રાજા દાહિર
From Wikipedia, the free encyclopedia
દાહિર સેન (૬૬૧ - ૭૧૨) સિંધ પ્રદેશનો છેલ્લો હિંદુ રાજા હતો. તે સિંધના પુષ્કર્ણ બ્રાહ્મણ વંશનો ઉત્તરાધિકારી હતો. હાલના ભૌગોલિક પ્રદેશ પ્રમાણે, ત્યારનું સિંધ એ આજના અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, પાકિસ્તાન, પંજાબ તેમ જ ઈરાનના અમુક વિસ્તારોનું બનેલ હતું. ઇસ્લામના પ્રસાર હેતુથી ભારતીય ઉપખંડ ઉપર કરવામાં આવેલા ઇસ્લામિક આક્રમણના શરૂઆતના તબક્કામાં દાહિરનું રાજ્ય મહંમદ બિન કાસમે જીતી લીધું હતું. મહંમદ બિન કાસમ ઉમ્મ્યદ ખિલાફતનો એક સેના નાયક હતો. દાહિર યુધ્ધમાં સિંધુ નદીના કિનારે હાલમાં પાકિસ્તાનમાં આવેલા નવાબશાહ શહેરની નજીક અરોરમાં હણાયો હતો.[1] આજની તારીખેય અરોરમાં તે વખતનું પ્રચલિત એવું કાલકા દેવી માતાનું મંદિર છે. દાહીરનું માથું કાપીને સાબિતી રૂપે ઉમ્મયદ શાસક અલ-હજ્જાજ બિન યુસુફને મોકલવામાં આવ્યું હતું. દાહીરનું પતન થવાથી મોટા ભાગની તે વખતની હિંદુ સ્ત્રીઓએ હુમલાખોર મુસલમાનોના ધાડાઓના હાથે પોતાની આબરૂ અને શીલ ગુમાવવાના બદલે સામૂહિક સતી થવું (જે આગળ જઈને રાજપૂત રાજ્યોમાં જોહર તરીકે પ્રચલિત થયું) હસતે મોંઢે સ્વીકાર્યું હતું.[1] અને બાકીના બચેલા વંશજોને ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
રાજા દાહિર | |||||
---|---|---|---|---|---|
સિંધનો મહારાજા | |||||
સિંધનો ૩જો અને છેલ્લો રાજા | |||||
શાસન | ઇ.સ. ૬૭૯ - ૭૧૨ | ||||
પુરોગામી | ચંદર | ||||
અનુગામી | ઉમ્મયદ ખિલાફત | ||||
જન્મ | ઇ.સ. ૬૬૧ અરોર, સિંધ હાલમાં રોહરી, સિંધ, પાકિસ્તાન | ||||
મૃત્યુ | ઇ.સ. ૭૧૨ (૫૧ વર્ષ) સિંધુ નદી, રાઓર, સિંધ હાલમાં નવાબશાહ, સિંધ, પાકિસ્તાન | ||||
વંશજ | સુર્યા દેવી પ્રેમલા દેવી | ||||
| |||||
રાજવંશ | બ્રાહ્મણ વંશ | ||||
પિતા | ચચ | ||||
માતા | રાણી સુહાનંદી (રાય સહાસીની પૂર્વ પત્નિ) | ||||
ધર્મ | હિંદુ |