પ્રાગજી ભગત
From Wikipedia, the free encyclopedia
પ્રાગજી ભગત (ભગતજી મહારાજ) ભગવાન સ્વામીનારાયણ ના દ્વિતિય આધ્યાત્મિક અનુગામી અને ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્ય હતા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts પ્રાગજી ભક્ત, અંગત ...
પ્રાગજી ભક્ત | |
---|---|
પ્રાગજી ભક્ત | |
અંગત | |
જન્મ | પ્રાગજી ભક્ત ઇસ ૧૮૨૯ |
ધર્મ | હિંદુ |
કારકિર્દી માહિતી | |
ગુરુ | ગુણાતીતાનંદ સ્વામી,[1] [2] |
વેબસાઇટ | www |
સન્માનો | બ્રહ્મસ્વરૂપ ગુરુ |
બંધ કરો
તેમનો જન્મ ઇ. સ. ૧૮૨૯માં ફાગણ સુદ પૂનમના દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ ગોવિંદભાઈ અને માતાજીનું નામ મલુબા હતુ. તેમણે યોગાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી.
તેઓ ગૃહસ્થ હતા, તેમ જ સંપ્રદાયમાં તેમને ગૃહસ્થાશ્રમનો આદર્શ ગણવામાં આવતા. તેઓ અદભૂત રીતે કથાવાર્તા કરવા માટે ખૂબજ પ્રસિદ્ધ થયા હતા. તેમણે શાસ્ત્રીજી મહારાજ ને પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે નિયુક્તિ કર્યા[3] અને ઈ.સ. ૧૮૯૬માં સંવત ૧૯૫૪ કારતક સુદ ૧૩ના રોજ ૬૭ વર્ષની વયે મહુવા ખાતે તેમનો દેહવિલય થયો.