તત્વ (જૈનત્વ)
From Wikipedia, the free encyclopedia
જૈન તત્વમીમાંસા અનુસાર જેનું ત્રને કાળમાં અસ્તિત્વ હોય અને જે જાણવા યોગ્ય છે તે ને તત્વ કહે છે.તત્વ એટલે પદાર્થનું યથાવસ્થિત સ્વરૂપ અને દરેક પદાર્થને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે. જૈન તત્વ મીમાંસા એ સાત (તેના ઉપવર્ગીકરણ સાથે નવ)તત્વો પર આધારિત છે, તેને તત્વ કે નવ તત્વ તરીકે ઓળખાય છે. આના દ્વારા માનવ દુર્દશાનો ઉપાય તેનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રથમ બે તત્વો તેમના નામ પ્રમાણે કોઈ પણ તત્વનું પ્રસ્થાપિત સ્વરૂપ બતાવે છે- જીવ અને અજીવ.
ત્રીજું તત્વ જીવ અને અજીવ તત્વના યોગથી નિર્માણ થાય છે. આને કારને કાર્મીક પુદગલો (શરીર) આત્મા પ્રદેશમાં વહે છે અને ચોંટી જાય છે અને કર્મ બની જાય છે જેને આશ્રવ કહે છે.
ચોથું તત્વ બંધ તત્વ છે જેને કારણે ચેતના તેના મૂળ આંતરિક ગુણને ઓળખી શકતી નથી.
પાંચમું તત્વ સંવર તરીકે ઓળખાય છે આનો અર્થ નવા આવતા કર્મોને રોકવું એવો છે. જે સંયમ, યોગ્ય વર્તણૂક, આસ્થા અને જ્ઞાન દ્વારા મેળવી શકાય છે.
સંયમની તીવ્ર આરાધના કરવાથી પ્રાચીન કર્મોને બાળી શકાય છે - આ ક્રિયા છઠ્ઠા તત્વ નિર્જરા હેઠળ આવે છે.
જ્યારે જીવ કર્મ બંધન થી મુક્ત થાય છે ત્યારેતેની લક્ષ્ય પ્રાપ્તિ થાય છે . તે મોક્ષ મેળવે છે. આ સાતમું તત્વ મોક્ષ તત્વ છે [1] અમુક અન્ય લેખકો બે અન્ય શ્રેણી મુકે છે : તે કર્મના ગુણ અનુસાર પ્રકારો છે જે છે પુણ્ય તત્વ અને પાપ તત્વ . આ નવ શ્રેણીઓને નવ તત્વ કહે છે જે સમગ્ર જૈન તત્વમીમાંસાનો પાયો છે. આત્માની મુક્તિ માટૅ આ નવતત્વનું જ્ઞાન હોવું જરૂરી છે.