ગુજરાતમાં પર્યટન
From Wikipedia, the free encyclopedia
ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં ૧,૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો (ભારતમાં સૌથી લાંબો) ધરાવે છે. તે દેશમાં નવમું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. ૨૦૧૮માં ગુજરાતની ૫.૪૪ કરોડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.[1]
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર 511KeV (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
ગુજરાત કચ્છના રણથી લઈને સાપુતારાની ટેકરીઓ સુધી વિવિધ પ્રવાસી આકર્ણણો આવેલા છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહોને જોવા માટે ગુજરાત એકમાત્ર સ્થળ છે.[2] ગુજરાત સલ્તનતના સમય દરમિયાન, હિંદુ અને ઇસ્લામિક સ્થાપત્યનું સમન્વય થયો હતો જેનાથી ઇન્ડો-સારાસેનિક શૈલીનો ઉદ્ભવ થયો હતો. રાજ્યમાં આવેલા ઘણાં સ્થાપત્યો આ શૈલી હેઠળ બન્યા છે. ગુજરાત શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ પણ છે, જે ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. તાજેતરના વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
અમિતાભ બચ્ચન હાલમાં ગુજરાતના પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમના 'ખુશ્બુ ગુજરાત કી' અભિયાને ગુજરાતમાં પ્રવાસનને દર વર્ષે ૧૪ ટકા વધાર્યું છે, જે રાષ્ટ્રીય પ્રવાસન વિકાસ દર કરતાં બમણું છે.[3]
અમદાવાદને તેના કેન્દ્રીય સ્થાન અને સારી રીતે જોડાયેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક સાથે ગુજરાતના તમામ સ્થળોને આવરી લેવા માટે એક આદર્શ કેન્દ્ર માનવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા અને ભુજ ખાતે હવાઇમથકો આવેલા છે. અમદાવાદમાં સ્થાનિક અને સીધી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ પ્રાપ્ત છે. તેમજ અમદાવાદ સમગ્ર ગુજરાતના શહેરોમાં પ્રવાસ કરવા માટે અનુકૂળ છે.