દ્વારકાધીશ મંદિર
દ્વારકા, ગુજરાત ખાતે આવેલું કૃષ્ણ મંદિર / From Wikipedia, the free encyclopedia
દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. [1][2][3] ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. [4] [5] દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.
દ્વારકાધીશ મંદિર | |
---|---|
દ્વારકાધીશ મંદિર, દ્વારકા | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | દેવભુમી દ્વારકા જિલ્લો |
દેવી-દેવતા | દ્વારકાધીશ કૃષ્ણ |
તહેવાર | જન્માષ્ટમી |
સ્થાન | |
સ્થાન | દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો |
નગરપાલિકા | દ્વારકા |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
પ્રદેશ | હાલાર |
અક્ષાંશ-રેખાંશ | 22°14′16.39″N 68°58′3.22″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | ચાલુક્ય શૈલી |
સ્થાપના તારીખ | ૧૫-૧૬મી સદી |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | ૨૯ મીટર |
પહોળાઈ | ૨૩ મીટર |
ઊંચાઇ (મહત્તમ) | ૫૧.૮ મીટર |
પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે, ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.[6] મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ (નિજ મંદિર અથવા હરિગૃહ) અને અંતરાલ ધરાવે છે.[7] એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે.