો સિદ્ધાંત છીછરાપણા સામે રક્ષણ આપે છે પરંતુ સંસ્કૃતિના વિવરણના અભ્યાસમાં સમાનપણાને ગેરમાર્ગે લઈ જાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો, શહેરીવાદી જેન જેકોબ્સે શહેરોને એવા આર્થિક એન્જિનો તરીકે વ્યાખ્યાયિત કર્યા છે જે લોકોનું વિશાળ નેટવર્ક તૈયાર કરવા માટે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય પ્રક્રિયા શહેરોનું નેટવર્ક તૈયાર કરવાની છે જે “આયાત પ્રતિસ્થાપન” છે. આયાત પ્રતિસ્થાપન એવી પ્રક્રિયા છે જેના દ્વારા શહેરી પરિઘ એવી ચીજવસ્તુઓ અને સેવાઓ કે જે ઔપચારિક રીતે વધુ આધુનિક શહેરોમાંથી આયાત કરવામાં આવે છે તેના પ્રતિસ્થાપનની કામગીરી કરે છે. સફળ આયાત પ્રતિસ્થાપનથી શહેરોના પરિઘ વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિ રચાય છે અને ત્યારબાદ આ શહેરો તેમની ચીજવસ્તુઓ ઓછા વિકસિત શહેરોમાં નિકાસ કરી શકે છે જેથી તેમના મુલકમાં નવી આર્થિક વૃદ્ધિનું નેટવર્ક નેટવર્ક રચાય છે. આથી જેકોબ્સ દરેક સમુદાયને અલગ સાંસ્કૃતિક ઘડા તરીકે રજૂ કરવાના બદલે સંપૂર્ણ વ્યાપક આર્થિક વિકાસના નેટવર્ક તરીકે દર્શાવે છે.
પ્રણાલીના સિદ્ધાંતવાદીઓ શહેરો વચ્ચે અનેક પ્રકારના સંબંધોને જુએ છે જેમાં આર્થિક સંબંધો, સાંસ્કૃતિ વિનિમય અને રાજકીય/રાજદ્વારી/લશ્કરી સંબંધો આવે છે. આ ક્ષેત્રો વારંવાર જુદાજુદા ધોરણો પર જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ઓગણીસમી સદી સુધી વ્યાપાર નેટવર્ક હતા તે સાંસ્કૃતિક ક્ષેત્રો અથવા રાજકીય ક્ષેત્રો કરતા વધુ મોટા હતા. વિસ્તરત વેપાર માર્ગો કે જેમાં મધ્ય એશિયા અને હિન્દ મહાસાગર થઈને રોમન સામ્રાજ્યો, પર્સિયન સામ્રાજ્યો, ભારત અને ચીનને જોડતા સુંવાળા માર્ગોનો પણ સમાવેશ થાય છે જે લગભગ 2000 વર્ષો પહેલા સ્થાપવામાં આવ્યા હતા, તે વખતે આ સંસ્કૃતિએ ખૂબ જ ભાગ્યે જ કોઈ રાજકીય, રાજદ્વારી, લશ્કરી અથવા સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા હતા. આ પ્રકારના લાંબા અંતરના વેપારના પુરાવા પ્રાચીન વિશ્વમાં જોવા મળે છે. ઉર્ક સમયગાળામાં ગુઈલેર્મો આલ્ગાઝે દલીલ કરી હતી કે ઈજિપ્ત, મેસોપોટામિયા, ઈરાન અને અફઘાનિસ્તાન[12]ને જોડતા વ્પાપાર સંબંધો હતા. બાદમાં આ સંબંધોના તાર ઉરના શાહી કબરોમાં જોવા મળે છે જેનાથી મોઝામ્બિકથી ઉત્તરે વ્યાપાર થતો હોવાનું સુચિત થાય છે.
