![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e0/Minister_Jaishankar_%252848823162971%2529_%2528cropped%2529.jpg/640px-Minister_Jaishankar_%252848823162971%2529_%2528cropped%2529.jpg&w=640&q=50)
એસ. જયશંકર
ભારત સરકારના વિદેશમંત્રી અને રાજદ્વારી / From Wikipedia, the free encyclopedia
સુબ્રહ્મણ્યમ જયશંકર (જન્મ ૯ જાન્યુઆરી ૧૯૫૫) એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે, જેઓ ૩૦ મે ૨૦૧૯થી ભારત સરકારના વિદેશ મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને ૫ જુલાઈ ૨૦૧૯થી રાજ્યસભામાં સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે અગાઉ જાન્યુઆરી ૨૦૧૫થી [1][2][3] જાન્યુઆરી ૨૦૧૮ સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી.
એસ. જયશંકર | |
---|---|
![]() | |
૩૦મા વિદેશમંત્રી | |
પદ પર | |
Assumed office ૩૦ મે ૨૦૧૯ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | સુષ્મા સ્વરાજ |
રાજ્ય સભાના સાંસદ | |
પદ પર | |
Assumed office ૫ જુલાઈ ૨૦૧૯ | |
પુરોગામી | અમિત શાહ |
બેઠક | ગુજરાત |
૩૧મા વિદેશ સચિવ | |
પદ પર ૨૮ જાન્યુઆરી ૨૦૧૫ – ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | સુજાતા સિંઘ |
અનુગામી | વિજય કેશવ ગોખલે |
અંગત વિગતો | |
જન્મ | સુબ્રહ્મણ્યમ જયશંકર (1955-01-09) 9 January 1955 (ઉંમર 69) નવી દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | ક્યોકો જયશંકર |
સંતાનો | 3 |
માતૃ શિક્ષણસંસ્થા | સેંટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી (બી.એ., એમ.એ.) જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય, એમ.ફિલ., પી.એચડી. |
વ્યવસાય | સનદી સેવક, રાજદ્વારી, રાજકારણી |
પુરસ્કારો | પદ્મશ્રી (૨૦૧૯) |
તેઓ ૧૯૭૭માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમની ૩૮ વર્ષથી વધુની રાજદ્વારી કારકિર્દી દરમિયાન, તેમણે સિંગાપોરમાં હાઈકમિશનર (૨૦૦૭-૦૯) અને ઝેક રિપબ્લિકમાં રાજદૂત (૨૦૦૧-૦૪), ચીનમાં રાજદૂત (૨૦૦૯-૧૩), અને અમેરિકામાં રાજદૂત(૨૦૧૪-૧૫) સહિત ભારત અને વિદેશમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી. જયશંકરે ભારત-યુએસ નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નિવૃત્તિ પછી જયશંકર ટાટા સન્સમાં વૈશ્વિક કોર્પોરેટ અફેર્સના પ્રમુખ તરીકે જોડાયા.[4] ૨૦૧૯માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[5] ૩૦ મે ૨૦૧૯ના રોજ તેમણે મોદીના બીજા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં.[6] તેમને ૩૧મે ૨૦૧૯ના રોજ ભારતના વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી તરીકે વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ ભૂતપૂર્વ વિદેશ સચિવ છે.[7][8]