ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર
From Wikipedia, the free encyclopedia
ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ભારત દેશની પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવતા સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં આવેલું મહાભારતના કાળનું મંદિર છે.
આ મંદિર ખાતે હોળીના તહેવાર પછીના ૧૪મા દિવસે મેળો યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ નદી અને વ્યાકુળ નદી એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે. ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લી ગિરિમાળાઓના ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતના સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાના તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમના મિજાજની જેમ આગવા હોય છે, જે અહીંના ચિત્રવિચિત્રના મેળામાં માણવા મળે છે.