સંખ્યાબંધ સિદ્ધાંતવાદીઓ એવી દલીલ કરે છે કે સમગ્ર વિશ્વ પહેલાથી જ એક એકીકૃત “વિશ્વ પ્રણાલી” બની ગયું છે જે પ્રક્રિયાને વૈશ્વિકરણના નામથી ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વિવિધ સંસ્કૃતિો અને સમાજો આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે પણ અનેક પ્રકારે એકબીજાની પર આંતરિક રીતે આધારિત છે. એ બાબત પર ઘણી ચર્ચા થાય છે કે આ એકીકરણની પ્રક્રિયાની શરૂઆત ક્યારે થઈ અને કયા પ્રકારનું એકીકરણ – સાંસકૃતિક, પ્રાદ્યોગિક, આર્થિક, રાજકીય અથવા લશ્કરી-રાજદ્વારી – સંસ્કૃતિના વિસ્તરણમાં ચાવીરૂપ સંકેત છે. ડેવિડ વિલ્કિન્સને સુચવ્યુ હતું કે લગભગ 1500 બીસી(BC)[13]માં મેસોપોટામિયન અને ઈજિપ્તિયન સંસ્કૃતિમાં આર્થિક અને લશ્કરી-રાજદ્વારી એકીકરણના પરિણામરૂપે જે રચના થઈ તેને “કેન્દ્રીય સંસ્કૃતિ” કહેવામાં આવે છે. કેન્દ્રીય સંસ્કૃતિ બાદમાં વિસ્તરીને સમગ્ર મધ્યપૂર્વ અને યુરોપ પહોંચ્યુ અને બાદમાં વૈશ્વિક ધોરણો પર વિસ્તાર પામીને ઓગણીસમી સદી સુધીમાં યુરોપીયન વસાહતો સુધી પહોંચી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન અને જાપાનને પણ સમાવી લીધા. વિલ્કિન્સનના કહેવા પ્રમાણે સંસ્કૃતિો સાંસ્કૃતિક રીતે એકબીજાથી વિભિન્ન હોઈ શકે છે જેમકે કેન્દ્રીય સંસ્કૃતિ અથવા જાપાનીઝ સંસ્કૃતિની જેમ એકબીજામાં મિલનકૃત હોઈ શકે છે. હંટીંગ્ટને કહ્યુ હતું કે “સંસ્કૃતિનો સંઘર્ષ” વિલ્કિન્સન દ્વારા એક જ વૈશ્વિક સંસ્કૃતિમાં સાંસ્કૃતિક ક્ષેત્રોના સંઘર્ષના રૂપમાં નિરુપિત કરાયો હોય તેમ બની શકે છે. અન્ય લોકો ક્રૂસેડ્સ(જેરુસલેમ વગેરે સ્થળો)ને વૈશ્વિકરણના પ્રથમ પગલાં તરીકે ગણાવે છે. વધુ રૂઢિવાદી દ્રષ્ટીકોણ એ છે કે સમાજોના નેટવર્કો પ્રાચનીકાળથી વધ્યા અને સંકોચાયા છે અને હાલનું વૈશ્વિકૃત અર્થતંત્ર અને સંસ્કૃતિ તાજેતરના યુરોપીયન વસાહતિકરણના પરિણામ સ્વરૂપ છે.
રાજકીય વિજ્ઞાનિક સેમ્યુઅલ હંટીંગ્ટ[14]ને દલીલ કરી હતી કે 21મી સદીના ગુણધર્મો દર્શાવવાથી સંસ્કૃતિનો સંઘર્ષ થશે. હંટીંગ્ટને જણાવ્યા અનુસાર સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષના કારણે રાષ્ટ્રો-રાજ્યો વચ્ચે સંઘર્ષ થશે અને 19મી સદી તેમજ 20મી સદી વચ્ચેની વિચારસરણી વચ્ચે સંઘર્ષ થશે. આ વિચારોને પ્રબળતાપૂર્વક અન્ય લોકો જેવા કે એડવર્ડ સેઈડ અને મહંમદ અસાદી વગેરેએ પડકાર્યા હતા.[15] રોનાલ્ડ ઈંગ્લેહર્ટ અને પીપ્પા નોર્રિસે દલીલ કરી હતી કે મુસ્લિમ વિશ્વ અને પશ્ચિમના દેશો વચ્ચે “સંસ્કૃતિના વાસ્તવિક સંઘર્ષ” અલગ અલગ રાજકીય વિચારસરણી[16] કરતા પશ્ચિમના વધુ ઉદાર જાતિય મુલ્યોના કારણે થયો છે.
