હિંદુ ધાર્મિક ગ્રંથ-પ્રકાશક From Wikipedia, the free encyclopedia
ગીતા પ્રેસ એ હિંદુ ધાર્મિક ગ્રંથોની વિશ્વની સૌથી મોટી પ્રકાશક છે.[1] તે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર શહેરમાં આવેલી છે. આ પ્રેસની સ્થાપના જય દયાલ ગોયદંકા દ્વારા ૧૯૨૩માં સનાતન ધર્મના સિદ્ધાંતોના પ્રોત્સાહનના હેતુથી કરવામાં આવી હતી. હનુમાન પ્રસાદ પોદ્દાર એ તેમની પ્રખ્યાત કલ્યાણ મેગેઝિનના સ્થાપક અને તેના આજીવન સંપાદક હતા.[2] તેમણે ૧૯૨૭માં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, અને તેની ૧,૬૦૦ નકલો ફરી રહી છે અને અત્યારે તેની છપાઈ હુકમ (૨૦૧૨માં) ૨.૫ લાખ સુધી પહોંચી ગઈ હતી. ગીતા પ્રેસ તેની ગ્રંથાગારમાં ૩૫૦૦ હસ્તલિપિઓ સહિત ગીતાના ૧૦૦ ભાષાંતરો ઘરાવે છે.[3]
Status | સક્રિય |
---|---|
Founded | ૧૯૨૩ |
Founder | જય દયાલ ગોયદંકા |
Country of origin | ભારત |
Headquarters location | ગોરખપુર, ઉત્તર પ્રદેશ |
Distribution | વિશ્વભરમાં |
Publication types | હિંદુ ધાર્મિક પુસ્તકો,
કલ્યાણ માસિક (હિન્દી માં), કલ્યાણ-કલ્પતરૂ (અંગ્રેજી માં) |
Nonfiction topics | હિન્દુત્વ, સનાતન ધર્મ |
Number of employees | ૩૫૦ |
Official website | www |
ગીતા ઉપદેશક જય દયાલ ગોયદંકાએ ૨૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ સંસ્થા નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ ગોવિન્દ ભવન કાર્યાલયના એક એકમ તરીકે ગીતા પ્રેસની સ્થાપના કરવામાં આવી (હાલમાં પશ્ચિમ બંગાળ સંસ્થા અધિનિયમ,૧૯૬૦ દ્વારા સંચાલિત કરવામાં આવે છે). પાંચ મહિના પછી ₹ ૬૦૦ થી તેની પ્રથમ પ્રિન્ટીંગ મશીન હસ્તગત કરી. તેની સ્થાપના બાદ, ગીતા પ્રેસે શ્રીમદ્ ભગવદ્ ગીતા(વિવિધ આવૃત્તિઓમાં)ની લગભગ ૪૧૦ લાખ નકલો અને શ્રીરામચરિતમાનસની ૭૦ લાખ નકલો સબસિડીવાળા ભાવે પ્રકાશિત કરવામાં આવી.[3]
તેને વેતનના મુદ્દે ડિસેમ્બર ૨૦૧૪માં અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી,[4] પરંતુ થોડા દિવસો પછી ફરી કામ શરૂ થઇ ગયું. [5]
આ બન્નેમાંથી કોઇ પણ મેગેઝીન જાહેરાતો ચલાવતી નથી.
તેમની પાસે એક નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા છે જે ખૂબ જ લોકપ્રિય છે અને જેની કિંમત ₹ ૪/- છે.
આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રેજી, કન્નડા, તમિલ, તેલુગુ, ગુજરાતી, બંગાળી, ઉડિયા અને ભારતના અન્ય ભાષાઓમાં પ્રકાશિત થાય છે.
આ કળા ગેલેરીમાં ભૂતકાળના અને હાલના પ્રસિદ્ધ કલાકારો દ્વારા શ્રીરામ અને શ્રીકૃષ્ણએ ભજવેલી લીલાઓ (પરાક્રમો) ની ૬૮૪ ચિત્રકારી દર્શાવવામાં આવી છે. અન્ય ચિત્રો, શ્રીકૃષ્ણ લીલા ના મેવારી શૈલીના ચિત્રો પણ પ્રદર્શનમાં છે. દિવાલો પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા જ ૭૦૦ શ્લોકો આરસપહાણની તકતીઓ પર દર્શાવવામાં આવ્યા છે.
ગીતા પ્રેસ એ ગોવિન્દ ભવન કાર્યાલયનું એક એકમ છે. અન્ય સંલગ્ન સંસ્થાઓમાં છે:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.