સ્વામિનારાયણ સંપ્રદાય
સનાતન ધર્મનો એક ભાગ / From Wikipedia, the free encyclopedia
સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મની વૈષ્ણવ માર્ગ અંતર્ગત એક સંપ્રદાય છે. જેના સ્થાપક સ્વામિનારાયણ ભગવાન હતા. આ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણને તેમના પરમ આરાધ્ય માની તેમની ઉપાસના કરે છે. વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, સ્વામીની વાતો આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો છે.[1]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગઢડા આ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થળ છે. સંપ્રદાયના અનેક ફાંટાઓ પણ છે, આ બધામાં બીએપીએસ સૌથી જાણીતી છે[2] હિંદુ ધર્મ ની સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય, તત્વજ્ઞાન અને સ્થાપત્યમાં આ સંપ્રદાય પોતાનું આગવું મહત્વ ધરાવે છે.
હાલમાં આ સંપ્રદાય સાથે ૪ કરોડ જેટલા અનુયાયીઓ જોડાયેલા છે.[સંદર્ભ આપો]