હાલમાં, વિશ્વ સંસ્કૃતિ જે સ્તરે રચાયું છે જેને સંભવતઃ એક ઔદ્યોગિક સમાજ તરીકે નિરુપિત કરી શકાય જે ખેતીસંબંધિત સમાજને દબાવી દે છે જેણે તેને મહત્વ આપ્યું હતું. કેટલાક ભવિષ્યવિદો માને છે કે સંસ્કૃતિ અન્ય સ્વરૂપ તરફ જઈ રહ્યું છે અને વિશ્વ સમાજ કહેવાતો માહિતીપ્રદ સમાજ બની જશે,
કેટલાક પર્યાવરણીય વિજ્ઞાનિકો જોઈ રહ્યા છે કે વિશ્વ હાલ સંસ્કૃતિના ગ્રહોને લગતા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જેને વિશ્વવ્યાપી સંસ્થાનો, પર્યાવરણીય પડકારો, આર્થિક પ્રણાલીઓ અને સજાગ્રતા સાથેના સ્વતંત્ર, મુક્ત રાષ્ટ્રો-રાજ્યોથી વધેલી વૈશ્વિક જોડાણ તરફ પ્રસ્થાન કરી રહ્યું હોવાનું કહી શકાય.[17][18] વધુ સારી સમજના પ્રયાસ રૂપે જોઈએ તો, સંસ્કૃતિનો ગ્રહોને લગતો તબક્કો હાલના સંરર્ભમાં ઘટતા કુદરતી સ્ત્રોતો અને વધતા વપરાશ જેવો લાગે છે, વૈશ્વિક ચિતાર જૂથ કે જે ત્રણ લાક્ષણિક ભવિષ્યો સુધી પહોંચવા માટે ચિતાર વિષ્લેશકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છેઃ જંગલીકરણ કે જેમાં વધતા સંઘર્ષોના પરિણામે વિશ્વમાં યુદ્ધભરી સ્થિતિ ઉભી થાય છે અથવા તો સંપૂર્ણપણે સામાજિક ભંગાણ થાય છે. રૂઢીવાદી વિશ્વ કે જેમાં બજાર દળો અથવા નીતિ સુધારો ધીમેધીમે વધુ મજબૂત પ્રક્રિયાઓમાં અવક્ષેપિત થાય છેઃ અને એક છે શ્રેષ્ઠ અવસ્થા કે જેમાં ઈકો-કમ્યુનાલિઝમ (આર્થિક-સમાજિકકરણ)ની ચળવળનો અમુક હિસ્સો સ્વીકાર્ય વિશ્વમાં ઉમેરાય છે અથવા વૈશ્વિક સમન્વયના પ્રયત્નો અને પગલાંના પરિણામે સ્થિરતા કોષ્ટક તૈયાર થાય છે.[19]
કેર્ડેશેવ માનકો સંસ્કૃતિને ટેકનોલોજીકલ આધુનિકતાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, વિશેષરૂપે ઊર્જાના જથ્થા દ્વારા મપાયેલ સંસ્કૃતિ આધાર આપવા માટે સક્ષમ છે. કેર્ડેશેવ માનકોએ સંસ્કૃતિ માટે હાલમાં જાણીતી કોઈપણ જોગવાઈઓ કરતા ટેકનોલોજીની દ્રષ્ટીએ ઘણી વધુ આધુનિક જોગવાઈઓ રચી છે. (આ પણ જુઓઃ સંસ્કૃતિ અને ભવિષ્ય, અવકાશ સંસ્કૃતિ)
સંસ્કૃતિઓના પતન માટે સંખ્યાબંધ ખુલાસાઓ આગળ ધરવામાં આવે છે:
એડવર્ડ ગીબ્બન ની કામ “ધ ડેકલાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર” થી લોકોને સંસ્કૃતિના પતનમાં રસ જાગવા લાગ્યો જેની શરૂઆત પ્રાચીન ગ્રીસ અને રોમના શિષ્ટ યુગ વચ્ચે પેટ્રાર્ચ[20] દ્વારા કરાયેલા ઐતિહાસિક ભાગલાથી થઈ જેને મધ્યકાલીન યુગ અને નવજાગરણના ઉત્તરવર્તી તરીકે ગણવામાં આવે છે. ગીબ્બનના મતેઃ-
