બલરામ
શ્રી કૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર / From Wikipedia, the free encyclopedia
હિંદુ ધર્મના પૌરાણીક મહાકાવ્ય મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બલરામ (સંસ્કૃત: बलराम), શ્રીકૃષ્ણના મોટાભાઈ હતા. પાંચરાત્ર શાસ્ત્રો અનુસાર બલરામ (બલભદ્ર) ભગવાન વાસુદેવની છાયા અથવા સ્વરૂપ છે. એમનું કૃષ્ણના અગ્રજ (મોટાભાઈ) તથા શેષ અવતાર હોવાનું બ્રાહ્મણ ધર્મને અભિમત છે. જૈનોના મત પ્રમાણે એમનો સંબંધ તીર્થકર નેમિનાથ સાથે છે. બલરામ અથવા સંકર્ષણના પૂજનની પરંપરા ઘણાં વર્ષો પહેલાંથી ચાલતી આવી હતી, પરંતુ એમની સર્વપ્રાચીન મૂર્તિઓ મથુરા અને ગ્વાલિયર ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી છે, જે શુંગકાલીન ગણાય છે.