આચાર્ય હરિભદ્ર
From Wikipedia, the free encyclopedia
આચાર્ય હરિભદ્ર સુરી શ્વેતાંબર જૈન લેખક હતા. તેમના જન્મ વિશે વિવિધ વાદ છે, પરંતુ આધારભૂત માહિતી મળતી નથી. લોકવાયકા મુજબ તેઓ ઇ.સ. ૪૫૯-૫૨૯ વચ્ચે થઈ ગયા હતા. તેમ છતાં, ઇ.સ. ૧૯૧૯માં જિનવિજયજી મુનિ એ સૂચવ્યું કે ધર્મકિર્તી સાથે તેમની નિકટતા દર્શાવે છે કે તેમનો સમય ઇ.સ. ૬૫૦ની આસપાસ હતો.[1] તેમનાં લખાણમાં હરિભદ્ર પોતાને વિદ્યાધારા કુળના જિનભદ્ર અને જિનદત્તના શિષ્ય ગણાવે છે.
Quick Facts આચાર્ય હરિભદ્ર, અંગત ...
બંધ કરો
જેકોબી, લાયમાન, વિન્તર્નિત્સ, સુવાલી અને શુબ્રિંગ વગેરે અનેક વિદ્વાનોએ વિવિધ પ્રસંગોએ આચાર્ય હરિભદ્ર ના ગ્રંથો ઉપર તથા જીવનના અનેક વિષયો ઉપર ચર્ચા કરી છે.
આ વિદ્વાનોએ હરિભદ્રના વિભિન્ન ગ્રંથોનું સંપાદન, અનુવાદ અને સાર પણ આપેલ છે.
જર્મન, અંગ્રેજી વગેરે પાશ્ચાત્ય ભાષાઓના જાણીતા વિદ્વાનોના લક્ષ્ય ઉપર હરિભદ્ર એક વિશિષ્ઠ વિદ્વાન તરીકે સ્થાન પામેલ છે.