“રોમનનું પતનએ અતિશય શ્રેષ્ઠતાની સ્વાભાવિક અને અનિવાર્ય અસર સમાન છે. સમૃદ્ધિમાં ઘટાડો અને સિદ્ધાંતોનું નિકંદન વળી ગયુ જે પતનના કારણમાં વધુ એક જવાબદાર કારણ બન્યું અને સમય પસાર થતો ગયો અને પ્રાચીનકાળ વિતતો ગયો તેમ કૃત્રિમ આધાર નાશ પામતો ગયો, સંબંધોના આસામાન્ય તાતણાઓ પોતાના જ બોજના દબાણમાં દેખાવા લાગ્યા. પતનની આ કહાની ઘણી સરળ અને સ્વાભાવિક છે અને શા માટે રોમન સામ્રાજ્ય ખતમ થયું તે અંગે પુછપરછ કરવાના બદલે આપણને એ બાબતે આશ્રર્ય થવું જોઈએ કે શા માટે તે આટલા લાંબા સમય સુધી ટકી શક્યું.” .”[ગીબ્બોન, ડેકલાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર, બીજી આવૃત્તિ, ભાગ 4, જે.બી. બ્યૂરી(લંડન, 1909) દ્વારા સંપાદિત, pp. 173–174.- પ્રકરણ XXXVIII: રેન ઓફ ક્લોવીસ. ભાગ VI. રોમન સામ્રાજ્યના પતન અંગે પશ્ચિમમાં સામાન્ય અવલોકનો] ગીબ્બોને સુચવ્યુ હતું કે રોમનના પતનની અંતિમ પ્રક્રિયા 1453 એડી(AD)માં કોન્ટેન્ટીનોપલથી ઓટ્ટોમન ટ્રક્સના અધઃપતનને ગણી શકાય.
જર્મનીના ઇતિહાસવિદ દાર્શનિક, કાર્લ જેસ્ફર્સે સુચવ્યુ હતું કે 800 બીસી(BC)-200બીસી(BC) દરમિયાન અક્ષીય યુગમાં પ્રાચીન સંસ્કૃતિકરણને મોટાપાયે અસર પડી હતી જે સમયમાં ભારત, ચીન, ઈરાન, ઈઝરાયલ અને ગ્રીસમાં સંખ્યાબંધ સંતો, પયગંબરો, ધાર્મિક સુધારકો અને ફિલસુફોએ સંસ્કૃતિકરણની દિશા હંમેશ માટે બદલી નાંખી હતી.[25] જુલિયન જેનેસે સુચવ્યુ હતું કે “દ્વીગૃહી મનના પતન” સાથે આ સંબંધ ધરાવે છે જે દરમિયાન આત્માના અવાજના બદલે અચેતન વિચારોને સરળતાપૂર્વક ઉદેશ્ય તરીકે સ્વીકરવામાં આવતી હતી. વિલિયમ એચ. મેકનેઈલે સુચવ્યું હતું કે ઇતિહાસનો આ સમયગાળો એવો છે કે જેમાં અગાઉ વિભક્ત થયેલા સભ્યતા વચ્ચે જોડાણની સંસ્કૃતિ જોડાઇ જે “ઓક્યૂમેન વચ્ચેની નિકટતા” દર્શાવતી હતી અને તેના કારણે ચીનથી ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો સુધીના સામાજિક પરિવર્તનો દર્શાવાયા. આ વિચારોને તાજેતરમાં ક્રિસ્ટોફર ચેઝ-ડન અને વિશ્વ પ્રણાલીના સિદ્ધાંતવાદીઓએ ટેકો આપ્યો છે.
15 અને 16મી સદીના સંશોધકોએ જ્યારથી જળમાર્ગ સંશોધનની શરૂઆત કરી ત્યારથી યુરોપીયન સરકાર, ઉદ્યોગ, વાણિજ્ય, સંસ્કૃતિનો પશ્ચિમ યુરોપથી અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પૃથ્વીના બાકીના હિસ્સામાં નાના સામ્રાજ્યોમાં ફેલાવો થયો. આજે લાગી રહ્યું છે કે આપણે ગ્રહીય ઔદ્યોગિકરણ વિશ્વની સંસ્કૃતિના ભાગ સમાન છીએ જેમાં સંખ્યાબંધ રાષ્ટ્રો અને ભાષાઓ સમાયેલી છે, જે કેટલાક સંપર્કરહિત લોકોને બચાવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.