![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/K_Kamaraj_1976_stamp_of_India.jpg/640px-K_Kamaraj_1976_stamp_of_India.jpg&w=640&q=50)
કે. કામરાજ
ભારતીય રાજનેતા / From Wikipedia, the free encyclopedia
કુમારસ્વામી કામરાજ (૧૫ જુલાઇ ૧૯૦૩[1] - ૨ ઓક્ટોબર ૧૯૭૫[2]), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)ના સંસ્થાપક નેતા હતા જે ૧૯૬૦ના દશકમાં ભારતીય રાજનીતિમાં કિંગમેકર તરીકે જાણીતા હતા. ૧૯૬૪ થી ૧૯૬૭ના વર્ષો દરમિયાન તેઓ બે કાર્યકાળ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા.[3] કામરાજ ૧૯૫૪–૧૯૬૩ દરમિયાન મદ્રાસ રાજ્યના (વર્તમાન તમિલનાડુ) ત્રીજા મુખ્યમંત્રી તેમજ ૧૯૫૨–૧૯૫૪ અને ૧૯૬૬–૧૯૭૫ દરમિયાન લોકસભાના સાંસદ રહ્યા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પક્ષના સંચાલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મદ્રાસના મુખ્યમંત્રી તરીકે વંચિતોને મફત શિક્ષણ આપવાની તથા શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યાન્વિત કરવાનું શ્રેય કામરાજને જાય છે. ૧૯૭૬માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.[4]
Quick Facts કે. કામરાજ, ૩જા મુખ્યમંત્રી મદ્રાસ રાજ્ય ...
કે. કામરાજ | |
---|---|
![]() ટપાલટિકિટ પર કામરાજ | |
૩જા મુખ્યમંત્રી મદ્રાસ રાજ્ય | |
પદ પર ૧૩ એપ્રિલ ૧૯૫૪ – ૨ ઓક્ટોબર ૧૯૬૩ | |
રાષ્ટ્રપતિ | રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
ગવર્નર | શ્રીપ્રકાશ અન્નાપેરાબિલ જોસેફ જ્હોન પી. વી. રાજમન્નાર (કાર્યકારી) વિષ્ણુરામ મેધી |
સ્પીકર | જગન્નાથમ શિવષણ્મુગમ પિલ્લાઇ એન. ગોપાલ મેનન યુ. ક્રિષ્ના રાવ એસ. છેલપાંડિયન |
વિરોધ પક્ષના નેતા | નેગી રેડ્ડી પે. રામામુર્થી વી .કે. રામાસ્વામી મુદ્દાલીયર વી. આર. નેદુન્ચેરીયન |
પુરોગામી | સી. રાજગોપાલાચારી |
અનુગામી | એમ. ભક્તવત્સલમ |
બેઠક | ગુડીયાથમ સત્તુર |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(સંગઠન)ના સંસ્થાપક | |
પદ પર ૧૯૬૯ – વર્તમાન | |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(સંગઠન)ના નેતા | |
પદ પર ૧૯૬૯ – ૧૯૭૫ | |
અનુગામી | મોરારજી દેસાઈ |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ | |
પદ પર ૧૯૬૪ – ૧૯૬૭ | |
પુરોગામી | નીલમ સંજીવ રેડ્ડી |
અનુગામી | એસ. નિજલિંગપ્પા |
તમિલનાડુ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ | |
પદ પર ૧૯૪૬ – ૧૯૫૨ | |
અનુગામી | પી .સુબ્બરયન |
લોકસભા સાંસદ | |
પદ પર ૧૯૬૯ – ૧૯૭૫ | |
પુરોગામી | એ. નેસામોની |
અનુગામી | કુમારી અનન્થા |
બેઠક | નાગરકોવિલ મતક્ષેત્ર |
પદ પર ૧૯૫૧ – ૧૯૫૪ | |
બેઠક | શ્રીવિલ્લિપુથ્થુર |
અંગત વિગતો | |
જન્મ | (1903-07-15)15 July 1903 વિરુધુનગર, મદ્રાસ પ્રાંત, બ્રિટીશ ભારત (હાલ તમિલનાડુ, ભારત) |
મૃત્યુ | 2 October 1975(1975-10-02) (ઉંમર 72) મદ્રાસ, તમિલનાડુ, ભારત |
અંતિમ સ્થાન | પેરુંથલૈવર કામરાજ મેમોરીઅલ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
અન્ય રાજકીય જોડાણો | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૬૯ સુધી) |
નિવાસસ્થાન | શિવગામીપુરમ, વિરુધુઅગર, તમિલનાડુ |
પુરસ્કારો |
|
સહી | ![]() |
બંધ કરો