ઇસ્કોન
From Wikipedia, the free encyclopedia
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ' (ઇસ્કોન-International Society for Krishna Conciousness) સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે. આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ્ ગીતાનાં મૂળ ઉપદેશો ઉપર આધારિત છે અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત ગ્રંથો હોવાથી ઇસ્કોનને કોઈ નવો ધર્મ ન ગણતા સનાતન ધર્મનો એક સંપ્રદાય જ ગણવામાં આવે છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મૂળભુત રીતે પશ્ચિમ બંગાળના ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે તેના ઉપર આધારિત છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગના ફેલાવા માટે કરવામાં આવી છે, જ્યાં ભક્ત વિચારોથી અને કર્મોથી ભગવાન કૃષ્ણને પરાયણ હોય છે.
વિશ્વભરમાં ઇસ્કોનના ૪૦૦ કેન્દ્રો છે, જેમા ૬૦ કૃષિક્ષેત્રોનો સમાવેશ થાય છે. તદુપરાંત ૫૦ શાળાઓ અને ૯૦ રેસ્ટોરન્ટ્સ છે. છેલ્લા થોડા વર્ષોમાં (મુખ્ય્તવે રશિયાના વિભાજન પછી) પૂર્વ યુરોપીય દેશોમાં અને ભારતમાં ઇસ્કોનનો નોંધપાત્ર ફેલાવો થયેલો છે.