![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Visitor_to_Chitra_Vichitra_Fair.png/640px-Visitor_to_Chitra_Vichitra_Fair.png&w=640&q=50)
ચિત્રવિચિત્રનો મેળો
ગુજરાત (ઉત્તર)માં યોજાતો એક આદિવાસી મેળો / From Wikipedia, the free encyclopedia
ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.[3]
Quick Facts ચિત્રવિચિત્રનો મેળો, પ્રકાર ...
ચિત્રવિચિત્રનો મેળો | |
---|---|
![]() ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી | |
પ્રકાર | સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર |
તારીખો | માર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી)[1] |
અવધિ | વાર્ષિક |
સ્થાન | ગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત |
અક્ષાંસ-રેખાંશ | 24.345828°N 73.126276°E / 24.345828; 73.126276 |
દેશ | ભારત |
હાજરી | ૬૦,૦૦૦[2] |
બંધ કરો
ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.