આરતી
હિંદુ ધર્મની એક પૂજાવિધિ / From Wikipedia, the free encyclopedia
આરતી એ હિંદુ ધર્મની એક પૂજાવિધિ છે. જેમાં થાળી કે આરતિયામાં ઘી કે તેલ અથવા કપૂરની વાટ કે વાટો સળગાવી દેવમૂર્તિ સમક્ષ વર્તુલાકારે ફેરવવામાં આવે છે.[1] શીખ ધર્મની પૂજાવિધીમાં પણ આરતીનું સ્થાન છે. કહેવાય છે કે આરતી વેદિક કાળના હોમની પરંપરાથી આવેલી વિધિ છે. આરતીની પરંપરામાં કેટલાંક સાંકેતિક અર્થ જોઈએ તો, પુષ્પ પૃથ્વી તત્વનું, પાણી કે પાણીવાળું ભીનું કપડું જળ તત્વનું, દીપ અગ્નિ તત્વનું, આરતિયામાં બનેલી મયુરપંખાકૃતિ વાયુતત્વનું અને ગાયના પૂંછડા જેવી આકૃતિયુક્ત પંખાકૃતિ આકાશ તત્વનું એમ પંચમહાભુતનું પ્રતિનિધિત્વ કરે છે.[2]