ચન્દ્રઘંટા
From Wikipedia, the free encyclopedia
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.[1] તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.
Quick Facts ચન્દ્રઘંટા, જોડાણો ...
ચન્દ્રઘંટા | |
---|---|
નવદુર્ગા માંહેનાં ત્રીજા દેવી | |
દેવી ચન્દ્રઘંટા, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા | |
જોડાણો | નવદુર્ગા |
મંત્ર | નાના રૂપ ધારિણી, ઇચ્છામયી ઐશ્વર્યદાયિનીમ્ સૌભાગ્યારોગ્ય દાયિની, |
શસ્ત્રો | તલવાર (ખડગ), ધનુષ-બાણ, ત્રિશુળ વગેરે |
વાહન | વાઘ |
જીવનસાથી | શિવ |
બંધ કરો
ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે. કોઈ સ્થળે તેમનું વાહન સિંહ પણ કહેવાયું છે.[2]