![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cf/AgraFort.jpg/640px-AgraFort.jpg&w=640&q=50)
આગ્રાનો કિલ્લો
ભારતમાં આવેલો એક કિલ્લો, યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ. / From Wikipedia, the free encyclopedia
આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. આ કિલ્લા ને ચાર દિવાલ થી ઘેરાયેલી પ્રાસાદ (મહેલ) નગરી કહવું સારું રહેશે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cf/AgraFort.jpg/640px-AgraFort.jpg)
આગ્રાના લાલકિલ્લાનાં બે પ્રવેશદ્વારોમાંનુ એક
આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવ જાવ લાગી રહેતી હતી, જેમણે ભારતના ઇતિહાસને રચ્યો.