![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Statue_of_Chhatrapati_Shivaji_Maharaj.jpg/640px-Statue_of_Chhatrapati_Shivaji_Maharaj.jpg&w=640&q=50)
શિવાજી
મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને પ્રતાપી રાજા / From Wikipedia, the free encyclopedia
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસ નો અગત્ય નો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.
Quick Facts છત્રપતિ શિવાજી રાજે, મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક ...
છત્રપતિ શિવાજી રાજે | |
---|---|
મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક | |
![]() | |
શાસન કાળ | ૧૬૭૪ - ૧૬૮૦ |
રાજ્યાભિષેક | ૬ જૂન ૧૬૭૪ |
જન્મ | ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૬ |
જન્મ સ્થળ | શિવનેરી કિલ્લો, મહારાષ્ટ્ર |
અવસાન | ૪ એપ્રિલ, ૧૬૮૦ |
અવસાન સ્થળ | રાયગઢ |
અંત્યેષ્ટિ | રાયગઢ |
પૂર્વગામી | શાહજી ભોંસલે |
ઉત્તરાધિકારી | શંભાજી મહારાજ |
વંશ/ખાનદાન | મરાઠા |
પિતા | શાહજી ભોંસલે |
માતા | મહારાણી જીજાબાઇ |
સંતાન | શંભાજી મહારાજ, રાજારામ |
ધર્મ | હિંદુ |
બંધ કરો