અટલ બિહારી વાજપેયી
ભારતના ૧૦મા વડા પ્રધાન / From Wikipedia, the free encyclopedia
અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪[1] - ૧૬ ઓગસ્ટ ૨૦૧૮[2]) ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.
Quick Facts અટલ બિહારી વાજપેયી, ભારતના ૧૦મા વડાપ્રધાન ...
અટલ બિહારી વાજપેયી | |
---|---|
ભારતના ૧૦મા વડાપ્રધાન | |
પદ પર ૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૨૦૦૪ | |
રાષ્ટ્રપતિ |
|
ડેપ્યુટી | લાલકૃષ્ણ અડવાણી |
પુરોગામી | આઇ. કે. ગુજરાલ |
અનુગામી | મનમોહન સિંહ |
પદ પર ૧૬ મે ૧૯૯૬ – ૧ જૂન ૧૯૯૬ | |
રાષ્ટ્રપતિ | શંકર દયાલ શર્મા |
પુરોગામી | પી. વી. નરસિંહા રાવ |
અનુગામી | એચ. ડી. દેવે ગૌડા |
વિદેશ મંત્રી | |
પદ પર ૨૬ માર્ચ ૧૯૭૭ – ૨૮ જુલાઇ ૧૯૭૯ | |
પ્રધાન મંત્રી | મોરારજી દેસાઈ |
પુરોગામી | યશવંતરાવ ચવાણ |
અનુગામી | શ્યામ નંદન પ્રસાદ મિશ્રા |
અંગત વિગતો | |
જન્મ | (1924-12-25)25 December 1924 ગ્વાલિયર, બ્રિટિશ ભારત (હવે મધ્ય પ્રદેશ, ભારતમાં) |
મૃત્યુ | 16 August 2018(2018-08-16) (ઉંમર 93) નવી દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૮) |
અન્ય રાજકીય જોડાણો | જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૦) ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં) |
માતૃ શિક્ષણસંસ્થા | મહારાણી લક્ષ્મી બાઇ ગવર્મેન્ટ કોલેજ ઓફ એક્સલન્સ (૧૯૪૬) ડીએવી કોલેજ, કાનપુર (૧૯૪૭) (આ બંને કોલેજ સ્નાતક સમયે આગ્રા યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી) |
ક્ષેત્ર | લેખક, રાજકારણી, કવિ |
પુરસ્કારો | ભારત રત્ન ૨૦૧૫ પદ્મવિભૂષણ ૧૯૯૨ |
સહી |
બંધ કરો
વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.