બૉહરનો સિદ્ધાંત
પરમાણુનું બંધારણ સમજાવતો સિદ્ધાંત / From Wikipedia, the free encyclopedia
બૉહરનો સિદ્ધાંત હાઈડ્રોજનના રેખિય વર્ણપટને સમજાવવા માટે ડેનીશ ભૌતિકશાસ્ત્રી નીલ્સ બૉહરે ૧૯૧૩માં રજૂ કર્યો હતો. આ માટે તેમણે પરમાણુની સંરચના અંગે વિકસાવેલું ચિત્ર બૉહર પ્રતિરૂપ કે બૉહર મૉડેલ તરીકે જાણીતું છે. આ સિદ્ધાંતમાં અનેક ખામીઓ હોવા છતાં આ સિદ્ધાંત પરમાણુની સંરચના સમજાવવામાં અગત્યનું સોપાન હોવાનું મનાયું છે.[1]